SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ થયા બાદ માત્ર મિથ્યાત્વ અને મિશ્ર એ બેનો સંક્રમ હોય છે અથવા ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાનો ઉપશમ થાય ત્યારે માત્ર અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય એ બે લોભનો સંક્રમ હોય છે, અને ક્ષપકશ્રેણિમાં પણ સંજ્વલન ક્રોધનો ક્ષય થયા પછી બેનો સંક્રમ હોય છે. અને ક્ષપકશ્રેણિમાં પણ સંજ્વલન માનનો ક્ષય થયા પછી માત્ર એક સંજ્વલન માયાનો સંક્રમ હોય છે. ૪૪૧ ઉપરોક્ત સંક્રમસ્થાનોમાં સાદ્યાદિ વિચાર :- તેમાં સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયની ઉલના કર્યા બાદ પચીસનો સંક્રમ શરૂ થાય માટે સાદિ, સમ્યક્ત્વ ન પામેલ જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ, અને ભવ્યને અધ્રુવ એમ પચ્ચીસનો સંક્રમ ચાર પ્રકારે છે, અને બાકીના બાવીશ સંક્રમસ્થાનો કોઇક વખતે હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. પતહસ્થાનોમાં સાદ્યાદિ વિચાર :- મોહનીયકર્મના ૨૨, ૨૧, ૧૭, ૧૩, ૯, ૫, ૪, ૩, ૨, ૧. એ દશ બંધસ્થાનો છે, અને બંધસ્થાન કરતાં આઠ પતગ્રહસ્થાનો અધિક છે. એ વાત પ્રથમ કહેવાઇ ગયેલ હોવાથી ૮, ૧૨, ૧૬, ૨૦, અને૨૩ થી ૨૮ વર્જી શેષ ૨૨, ૨૧, ૧૯, ૧૮, ૧૭, ૧૫, ૧૪, ૧૩, ૧૧, ૧૦, ૯, ૭, ૬, ૫, ૪, ૩, ૨, ૧. પ્રકૃતિરૂપ કુલ ૧૮ પતગ્રહસ્થાનો છે. તેમાં સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વ ગુણઠાણે આવી સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયની ઉદ્વલના કર્યા બાદ મિથ્યાત્વ કોઇનો પતગ્રહ ન હોવાથી એકવીશ પ્રકૃતિના પતંગ્રહની સાદિ, સમ્યક્ત્વ ન પામેલા જીવને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોવાથી ૨૧નો પતઙ્ગહ ચાર પ્રકારે છે. શેષ ૧૭ પતગ્રહસ્થાનો અમુક નિયત ટાઇમે હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. મોહનીયના પતહમાં સંક્રમસ્થાનો :- હવે કયા કયા પતગ્રહમાં કેટલા અને કયા કયા સંક્રમસ્થાનો હોય છે તે બતાવે છે. ત્યાં અઠ્ઠાવીસની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીશ પ્રકૃતિઓ બંધાતી બાવીસ પ્રકૃતિઓમાં સંક્રમે છે અને સમ્યક્ત્વમોહનીયની ઉર્દૂલના થયા પછી એજ સત્તાવીશની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને સમ્યક્ત્વ અને મિથ્યાત્વ વિના શેષ છવ્વીસનો સંક્રમ બાવીસમાં થાય છે. તેમજ મિશ્રમોહનીયની ઉલના કરેલ અથવા અનાદિ મિથ્યાદ્દષ્ટિ છવ્વીસની સત્તાવાળાને મિથ્યાત્વ વિના શેષ પચ્ચીસનો સંક્રમ મિથ્યાત્વ કોઇનું પતગ્રહ ન હોવાથી તે વિના પ્રથમ ગુણઠાણે બંધાતી એકવીશના પતગ્રહમાં થાય છે. ચોવીસની સત્તાવાળા સમ્યગ્દષ્ટિ પ્રથમ ગુણઠાણે આવે ત્યારે અનંતાનુબંધિને બાંધવા છતાં પ્રથમ આવલિકામાં કોઇ કરણ લાગતું ન હોવાથી અઠ્ઠાવીસની સત્તા હોવાછતાં અનંતાનુબંધિ ચાર અને મિથ્યાત્વ વિના શેષ ત્રેવીસનો સંક્રમ બાવીસમાં થાય છે. એમ પ્રથમ ગુણસ્થાનકે બાવીસના પતગૃહમાં ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ સંક્રમસ્થાનો સંક્રમે છે અને એકવીસના પતગ્રહમાં પચ્ચીસનો સંક્રમ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનકે અઠ્ઠાવીસની સત્તા હોવા છતાં દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી શેષ પચ્ચીસનો સંક્રમ બંધાતી એકવીસ પ્રકૃતિઓમાં થાય છે. અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા મિશ્રદષ્ટિને દર્શનમોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ પચ્ચીસ પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધાતી સત્તર પ્રકૃતિરૂપ પતગ્રહમાં પડે છે અને ચોવીસની સત્તાવાળાને દર્શનત્રિક વિના શેષ એકવીસ પ્રકૃતિઓ સત્તરમાં સંક્રમે છે. ચોથા ગુણસ્થાનકે કયા કયા પતહોમાં કયા કયા સંક્રમસ્થાનો હોય છે તે કહે છે. - આ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય, ભય અને જુગુપ્સા, એક યુગલ તથા પુરુષવેદ એમ બંધાતી સત્તર તેમજ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીય સહિત કુલ ઓગણીસના પતઙ્ગહમાં અઠ્ઠાવીસની સત્તાવાળાને સમ્યક્ત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી શેષ સત્તાવીસનો અને ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની અત્યંતર આવલિકામાં રહેલ જીવને મિશ્રમોહનીયનો સંક્રમ ન હોવાથી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય વિના શેષ છવ્વીસ પ્રકૃતિઓનો તેમજ ચોવીસની સત્તાવાળાને ચાર અનંતાનુબંધિ અને સમ્યક્ત્વમોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy