SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૪૩ સંજ્વલન માયાની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે તે અપગ્રહ થાય છે, તેથી સંમાયા વિના શેષ ત્રણના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી સાતનો અને અપ્રત્યા - પ્રત્યા... એ બે માયાનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી શેષ પાંચનો અને સંજ્વમાયાનો ઉપશમ થાય ત્યારે અંતર્મુહૂર્ત સુધી શેષ ચારનો સંક્રમ થાય છે. સંજ્વ, લોભની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિ બાકી રહે ત્યારે તે પણ અપતટ્ઠહ થવાથી અપ્રત્યા અને પ્રત્યા, લોભનો તેમાં સંક્રમ થતો નથી માટે તે સમયથી અગિયારમા ગુણસ્થાનક સુધી મિશ્ર અને સમ્યકત્વમોહનીય એ બેમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બેનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો :- ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિ આશ્રયી સંક્રમ અને પતગ્રહસ્થાનો ઉપર પ્રમાણે જ હોય છે. માત્ર દર્શનત્રિક સત્તામાં ન હોવાથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય રૂ૫ બે પ્રકૃતિઓ પતઘ્રહમાં અને મિથ્યાત્વ તથા મિશ્ર એ બે પ્રકૃતિઓ સંક્રમમાં ન હોવાથી દરેક પતટ્ઠહ અને સંક્રમસ્થાનોમાં બે - બે પ્રકૃતિઓ ઓછી લેવી. ચાર સંજવલન અને પુરુષવેદ એ પાંચના પતઘ્રહમાં અંતરકરણ ન કરે ત્યાં સુધી ૨૧, અંતરકરણ કર્યા પછી સં લોભ વિના ૨૦; નપુંસકવેદના ઉપશમ પછી ૧૯, સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮, એ ચાર સંક્રમસ્થાનો હોય છે. પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે તે અપગ્રહ થવાથી શેષ ચારના પતંગ્રહમાં સમયોન બે આવલિકા કાળ સુધી ૧૮, હાસ્યષકનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા કાળ સુધી ૧૨, અને પુરુષવેદનો ઉપશમ થયા પછી અંતર્મુહૂર્ત સુધી ૧૧, એ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. સંજ્વલન ક્રોધ અપતટ્ઠહ થાય ત્યારે શેષ ત્રણમાં સમયોન બે આવલિકા સુધી ૧૧નો, અપ્રત્યા પ્રત્યા, બે ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૯નો, અને સંજ્વક્રોધનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૮નો સંક્રમ હોય છે. સંવમાન અપગ્રહ થાય ત્યારે સંમાયા અને લોભ એ બેના પતિદ્રગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૮નો, અપ્રત્યા પ્રત્યા માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૬નો, અને સંવમાનનો ઉપશમ થયા બાદ અંતર્મુહુર્ત સુધી પનો સંક્રમ હોય છે. - સંમાયા અપતટ્ઠહ થાય ત્યારે સંલોભ રૂ૫ એકના પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી પનો, અપ્રત્યા) પ્રયા) એ બે માયા ઉપશમ્યા પછી સમયોન બે આવલિકા સુધી ત્રણનો અને સંમાયાનો ઉપશમ થયા બાદ અંતર્મુહુર્ત સુધી બેનો સંક્રમ હોય છે. અને નવમાં ગુણસ્થાનકનો સમયોન બે આવલિકા કાળ બાકી રહે ત્યારે સંલોભ પણ અપગ્રહ થવાથી મોહનીયની કોઇ પણ પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. ક્ષપકશ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો:- ચાર સંજ્વલન અને પુરુષવેદ એ પાંચના પતગ્રહમાં મધ્યમ આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧ અને આઠ કષાયનો ક્ષય થયા બાદ ૧૩, અંતરકરણ કર્યા પછી સંdલોભનો સંક્રમ ન હોવાથી શેષ ૧૨, નપુંસકવેદના ક્ષય પછી ૧૧, સ્ત્રીવેદના ક્ષય પછી ૧૦, એ પાંચ સંક્રમસ્થાનો હોય છે. પુરુષવેદની પ્રથમસ્થિતિ સમયોન બે આવલિકા રહે ત્યારે પુરુષવેદ અપતટ્ઠહ થવાથી શેષ ચાર સંવલન રૂપ પતઘ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૦નો સંક્રમ હોય છે. અને હાસ્યષક્નો ક્ષય થયા બાદ પુરુષવેદ અને સંક્રોધાદિ ત્રણ એ ચારનો સંક્રમ સમયોન બે આવલિકા સુધી ચારના પતઘ્રહમાં થાય છે. તેમજ હાસ્યષકના ક્ષય પછી સમયોન બે આવલિકા કાળે પુરુષવેદનો સંપૂર્ણ ક્ષય થઇ જાય છે. તેથી સંક્રોધમાં સંક્રમવા યોગ્ય કોઇપણ પ્રકૃતિ રહેતી નથી. કારણકે અંતરકરણ કર્યા પછી સંક્રોધાદિ ચારનો સંક્રમ અનુક્રમે જ થાય છે, માટે પુરુષવેદના ક્ષય સાથે જ સંક્રોધની પતદ્મહતા નષ્ટ થઇ જાય છે. એજ પ્રમાણે હવે પછી પણ ક્રોધાદિનો ક્ષય થાય ત્યારે માનાદિકમાં સંક્રમવા યોગ્ય કોઇ પ્રકૃતિ ન રહેવાથી સંક્રોધના ક્ષયની સાથે જ સંમાનની, સંવમાનના ક્ષયની સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy