SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ -: અથ અષ્ટકર્મનું સ્વરૂપ :એ પ્રમાણે ભગવાનના ચાર અતિશય વર્ણવ્યા છે. ચાર અતિશયથી યુક્ત એવા પ્રકારના પ્રભુને વંદન કરીને આઠ કર્મના બંધ, સંક્રમાદિના કારણભૂત આઠ કરણ, ઉદય સત્તાને હું કહીશ. ત્યાં આઠ કર્મનું સ્વરૂપ બહુ ઉપયોગી છે. માટે પંચસંગ્રહ અનુસાર ભેદ – ઉત્તરભેદ સહિત લખાય છે. આઠ કર્મના નામઃ- (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર, (૮) અંતરાય. આ આઠ કર્મની મૂળ પ્રકૃતિ છે. (૧) જ્ઞાનાવરણકર્મ :- સામાન્ય વિશેષ રૂ૫ બે પ્રકારે વસ્તુનો બોધ હોય છે, તેમાં વિશેષ ગ્રહણ સ્વરૂપ બોધ તે જ્ઞાન અને તે આવરણ કરાય છે, ઢંકાય છે, જેના વડે તે જ્ઞાનાવરણકર્મ કહેવાય છે. (૨) દર્શનાવરણકર્મ :- સામાન્ય ગ્રહણ સ્વરૂપે બોધ તે દર્શન, અને તે આવરણ કરાય છે જેના વડે તે દર્શનાવરણકર્મ કહેવાય છે. (૩) વેદનીયકર્મ :- આહલાદ-આનંદ આદિ રૂ૫ વડે જે વેદાય. તે વેદનીય. જો કે સર્વ કર્મ વેદાય છે તો પણ પંકજાદિ પદની જેમ વેદનીય પદની રૂઢી વેદનીયકર્મમાં છે. (અર્થાતુ જેમ પંકજ કમળ અર્થમાં રૂઢ છે. તે રીતે દરેક કર્મ વેદાય છે. છતાં વેદનીય પદથી સાતા - અસાતારૂપ જ વેદનીયકર્મ કહેવાય છે.) (૪) મોહનીયકર્મ:- સદ્અ સદ્ વિવેકને વિકલ કરે તે મોહનીય “ વહુન'' નિતિ (સિ-પ-૧-૧,૨) સુત્રથી કર્તરિમાં સનીય પ્રત્યય થયો છે. (૫) આયુષ્યકર્મ :- કુગતિમાંથી નીકળવાની ઇચ્છાવાળા પ્રાણીને પ્રતિબંધકતાને પમાડે, અર્થાત્ રોકે તે આયુષ્ય કર્મ. ચારેબાજુથી પ્રાણીને ભવાંતરની સંક્રાંતિમાં જે વિપાકનો ઉદય આવે તે આય. બન્ને જગ્યાએ ગોવિજ થી પ્રત્યય થયો છે. (૬) નામકર્મ - નામયતિ અર્થાત્ ગત્યાદિ પર્યાયના અનુભવ પ્રતિ જીવને લઇ જાય તે-નામકર્મ કહેવાય છે. (૭) ગોત્રકર્મ :- - = ઊંચ નીચ શબ્દથી બોલાવાય છે. આત્મા જેનાથી તે ગોત્રકર્મ, ઊંચ નીચ કુલની ઉત્પત્તિથી વ્યક્ત થતો પર્યાય વિશેષ. અર્થાતુ ભોગવવા યોગ્ય અથવા ઊંચ-નીચના વિપાકથી વેદ્ય એવા કર્મને પણ ગોત્ર કહેવાય છે. (૮) અંતરાયકર્મ :- જીવ અને દાનાદિકથી વચમાં આંતરૂં કરવા માટે જાય અર્થાતું કારણ બને તે અંતરાયકર્મ કહેવાય છે. - -૯-૨-૨૮-૪-૪૨-૨-૫ યથાક્રમ જ્ઞાનાવરણાદિક કર્મની ઉત્તર પ્રવૃતિઓ છે. ( -: ૧લું જ્ઞાનાવરણીય કર્મ :-) જ્ઞાનાવરણીયકર્મની ઉત્તર પ્રકૃતિ ૫ છે. મતિ - શ્રત - અવધિ - મન:પર્યવ - કેવલજ્ઞાનાવરણના ભેદથી પાંચ જ્ઞાનાવરણની ઉત્તર પ્રવૃતિઓ છે. મતિ - શ્રત - આદિનું સ્વરૂપે પ્રસિદ્ધ છે. Cઃ રજું દર્શનાવરણીય કર્મ :-) તેના ૯ ભેદ છે. તે આ પ્રમાણે છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, વીણદ્ધિ. (૧) ચક્ષુદર્શનાવરણ :- ત્યાં ચક્ષુ વડે દર્શન તે ચક્ષુદર્શન, તેનું આવરણ તે ચક્ષુદર્શનાવરણ. (૨) અચક્ષુદર્શનાવરણ :- બાકીની ઇન્દ્રિયો અને મન વડે દર્શન તે અચક્ષુદર્શન, તેનું આવરણ તે અચક્ષુદર્શનાવરણ. (૩) અવધિદર્શનાવરણ:- અવધિ જે દર્શન, તેનું આવરણ તે અવધિદર્શનાવરણ. ૩ મત્યાદિ - ૫ જ્ઞાનનું સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથ તથા પંચસંગ્રહ ભાગ-૧માંથી જાણી લેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy