SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર કર્મપ્રકૃતિ ગયેલ છે એવા સત્તાગત કર્મ પ્રકૃતિઓની નિષેક રચના ચાલુ જ હોય છે. માટે જ બંધાવલિકા પછી ઉદયાવલિકા શરૂ થાય છે અને અધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓ સત્તામાં ન હોય પરંતુ જ્યારે નવો જ બંધ શરૂ થાય ત્યારે બંધાવલિકા વીત્યા બાદ તેઓની અબાધાકાળમાં પૂર્વબદ્ધ દલિક સત્તામાં ન હોવાથી ઉદયાવલિકા શરૂ થતી નથી. પણ પૂર્વબદ્ધ દલિક સત્તામાં હોય ત્યારે અધુવસત્તાવાળી પ્રવૃતિઓમાં પણ બંધાવલિકા વીત્યા બાદ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની જેમ ઉદયાવલિકા શરૂ. થઇ જાય છે. તેથી અહીં આ શંકાને અવકાશ નથી. ઉપર બતાવ્યા મુજબ બે આવલિકા ન્યુન બંધોસ્કૃષ્ટા પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમે ત્યારે સામાન્યથી સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એક આવલિકા ન્યૂન મૂળકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી થાય છે. દા.ત. અસત્કલ્પનાએ ઉપર બતાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન અઢાર આવલિકા પ્રમાણ નીચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ બધ્યમાન ઉચ્ચગોત્રમાં ઉદયાવલિકા ઉપર સંક્રમે ત્યારે અઢાર આવલિકા અને ઉચ્ચગોત્ર એક ઉદયાવલિકા મળી કુલ ઓગણીશ આવલિકા પ્રમાણ ઉચ્ચગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય અને તે પોતાના મૂળકર્મની અસત્કલ્પનાએ કલ્પેલ વીસ આવલિકા પ્રમાણ સ્થિતિબંધથી એક આવલિકા ન્યૂન છે. જઘન્ય સ્થિતિસંક્રમ અને ઉદ્ધવના સંક્રમ સિવાય વિવલિત સ્થિતિસ્થાનમાં રહેલ દલિકો નિષેક રચનામાં ફેરફાર થયા વિના પતગ્રહ પ્રકૃતિના સ્થિતિસ્થાન રૂપે પરિણામ પામે છે. માટે જ સંક્રમ્સમાણ પ્રકૃતિ અને બધ્યમાને પ્રકૃતિ એ બન્નેની ઉદયાવલિકા એક સાથે જ શરૂ થાય છે અને ઉદયાવલિકામાં રહેલ દલિકોનો સંક્રમ થતો ન હોવાથી ઉદયાવલિકાના ઉપરના દલિકોનો સંક્રમ પતગ્રહ પ્રકૃતિની ઉદયાવલિકામાં થતો નથી. કેમકે તેમ થાય તો સ્થિતિસ્થાનોનો ફેરફાર થાય. માટે પતઘ્રહ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમ થાય છે તેમ કહ્યું છે. ઉપર કહ્યા પ્રમાણે સ0મોહનીય મિશ્રમોહનીય, જિનનામ અને આહારકસપ્તક વિના શેષ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યુન હોય છે અને સંક્રમાવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની એટલે કુલ ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધ શરૂ થયેલ પતટ્ઠહ રૂપ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર થાય છે. દાત) અસત્કલ્પનાએ ઉપર ગોત્રકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વીસ આવલિકાનો બતાવી ઉચ્ચગોત્રની એક આવલિકા ન્યૂન અર્થાતુ ઓગણીશ આવલિકા પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા બતાવી છે, અને તે ઉચ્ચગોત્રની સંક્રમાવલિકા પૂર્ણ થયા બાદ તે સંક્રમને યોગ્ય થાય. પરંતુ ઉદયાવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાથી સંક્રમાવલિકા અને ઉદયાવલિકા રહિત શેષ સત્તર આવલિકા પ્રમાણ ઉચ્ચગોત્રનો સંક્રમ, બધ્યમાન નીચગોત્ર રૂપ પતઘ્રહમાં થાય છે. સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીયનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ એ આવલિકા અને અંતર્મુહુર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે, કારણકે સમ્યક્ત્વ પામે ત્યારે અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની એટલે એક આવલિકા અને અંતર્મુહર્ત ન્યૂન મિથ્યાત્વ મોહનીયની સ્થિતિનો સંક્રમ મિશ્ર અને સમ્ય) મોહનીયમાં ઉદયાવલિકાની ઉપર થાય છે. તેથી તે સમયે મિશ્ર ને સમ્યકત્વમોહનીયની ઉદયાવલિકા ઉમેરતાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય અને સંક્રમાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની એટલે બે આવલિકા અને અંતર્મુહૂર્ત ન્યૂન સમ્યક્ત્વમોહનીયની સંપૂર્ણ સ્થિતિનો અપવર્તના સંક્રમ અને મિશ્રમોહનીયનો અપવર્તના સંક્રમ તેમજ સમ્યકત્વ મોહનીયમાં પણ સંક્રમ થાય છે. | તીર્થંકર નામકર્મ અને આહારકસપ્તકના બંધકો ક્રમશઃ સમ્યગુદૃષ્ટિઓ અને અપ્રમત્તાદિ મુનિઓ છે. અને તે વખતે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ આ આઠેય પ્રકૃતિઓનો સ્થિતિબંધ થાય છે, પરંતુ સ્થિતિબંધ કરતાં નામકર્મની અન્ય પ્રકૃતિઓની સ્થિતિસત્તા આ ગુણસ્થાનકોમાં સંખ્યાતગુણ અતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ હોય છે. માટે બધ્યમાન એવી આ પ્રવૃતિઓમાં અન્ય પ્રવૃતિઓનો સંક્રમ થવાથી આ પ્રવૃતિઓની ઉપસ્થિતિમત્તા થાય છે. તેથી બંધાત્કૃષ્ટા નથી પરંતુ સંક્રમોત્કૃષ્ટા છે. અને સત્તા કરતાં આ આઠ પ્રકૃતિઓનો બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. .સમ્યગુદૃષ્ટિને પણ શરૂઆતમાં અંતર્મુહુર્ત સુધી કંઇક ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ નામકર્મની અન્ય પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. માટે સંક્રમ દ્વારા આ પ્રવૃતિઓની બીજી પ્રવૃતિઓની જેમ કંઇક ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેમ ન થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy