SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૫૭ (૬) સાધાદિ પ્રરૂપણા :- મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિ આશ્રયી સાઘાદિ ભંગનો વિચાર કરવાનો છે. ત્યાં પ્રથમ મૂળપ્રકૃતિ આશ્રયી કહે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે બે પ્રકારે હોવાથી એક એકના નવ - નવ કુલ સત્તાવીશ, મોહનીયનો અજઘન્ય અને આયુષ્યનો અનુત્કૃષ્ટ ચાર - ચાર પ્રકારે અને આ બન્ને કર્મના શેષ ત્રણ સંક્રમો બે-બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ એમ વીશ. વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ સંક્રમો બે-બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ એમ સત્તાવીશ. એ પ્રમાણે મૂળકર્મ આશ્રયી અનુભાગસંક્રમના કુલ ૭૪ ભાંગા થાય છે. ત્યાં જ્ઞાનાવરણીય વિગેરે ત્રણ કર્મોનો જધન્ય અનુભાગસંક્રમ બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે સમયમાત્ર થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે. શેષ સર્વકાળે આ ત્રણ કર્મોનો અજઘન્ય અનુભાગસંક્રમ હોય છે અને તે અભવ્યોને અનાદિ-ધ્રુવ અને ભવ્યોને કાલાંતરે વિચ્છેદ થવાનો હોવાથી અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. મોહનીયકર્મનો જઘુન્ય અનુભાગસંક્રમ ક્ષપક સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સમયમાત્ર થતો હોવાથી સાદિ અને અધ્રુવ છે અને શેષ કાળે અજઘન્ય હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશમશ્રેણિથી પડે ત્યારે અજઘન્ય અનુભાગસંક્રમની શરૂઆત કરે છે માટે સાદિ, ઉપરોક્ત સ્થાનને અથવા જઘન્ય અનુભાગસંક્રમના સ્થાનને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. ➖➖ આ ચારે કર્મોનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સંજ્ઞિ પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કર્યા પછી આવલિકા બાદ અંતર્મુહૂર્ત કાળ પર્યંત હોય છે અને શેષકાળે અનુત્કૃષ્ટ હોય છે. પુનઃ ઉત્કૃષ્ટ બંધ કરે ત્યારે આવલિકા બાદ ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ એમ વારાફરતી અનેકવાર થતા હોવાથી ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. અપ્રમત્ત ગુણસ્થાનકે દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કર્યા બાદ એક આવલિકા પછી અનુત્તર - વિમાનમાં સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સાધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ કરે છે માટે તે સાદિ અને અધ્રુવ છે, અને તે સિવાય શેષ સઘળો અનુભાગસંક્રમ અનુત્કૃષ્ટ છે તે અનુત્તર - વિમાનમાં એક આવલિકા બાકી રહે ત્યારે પ્રવર્તે છે. માટે સાદિ, અનુત્તર - વિમાનનું આયુષ્ય નહીં બાંધેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ચાર પ્રકારે હોય છે. આયુષ્યનો જઘન્ય અનુભાગ બંધ કરી બંધાલિકા બાદ સ્વ - સ્વ ભવમાં સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જધન્ય અને શેષ કાળે અજઘન્ય, એમ સંસારમાં વારંવાર થતા જઘન્ય અને અજઘન્ય બન્ને અનુભાગસંક્રમો સાદિ અને અધ્રુવ છે. વેદનીય, નામ અને ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ બારમા - તેરમા ગુણસ્થાનકે હોય છે, તે પ્રતિનિયત કાલ હોવાથી સાદિ - અધ્રુવ છે. તે સિવાય શેષ સર્વકાલે અનુત્કૃષ્ટ થાય છે. અને તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ, અને ભવ્યોને અધ્રુવ છે. આ ત્રણ કર્મોનો ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવોને જધન્ય અનુભાગસંક્રમ અને પુનઃ અધિક - ૨સ બાંધ્યા બાદ અથવા જ્યાં સુધી સત્તાગત ઘણા અનુભાગનો નાશ ન કરે ત્યાં સુધી અજઘન્ય અનુભાગસંક્રમ, એમ પ્રથમ ગુણસ્થાનકે એકેન્દ્રિયાદિ જીવોને વારંવાર થતા હોવાથી બન્ને સાદિ - અધ્રુવ છે. અનંતાનુબંધિ ચતુષ્ક, નવ નોકષાય, અને સંજ્વલન ચતુષ્ક આ સત્તર પ્રકૃતિઓનો અજધન્ય અનુભાગસંક્રમ ચાર પ્રકારે, શેષ ત્રણ સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના દસ-દસ, કુલ એકસોસીત્તેર. પાંચ જ્ઞાનાવરણીય, છ દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ સોળનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ એકસો ચુમ્માલીસ, ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરસ્રસંસ્થાન, શુભવિહાયોગતિ, તૈજસ-કાર્યણસપ્તક, શુભવર્ણાદિ અગિયાર, પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરુલઘુ, નિર્માણ અને સાતાવેદનીય એ છત્રીસ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy