SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ કર્મપ્રકૃતિ - અથ ૩ો અનુભાગસંક્રમ :- ) અહીં (૧) ભેદ (૨) રૂદ્ધક પ્રરૂપણા (૩) વિશેષલક્ષણ (૪) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રમાણ (૫) જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ (૬) સાઘાદિ પ્રરૂપણા અને (૭) સ્વામિત્વ પ્રરૂપણા એ સાત અનુયોગ દ્વાર છે. (૧) ભેદ - મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી અનુભાગસંક્રમ બે પ્રકારે છે, પુનઃ મૂળ પ્રકૃતિ અનુભાગસંક્રમ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિ અનુભાગસંક્રમ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે. (૨) સ્પર્તક પ્રરૂપણા - બંધ શતકમાં બતાવ્યા મુજબ બંધ આશ્રયી મતિજ્ઞાનાવરણીય વિગેરે ચા જ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાદિ ત્રણ દર્શનાવરણીય, પુરુષવેદ, ચાર સંજ્વલન અને પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓનો સ્થાન સંજ્ઞા આશ્રયી એકસ્થાનિક વગેરે ચારે પ્રકારનો રસ હોય છે અને શેષ એકસો ત્રણ પ્રકૃતિઓનો દ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક એમ ત્રણ પ્રકારનો રસ હોય છે, અને ઘાતીપણાને આશ્રયી સર્વઘાતી, પ્રકૃતિઓનો રસ સર્વઘાતી, દેશઘાતી પ્રકૃતિઓનો ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક સર્વઘાતી, ક્રિસ્થાનિક રસમાં કેટલાક સ્પર્ધકો દેશઘાતી અને કેટલાક સર્વઘાતી એમ મિશ્ર, અને એકસ્થાનિક રસ સ્પર્ધકો દેશઘાતી હોય છે. સમ્યકત્વમોહનીયનો રસ એકસ્થાનિક તેમજ જઘન્ય દ્વિસ્થાનિક અને દેશઘાતી હોય છે. મિશ્રમોહનીયનો રસ મધ્યમ દ્રિસ્થાનિક અને સર્વઘાતી હોય છે, અને અઘાતી પ્રકૃતિઓનો રસ અઘાતી હોવા છતાં સર્વઘાતી પ્રકૃતિઓના રસ સ્પર્ધકો સાથે ઉદયમાં આવે ત્યારે સર્વઘાતી પ્રકૃતિઓની સમાન ફળ બતાવે છે માટે સર્વઘાતી પ્રતિભાગા કહેવાય છે. (૩) વિશેષલક્ષણ :- વિવક્ષિત પ્રકૃતિના દલિકમાં રહેલ રસ ઓછો થવો તે અપવર્તનારસ વધવો તે ઉદવના તેમજ પતગ્રહ પ્રકૃતિના દલિકોના રસરૂપે પરિણમવો તે અન્ય પ્રકૃતિનયનરૂપ અનુભાગસંક્રમ છે. અહીં મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન હોવાથી ઉદ્વર્તન અને અપવર્ણના એ બે પ્રકારે અને ઉત્તર પ્રકૃતિઓમાં ત્રણ પ્રકારે અનુભાગસંક્રમ પ્રવર્તે છે. ' (૪) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રમાણ :- સત્તામાં રહેલ પ્રકૃતિઓનો વધારેમાં વધારે જેટલો રસ સંક્રમે તે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ અને ઓછામાં ઓછો જેટલો રસ સંક્રમે તે જઘન્ય અનુભાગસંક્રમ કહેવાય છે. ત્યાં સમ્યકત્વમોહનીયનો ઉત્કૃષ્ટ દ્રિસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે સ્થાન આશ્રયી દ્રિસ્થાનિક અને ઘાતી આશ્રયી દેશઘાતી એ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ છે. મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, આતપ અને મિશ્રમોહનીયનો જ્યારે સર્વોત્કૃષ્ટ દ્રિસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે સ્થાન આશ્રયી ક્રિસ્થાનિક અને ઘાતી આશ્રયી સર્વઘાતી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય છે. અહીં મનુષ્ય - તિર્યંચાયુ અને આતપનો ત્રિસ્થાનિક તથા ચતુઃસ્થાનિક રસ સત્તામાં હોવા છતાં તથા સ્વભાવે જ તેનો ઉદ્વર્તના - અપવર્તન તેમજ અન્ય પ્રકૃતિનયનરૂપ સંક્રમ થતો નથી માટે જ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ દ્રિસ્થાનિક બતાવેલ છે. શેષ સર્વે પ્રકૃતિઓનો જ્યારે સર્વોત્કૃષ્ટ ચતુઃસ્થાનિક રસનો સંક્રમ થાય ત્યારે સ્થાન આશ્રયી ચતુઃસ્થાનિક અને ઘાતી આશ્રયી સર્વઘાતી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ થાય છે. (૫) જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ :- સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, સંજવલન ચતુષ્ક એ છ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ સ્થાન આશ્રયી એકસ્થાનિક અને ઘાતીપણાને આશ્રયી દેશઘાતી છે, અર્થાત્ આ છ પ્રકૃતિઓનો જ્યારે જઘન્ય એકસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે જઘન્ય અનુભાગસંક્રમ કહેવાય છે, અને શેષ સર્વ પ્રકૃતિઓનો સ્થાન આશ્રયી ક્રિસ્થાનિક અને ઘાતીપણાને આશ્રયી સર્વઘાતી જઘન્ય અનુભાગસંક્રમ છે અર્થાતુ આ સઘળી પ્રવૃતિઓનો જ્યારે જઘન્ય દ્રિસ્થાનિક રસનો સંક્રમ થાય ત્યારે જઘન્ય અનુભાગસંક્રમ કહેવાય છે. જો કે મતિજ્ઞાનાવરણીય વગેરે સાત - દેશઘાતી આવરણો અને પાંચ અંતરાય એ બાર પ્રકૃતિઓનો બંધ આશ્રયી એક સ્થાનિક રસ બતાવેલ છે, પરંતુ તે પ્રકૃતિઓના જઘન્ય અનુભાગસંક્રમ વખતે પૂર્વબદ્ધ સત્તામાં રહેલ ક્રિસ્થાનિક રસ સ્પર્ધકોનો પણ સંક્રમ થાય છે, માટે જઘન્યથી પણ ક્રિસ્થાનિક અનુભાગસંક્રમ થાય છે પરંતુ એક સ્થાનિક નહીં. Jain Education Interational For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy