SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ मलयगिरिगिरां या व्यक्तिरत्रास्ति तस्याः, किमधिकमिति भक्तिर्मेऽधिगन्तुं न दत्ते । वद वदन पवित्रीभावमुद्भाव्य भाव्यः, શ્રમ રૂદ સમનતે નિત્યનિત્યે વિત્ત || ૨ || અર્થ :- પૂજ્ય મલયગિરિ મહારાજની વાણીની જેઅહીં અભિવ્યક્તિ છે, તે અભિવ્યક્તિથી અધિક શું હોય ? આવા પ્રકારની ભક્તિ અને આગળ જવા દેતી નથી. માટે હે મુખ! (મને આગળ વધારવા માટે) તું પવિત્રતાને ધારણ કરીને એવી વાણી બોલ કે (હે યશોવિજય !) અહીં થનારો તારો શ્રમ હંમેશા સફળ જ થાય છે. इह चूर्णिकृदध्वदर्शकोऽभून्मलयगिरिय॑तनोदकण्टकं तम् । इति तत्र पदप्रचारमात्रात्, पथिकस्येव ममास्त्वभीष्टसिद्धिः ।। ३ ।। અર્થ :- અહીં ચૂર્ણિકાર મહારાજ માર્ગ બતાવનાર (ભોમીયા) છે. મલયગિરિ મહારાજે તે માર્ગને કંટક વગરનો કરનાર છે. ત્યાં પગે ચાલવા માત્રથી મુસાફરની જેમ મારી ઇષ્ટની સિદ્ધિ થશે. અર્થાતુ જેમ ભોમીયાના માર્ગદર્શનથી મુસાફર નિષ્ફટક માર્ગમાં પાદવિહાર કરીને ઇષ્ટક્ષેત્રમાં પહોંચી જાય છે. તેમ હું પણ મારા ઇષ્ટની સિદ્ધિને પ્રાપ્ત કરું.' सिद्धं सिद्धत्थसुयं, वंदिय गिद्धोयसबकम्ममलं । कम्मट्ठगस्स करणगुदयसंताणि वोच्छामि ॥१॥ सिद्धं सिद्धार्थसुतं, वन्दित्वा निर्धीतसर्वकर्ममलम् । कर्माष्टकस्यकरणा - ऽष्टकोदयसत्ता वक्ष्यामि ॥ १ ॥ ગાથાર્થ :- સિદ્ધિપદને પામેલા અને સર્વ કર્મરૂપી મલને દૂર કર્યો છે, જેમણે એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને આઠ કર્મના આઠ કરણ - ઉદય અને સત્તા એ ત્રણ વિષય કહીશ. ટીકાર્ય :- સિદ્ધ ભગવંતને વંદન કરીને કહીશ, આ પ્રમાણે “સિદ્ધ વહિતા' નો યોગ વક્ષ્યામિ ક્રિયાપદની સાથે છે. કોઇક નામથી પણ સિદ્ધ હોય છે. તેથી તેના વ્યવચ્છેદ માટે વિશેષણ ‘નાદ્વોયસમમત' પદ મૂકવામાં આવેલ છે. અર્થાતુ સિદ્ધ પરમાત્માએ સર્વ કર્મમલોને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી જલથી એવી રીતે ધોઇ નાંખ્યા છે કે જે ફરી ક્યારેય આવવાના જ નથી. (“આ વિશેષણ તો નામની સિદ્ધ વ્યક્તિમાં તો ઘટી જ ન શકે”) હવે ચાર અતિશય કહે છે. ૧. વચનાતિશય :- વિશેષ્ય બતાવે છે. સિદ્ધાર્થ સુતં સિદ્ધાર્થ મહારાજના પુત્ર વર્ધમાન સ્વામીને... અથવા સિદ્ધ' એ વિશેષ્ય, “સિહત્યસુ' એ વિશેષણ બનાવીએ તો એનાથી વચનાતિશય મલશે કે સંસારનું નીસ્તાર થવાથી શ્રત રૂપી પ્રયોજન જેમના સિદ્ધ થયા છે, એવા સિદ્ધ બનેલા પરમાત્માને.... (વંદન કરીને કહીશ.) ૨. જ્ઞાનાતિશય :- પોતાના અનંતજ્ઞાનથી પ્રાપ્ત ભાવના અવબોધથી સિદ્ધ પ્રયોજનવાળા બનેલા પુત્ર જેના શિષ્ય ગણધરો કે જેમના એવા (સિદ્ધ પરમાત્માને વંદન કરીને કહીશ.) ૩. પૂજાતિશય :- “સિદ્ધાર્થ' એ ભાવપ્રધાન નિર્દેશવાળો હોવાથી “સિદ્ધાર્થતયા’’ =દેવ નરેન્દ્ર આદિ માટેના પૂજા યોગ્ય ગુણથી પ્રસિદ્ધ બનેલા (સિદ્ધ પરમાત્માને વંદન કરીને કહીશ.) ૪. અપાયાપગમાતિશય :- “ નિતસર્વજર્મની'' પદથી અપાયાપગમાતિશય પ્રગટ છે. ત્તિ માતાવરણ સમાર. ૧ “ાલન ! વિમાવકુમાર જવા તે કરો નિત્ય, સની માયત્વે (૧ મતિઃ) વિત્ત'' બની આ ત્રણ શ્લોક દ્વારા પૂ. ઉપાધ્યાય મસા, કેટલા સમર્થ જ્ઞાની હતા. છતાં જ્ઞાન સાથે પૂજ્યશ્રીનો નમ્રતાભાવ કેટલો બધો છે !ચૂર્ણિકાર મહારાજને ભોમીયા તરીકે કહ્યા અને પૂ૦ મલયગિરિ મ0 સાહેબે તે માર્ગ કંટક વગરનો કર્યો છે. એટલે પોતે તો પગ ઉપાડીને મૂકવા સિવાય કશું કાર્ય જ કર્યું નથી તેમ પોતાની લઘુતા વર્ણવે છે. પણ ઉપાધ્યાય મહારાજનું લખાણ વાંચતા લાગે છે કે, કંટક વગરનો માર્ગ કર્યા પછી પૂજ્યશ્રીએ તે માર્ગને જાણે આરસથી પાથર્યો હોય તેવો સુંવાળો કર્યો છે. અહીં ચૂર્ણિકાર અને પૂ૦ મલયગિરિ મત્સાહની સુવર્ણભાષામાં વિશેષ વિવેચનરૂપી સુગંધ ઉમેરવાનો પ્રયત્ન થાય છે. Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy