SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૫૧ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, અસાતાવેદનીય, મિથ્યાત્વ, સોળકષાય, ચાર આયુષ્ય, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયજાતિ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, તેજસ - કાર્મણસપ્તક, સેવાર્ત સંહનન, હુડક સંસ્થાન, નીલવર્ણ અને કટુરસ વિના શેષ અશુભ વર્ણાદિ સાત, અપ્રશસ્ત વિહાયોગતિ, તીર્થંકરનામ વિના સાત પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રણચતુષ્ક, સ્થાવર, અસ્થિરષદ્ધ, નીચગોત્ર અને પાંચ અંતરાય એમ સત્તાણું છે. જે પ્રકૃતિઓનો સ્થિતિબંધ પોતાના મૂળકર્મથી ઓછો હોય તે સંક્રમોત્કૃષ્ટા કહેવાય છે. અને તેવી પ્રવૃતિઓ બાકીની એકસઠ છે. તેમજ મતાન્તરે વર્ણચતુષ્કના વીસેય પેટાભેદો બંધોસ્કૃણ માનીએ તો કુલ ..... બંધોત્કૃષ્ટ ૧૧૦, અને સંક્રમોત્કૃષ્ટા શેષ ૪૮ છે. જો કે પંચસંગ્રહના પ્રથમ ભાગના ત્રીજા દ્વારમાં ચારે આયુષ્યને બંધોસ્કૃષ્ટા કહ્યા નથી, કેમકે મનુષ્ય અને તિર્યંચ આયુષ્યનો સ્થિતિબંધ મૂળકર્મ જેટલો નથી અને દેવ તથા નરક આયુષ્યનો સ્થિતિબંધ મૂળકર્મની સમાન ૩૩ સાગરોપમ બંધોસ્કૃષ્ટા હોવા છતાં પ્રયોજનના અભાવે તેમાં ગણી નથી, પણ પરમાર્થથી આ બે પ્રકૃતિઓ બંધોત્કૃષ્ટ છે, એમ ટીકાકારે બતાવેલ છે. પરંતુ આયુષ્ય કર્મની કોઇપણ પ્રકૃતિમાં અન્ય પ્રકૃતિનો સંક્રમ થતો ન હોવાથી તેની સ્થિતિ બંધ જેટલી જ રહે છે. માટે અહીં બંધોસ્કૃષ્ટ કહી છે. બંધાવલિકા અને સંક્રમાવલિકામાં કોઇપણ કરણ લાગતું નથી. તેથી કોઇપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બંધાવલિકા વીત્યા પછી તેનો સંક્રમ થઇ શકે પરંતુ બંધાવલિકા વીત્યા પછી રસોદય અથવા પ્રદેશોદય રૂપે તે - તે કર્મ ઉદયમાં ચાલું જ હોય છે. અને ઉદય સમયથી આરંભી એક આવલિકાના અંતર્ગત રહેલ સ્થિતિસ્થાનોને ઉદયાવલિકા કહેવાય છે. અને તે ઉદયાવલિકાગત સ્થિતિસ્થાનોમાં રહેલ કર્મને પણ કોઇ કરણ લાગતું નથી, તેથી બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉદયાવલિકા ઉપરની સંપૂર્ણ સ્થિતિ બધ્યમાન તેના પતટ્ઠહરૂ૫ પ્રકૃતિમાં ઉદયાવલિકાની ઉપર સંક્રમે છે. દાતo બંધોસ્કૃષ્ટા નીચગોત્રની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમને બદલે અસત્કલ્પનાએ ૨૦ આવલિકા અને ઉચ્ચગોત્રની ૧૦ કોડાકોડી સાગરોપમને બદલે ૧૦ આવલિકાની કલ્પીએ . તો ૨૦ આવલિકા પ્રમાણ નીચગોત્રનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી, તેની બંધાવલિકા વ્યતીત થયા પછી ૧૯ આવલિકા પ્રમાણ સ્થિતિ રહે ત્યારે સંક્રમને યોગ્ય થાય પરંતુ શરૂ થયેલ ઉદયાવલિકામાં પણ કોઇ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકાની ઉપરની ૧૮ આવલિકા પ્રમાણ સ્થિતિને, તે વખતે બંધ શરૂ થયેલ ઉચ્ચગોત્રમાં ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. તેથી મિથ્યાત્વ વિના બંધોસ્કૃષ્ટા દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ બંધાવલિકા અને ઉદયાવલિકા રૂ૫ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો થાય છે. મિથ્યાત્વમોહનીયનો આવલિકા અધિક અંતર્મુહુર્ત ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે, કારણકે મિથ્યાત્વ ગુણઠાણે અતિસંકિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી જ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે પણ તે પહેલાં નહીં. તેથી સમ્યકત્વ પામે ત્યારે અંતર્મુહૂર્ણ ન્યૂન મિથ્યાત્વની જે ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છેતેમાંથી ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિ મિશ્ર અને સમ્યકત્વમોહનીયની ઉદયાવલિકાની ઉપર સંક્રમાવે છે. અને ચારે આયુષ્યનો પરસ્પર સંક્રમ ન હોવાથી તેમજ બધ્યમાન આયુષ્યના અબાધાકાળમાં વિવક્ષિત આયુષ્યના દલિકો પણ ન હોવાથી તથા ઉદય વિના પણ બંધાવલિકા પછી નિર્માઘાત ભાવિની અપવર્ષાના અને બંધ વખતે ઉદ્વર્તન થાય છે, માટે સ્વસંક્રમની અપેક્ષાએ દેવ - નરક આયુષ્યનો ૩૩ સાગરોપમ અને મનુષ્ય - તિર્યંચ આયુષ્યનો ૩ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. શંકા :- તત્કાળ બંધાયેલ કર્મમાં અમુક વર્ષો પ્રમાણ અબાધાકાળ હોય છે તો અબાધાકાળમાં દલિક રચના ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદયાવલિકા કેવી રીતે શરૂ થાય ? ઉત્તર :- જે વખતે જે કર્મ બંધાય તે વખતે પૂર્વબદ્ધ તે કર્મ સર્વથા સત્તામાં ન જ હોય, તો જ આ શંકા બરાબર છે, પરંતુ ધ્રુવસત્તાવાળી પ્રકૃતિઓની હંમેશા સત્તા હોવાથી અને મિથ્યાત્વ અવસ્થામાં તે કર્મોનો યથાસંભવ હંમેશા બંધ ચાલુ હોવાથી નવીન કર્મ બંધાય ત્યારે તે નવીન કર્મના અબાધાસ્થાનોમાં પણ પૂર્વબદ્ધ અને જેનો અબાધાકાળ વીતી For Personal Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy