SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૫૫ અધવ એમ બે પ્રકારે હોવાથી એક - એકના દશ - દશ એમ ૨૫૦, અને અધવસત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તા જ અધુવ હોવાથી જઘન્યાદિ ચારે સંક્રમો સાદિ - અધુવ, એમ બે-બે પ્રકારે હોવાથી એક- એકના આઠ - આઠ એમ ૨૨૪, આ પ્રમાણે સર્વે મળી ઉત્તર પ્રવૃતિઓના સ્થિતિસંક્રમ આશ્રયી કુલ ૧૪૧૯ ભાંગા થાય છે. આ દરેક પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષય વખતે સંક્રમને અંતે જઘન્ય સ્થિતિસંક્રમ એક સમય પ્રમાણ જ થતો હોવાથી સાદિ અને અધવ એમ બે પ્રકારે છે. તે સિવાયના કાળમાં જ્યારે સંક્રમ હોય છે, ત્યારે અજઘન્ય હોય છે, અને ચારિત્રમોહનીય સિવાય એકસો પાંચ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ યથાસંભવ બારમે અને તેરમે ગુણઠાણે થાય છે, અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી અજઘન્ય સ્થિતિસંક્રમની સાદિ થતી નથી, પરંતુ અભવ્યોને અનાદિકાળથી હોય છે માટે અનાદિ, અને તેઓને કોઇકાળે આનો અંત થતો ન હોવાથી ધ્રુવ, અને ભવ્યોને આગળ અંત થતો હોવાથી અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. ક્ષાયિક સમ્યકત્વી અગિયારમા ગુણઠાણાથી પડે ત્યારે ચારિત્રમોહનીયની પચ્ચીસ પ્રવૃતિઓના અજઘન્ય સ્થિતિસંક્રમની યથાસંભવ સાદિ થાય છે, અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્થાનને તેમજ અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને હંમેશા હોવાથી ધ્રુવ, અને ભવ્યોને કાલાંતરે વિચ્છેદ થતો હોવાથી અધ્રુવ.... એમ ચાર પ્રકારે હોય છે. વળી સંજ્ઞિ પંચેન્દ્રિય દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ અને ત્યાર બાદ અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અમુક - અમુક ટાઇમે થતો હોવાથી આ બન્ને સંક્રમો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે છે. અધવ સત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકતિઓની સત્તા જ અધવ હોવાથી તે પ્રકૃતિઓના જધન્યાદિ ચારે સંક્રમ સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે જ હોય છે. (૬) સ્વામિત્વ પ્રરૂપણા - બે પ્રકારે છે. (૧) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી (૨) જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી - જિનનામ, આહારકસપ્તક અને દેવાયુષ્ય વિના બધી પ્રવૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિય કરે છે, તેથી ઉપરોક્ત નવ અને ત્રણ દર્શનમોહનીય વિના શેષ બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી એક આવલિકા બાદ અને સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓનો તેની પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા બાદ બે આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. માટે આ સઘળી પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બહુલતાએ મિથ્યાદૃષ્ટિ સંજ્ઞિ પંચેન્દ્રિયો છે. અને અવિરત સમ્યગુદૃષ્ટિ દર્શનત્રિકના, જિનનામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા અવિરત સમ્યગુદષ્ટિ જિનનામ કર્મના, અપ્રમત્તમુનિ આહારકસપ્તકના, અને પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા પ્રમત્તમુનિ દેવાયુષ્યના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી છે. - જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી - ૫ જ્ઞાનાd, ૪ દર્શ૦, ૫ અંત, એ ચૌદ પ્રકૃતિઓના ૧૨ ગુણસ્થાનકવાળા, સમ્યકત્વમોહનીયના ચારેગતિના સમ્યગુદૃષ્ટિ, સંલોભનો ક્ષપક સુક્ષ્મસંપરાયવર્તી, અને ચારે આયુષ્યના સ્વ - સ્વગતિવર્તી જઘન્ય સ્થિતિસંક્રમ અને નિદ્રાદ્ધિકના ૧૨મા ગુણસ્થાનકવાળા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત બે આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે સર્વોપરિ સમય પ્રમાણ સ્થિતિની અપવર્તન કરી ઉદયાવલિકાના શરૂઆતના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે. અહીં વસ્તુ સ્વભાવ જ કારણ છે. | હાસ્યાદિ - ૬ અને પુરુષવેદ સંજ્વલન ક્રોધાદિ ૩ એ ૧૦ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કૃપક ૯માં ગુણઠાણાવર્તી જીવો છે. ૪ અનંતાનુબંધિના ચારગતિના સમ્યગુદૃષ્ટિ, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયના ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરનાર ૪ થી ૭ ગુણઠાણા સુધીના મનુષ્ય છે. | મધ્યમ ૮ કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક, સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્વિક, આતપદ્રિક એકેન્દ્રિયાદિ-૪ જાતિ સાધારણ નામકર્મ એ ૨૬ પ્રકૃતિઓના ક્ષેપક ૯મા ગુણઠાણાવાળા જીવો જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી છે. બાકીની ૯૪ પ્રકૃતિઓના સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે સર્વ - અપવર્ણના કરણથી અપવર્તન કરે ત્યારે અંતર્મુહર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ હોય ત્યારે તે જ તેના સ્વામી પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy