SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ કર્મપ્રકૃતિ ચોવીસની સત્તાવાળા સમ્યગુદૃષ્ટિ પટેલે ગુણઠાણે જાય ત્યારે પ્રથમ બંધાવલિકામાં અનંતાનુબંધિનો સંક્રમ ન હોવાથી અને મિથ્યાત્વમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી શેષ ત્રેવીસ પ્રકતિઓનો સંક્રમ થાય છે અથવા ચોવીસની સત્તાવાળા સમ્યગુદષ્ટિને સખ્યત્વમોહનીય વિનો શેષ ત્રેવીસનો સંક્રમ થાય છે. ચોવીસની સત્તાવાળા મનુષ્યને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય કર્યા બાદ ત્રેવીસની સત્તા થાય ત્યારે સમ્યકત્વમોહનીય તથા મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી શેષ બાવીસનો સંક્રમ થાય અથવા ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અંતકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી તથા સમ્યકત્વમોહનીયનો પણ સંક્રમ ન હોવાથી શેષ બાવીસનો સંક્રમ થાય છે. બાવીસની સત્તાવાળા ક્ષયોપશમ સમ્યગુદૃષ્ટિને દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી શેષ એકવીસનો અને ક્ષાયિક સમ્યગદષ્ટિને પણ એકવીસનો સંક્રમ થાય છે, તેમજ ચોવીસની સત્તાવાળા મિશ્રદૃષ્ટિને પણ દર્શનત્રિક વિના એકવીસનો સંક્રમ થાય છે અને ૨૪ ની સત્તાવાળા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને પણ દર્શનત્રિક વિના૨૧ નો સંક્રમ હોય છે, પંચસંગ્રહમાં સાસ્વાદને ૨૧ નો સંક્રમ કહ્યો નથી, અથવા ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે એકવીશની સત્તાવાળાને આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાંસુધી એકવીશનો સંક્રમ હોય છે, અથવા ઉપશમ સમ્યગુદષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા બાદ નપુંસકવેદનો ઉપશમ થયા પછી તેનો, સંજ્વલન લોભ અને સમ્યક્વમોહનીય એ ત્રણનો સંક્રમ ન હોવાથી શેષ એકવીશ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. એ જ જીવને સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી પૂર્વોક્ત ત્રણ અને સ્ત્રીવેદ આ ચાર વિના શેષ વીસનો સંક્રમ થાય છે, અથવા ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી તે વિના શેષ વીસનો સંક્રમ થાય છે, અને એજ જીવને નપુંસકવેદનો ઉપશમ થાય ત્યારે ઓગણીસનો અને સ્ત્રીવેદનો ઉપશમ થાય ત્યારે સંજ્વલન લોભ, નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના શેષ અઢારનો સંક્રમ થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષર્કનો ઉપશમ થયા બાદ પુરુષવેદ વિના આઠ નોકષાય, ચાર અનંતાનુબંધિ, સંજ્વલનલોભ અને સમ્યકત્વમોહનીય એ ચૌદ વિના શેષ ચૌદ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. એજ જીવને પુરુષવેદનો ઉપશમ થયા બાદ તેરનો સંક્રમ થાય છે અથવા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય થયા પછી તેનો અને એને જ અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભ વિના શેષ બારનો સંક્રમ થાય છે અથવા ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ પુરુષવેદ વિના આઠ નોકષાય અને સંજ્વલન લોભ એ નવ વિના શેષ બારનો સંક્રમ થાય છે. ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યારે અગિયારનો અથવા ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં પુરુષવેદનો ઉપશમ થાય ત્યારે અગિયારનો તેમજ ક્ષપકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થાય ત્યારે પણ અગિયારનો સંક્રમ થાય છે ' ઉપશમ સમ્યકત્વને ઉપશમશ્રેણિમાં સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય ત્યારે દસનો અથવા ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે દસનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યારે નવનો અને તેજ જીવને સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય ત્યારે આઠનો સંક્રમ થાય છે. તેમજ ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય ત્યારે પણ આઠનો સંક્રમ હોય છે અને તે જ જીવને સંજ્વલન માનનો ઉપશમ થાય ત્યારે સાતનો સંક્રમ હોય છે. ક્ષયિક સમ્યગુદૃષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માન ઉપશમે ત્યારે છનો સંક્રમ થાય છે અને તે જ જીવને સંજવલનમાન ઉપશમે ત્યારે પાંચનો સંક્રમ થાય છે, અથવા ઉપશમ સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ થાય ત્યારે પાંચનો અને તે જ જીવને સંજ્વલન માયાનો ઉપશમ થાય ત્યારે ચારનો અથવા ક્ષપકશ્રેણિમાં હાસ્યષકનો ક્ષય થાય ત્યારે પણ ચારનો સંક્રમ હોય છે. ક્ષાયિક સમ્યકત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય એ બે માયા ઉપશમે ત્યારે ત્રણનો અથવા ક્ષપકશ્રેણિમાં પુરુષવેદનો ક્ષય થયા પછી ત્રણનો સંક્રમ હોય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy