SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૫૩ ઉત્તર :- તેવી ઉ0 સ્થિતિસત્તાવાળા સમ્યગુદૃષ્ટિ જીવો આ પ્રકતિઓનો બંધ કરતાં જ નથી, પરંતુ અત:કોડાકોડી સાગરોપમની સત્તા થયા પછી જ આ પ્રકૃતિઓનો બંધ શરૂ થાય છે. માટે આ શંકાને સ્થાન નથી. સંક્રમ વખતે વિવણિત પ્રકૃતિઓની જેટલી સ્થિતિસત્તા હોય તે સ્થિતિ કહેવાય છે. અને તે બંધાત્કા તેમજ સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની સંક્રમ્સમાણ સ્થિતિથી એક આવલિકા અધિક છે. તેથી ચાર આયુષ્ય તથા મિથ્યાત્વમોહનીય વિના ૯૨ બંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓની એક આવલિકા ન્યૂન અને મિથ્યાત્વમોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ સ્થિતિ હોય છે... દેવ - નરક આયુષ્યની તથા મનુષ્ય - તિર્યંચાયુષ્યની સ્થિતિ બંધાવલિકા ન્યૂન પૂર્વક્રોડના ત્રીજાભાગ રૂ૫ અબાધાકાળ સહિત ક્રમશઃ ૩૩ સાગરોપમ અને ૩ પલ્યોપમ હોય છે. તથા સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયની એક આવલિકા અને અંતર્મુહુર્ણ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ, તીર્થંકર નામકર્મ તથા આહારકસપ્તકની સત્તાગત અતઃ કોડાકોડી સાગરોપમથી એક આવલિકા ન્યુન અને શેષ એકાવન સંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રમાણ સંક્રમ વખતે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અર્થાત્ સ્થિતિ હોય છે. (૪) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ :- અપવર્ણના અને ઉદ્વર્તના સંક્રમ આની પછી સ્વતંત્ર કહેવામાં આવશે, તેથી આ કરણમાં મુખ્યતાએ અન્યપ્રકૃતિનયનરૂપ સંક્રમનો વિષય છે. તો પણ મિથ્યાત્વમોહનીય વિના જે પ્રકૃતિઓનો અન્યપ્રકૃતિનયન સ્વરૂપે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમથી ઉત્કૃષ્ટ અપવર્તના સ્થિતિસંક્રમ વધારે થતો હોય તે પ્રકૃતિઓના અને જે પ્રકૃતિઓનો અન્યપ્રકૃતિમનરૂ૫ જઘન્ય સ્થિતિસંક્રમથી અપવર્નના જઘ0 સ્થિતિસંક્રમ ઓછો થતો હોય તે પ્રકતિઓના અન્યપ્રકૃતિનયન સ્થિતિસંક્રમના પ્રમાણને બદલે અપવર્તના સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવ્યા છે. અને જે પ્રકૃતિઓનો અપવર્તનાની સમાન જ અન્યપ્રકૃતિનયનરૂપ ઉત્કૃષ્ટ અથવા જઘo સ્થિતિસંક્રમ થતો હોય તે પ્રકૃતિઓના અપવર્તનાને બદલે અન્ય પ્રકૃતિનયનરૂપ સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવ્યા છે. જેમ સમ્યકત્વમોહનીયનો અન્યપ્રકૃતિનયન સ્થિતિસંક્રમ અપવર્નના સ્થિતિસંક્રમથી ઓછો અને પહેલે ગુણસ્થાનકે થાય છે. પરંતુ તેના બદલે અપવર્તના સ્થિતિસંક્રમ તેનાથી પણ વધારે અને ચોથે ગુણઠાણે થાય છે તેથી પહેલાના બદલે ચોથા ગુણઠાણે અપવર્નના સ્થિતિસંક્રમ આશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બતાવ્યા છે. તથા ચોથા ગુણસ્થાનકે મિશ્રમોહનીયનો અપવર્તના સ્થિતિસંક્રમ અને અન્ય પ્રકૃતિનયન સંક્રમ સમાન હોવાથી ત્યાં બેમાંથી ગમે તે સંક્રમ આશ્રયી ચોથે ગુણઠાણે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી ઘટી શકે. - તેજ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે અપવર્તના દ્વારા હાસ્યષકની સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિ કરી એકી સાથે સંજ્વલન ક્રોધાદિકમાં સંક્રમાવે છે માટે હાસ્યષકનું અન્યપ્રકૃતિનયન જઘન્ય સ્થિતિસંક્રમનું પ્રમાણ બતાવેલ છે. પરંતુ મતિજ્ઞાનાવરણીય વિગેરે કેટલીક પ્રવૃતિઓનો અન્યપ્રકૃતિનયનરૂપ જઘ0 સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, અને બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ઉપરની એક સમય પ્રમાણ સ્થિતિનો જઘ0 અપવર્તના સ્થિતિસંક્રમ થાય છે. માટે મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓના જઘન્ડ સ્થિતિસંક્રમના સ્વામી અને પ્રમાણ અન્યપ્રકૃતિનયન જઘ૦ સ્થિતિસંક્રમના બદલે અપવર્નના જઘo સ્થિતિસંક્રમને આશ્રયી બતાવ્યા છે. ત્યાં પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, ચાર આયુષ્ય, નિદ્રા – પ્રચલા, સમ્યકત્વમોહનીય, સંજ્વલન લોભ, બે વેદનીય, ગોત્રદ્ધિક અને સ્થાવરદ્રિકાદિ તેર વિના શેષ નામકર્મની નેવું એમ કુલ ૧૧૬ પ્રકૃતિઓનું અપવર્નનાની અપેક્ષાએ અને તે સિવાયની ૪૨ પ્રકૃતિઓનું અન્યપ્રકૃતિનયન સંક્રમની અપેક્ષાએ જઘન્ય સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવવામાં આવેલ છે. અને આ બન્ને પ્રકારનો જઘન્ય સ્થિતિસંક્રમ ઉદયાવલિંકામાં જ થાય છે, પરંતુ ઉદયાવલિકાની બહાર થતો નથી. પાંચ જ્ઞાના, ચાર દર્શના, ૫ અંત, નિદ્રાદ્ધિક સમ્યકત્વમોહનીય, સંજ્વલન લોભ અને ૪ આયુ0 નો પોત પોતાના ક્ષય વખતે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ઉપરની સમય પ્રમાણ સ્થિતિને ઉદયાવલિકાના શરૂઆતના સમયાધિક ત્રીજા ભાગની અંદર સંક્રમાવે છે. ત્યારે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. ક્ષપક - નવમા ગુણઠાણે હાસ્યષકના ચરમ પ્રક્ષેપ વખતે સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિની અપવર્ણના કરી સંજ્વલન ક્રોધની ઉદયાવલિકામાં સંક્રમાવે ત્યારે સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. અને એ જ જીવ બંધવિચ્છેદ સમયે બંધાયેલ પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણના અબાધાકાળમાં પૂર્વબદ્ધ દલિક ન હોવાથી અનુક્રમે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy