SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ કર્મપ્રકૃતિ - અથ જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ - खवगस्संतरकरणे, अकए घाईण सुहुमकम्मुवरि । केवलिणोणंतगुणं, असन्निओ सेसअसुभाणं ॥ ५५ ॥ क्षपकस्यान्तरकरणे - ऽकृते घातिनां सूक्ष्मकर्मोपरि । केवलिनोऽनंतगुणम्, असंज्ञितः शेषाऽशुभानाम् ॥ ५५ ॥ ગાથાર્થ :- ક્ષપક જીવે જ્યાં સુધી અંતરકરણ કર્યું ન હોય ત્યાં સુધી ઘાતિપ્રકૃતિઓની અનુભાગસત્તા સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગસત્તાથી અનંતગુણી હોય છે. તથા શેષ અશુભ પ્રકૃતિઓની જ0 અનુભાગ સત્તા સૂઈ એકેન્દ્રિયાદિને હોય છે. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી કહ્યાં. હવે જઘન્ય અનુભાગસંક્રમના સ્વામીને કહેવાની ઇચ્છાવાળા જઘન્ય અનુભાગસંક્રમની સંભાવના ક્યાં હોય તે જ્ઞાનનો ઉપાય બતાવે છે. જ્યાં સુધી અંતરકરણ કર્યું નથી સુધી સર્વઘાતિ કે દેશઘાતિ પ્રકૃતિઓનો અનુભાગ ક્ષેપકને “સૂક્ષ્મવર્નગ ૩૫રિ' સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગસરાથી અનંતગુણ હોય છે. અંતરકરણ કર્યું છતે સૂક્ષ્મ એકેન્દ્રિયની અનુભાગસરાથી પણ હીન હોય છે. તથા બાકીની અસાતાવેદનીય, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, કૃષ્ણ - નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, ગુરૂ - કર્કશ - રુક્ષ - શીતસ્પર્શ એ અશુભવર્ણાદિ-૯, ઉપઘાત, અશુભવિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અસ્થિર, અશુભ, અપર્યાપ્ત, અયશકીર્તિ, નીચગોત્ર, - એ ૩૦ અઘાતિ અશુભ પ્રકૃતિઓની અનુભાગ સત્તા કેવલિને “નિર' ત્તિ અસંગ્નિ પંચેન્દ્રિય સંબંધી અનુભાગસત્તાથી અનંતગુણ જાણવી. અને તે પ્રમાણે હોવાથી સર્વથાતિ અને દેશઘાતિ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમનો સંભવ અંતરકરણ કરે છતે ક્ષપક જીવને જ હોય છે. તેથી બાકીની કહેલ-૩૦ અશભપ્રકતિઓનો જઘન્ય અનુભાગસંક્રમનો સંભવ સયોગી કેવલિને નહીં પણ કેવલિની અપેક્ષાએ અનંતભાગ પ્રમાણ અનુભાગવાળા અનુભાગસત્તા જેની ઘણી હણાયેલી છે એવા સૂક્ષ્મ એકેન્દ્રિયને જાણવો. सम्मद्दिट्ठी ण हणइ, सुभाणुभागं असम्मदिट्ठी वि । સમીસા, ૩ોસ વોન્ગિયા વM | ૨૬ | सम्यगद्दष्टिर्न हन्ति, शुभानुभागमसम्यगद्दष्टिरपि । सम्यक्त्वमिश्रयोरुत्कृष्टं, वर्जयित्वा क्षपणम् ।। ५६ ।। ગાથાર્થ :- સમ્યગુદષ્ટિ જીવ શુભપ્રકૃતિઓના રસનો વિનાશ ન કરે અને ક્ષયકાળ સિવાય મિથ્યાદૃષ્ટિ પણ (ને સમ્યગુદૃષ્ટિ પણ) સમ્યકત્વ અને મિશ્રના ઉત્કૃષ્ટ અનુભાગનો વિનાશ ન કરે. ટીકાર્ય :- અહીં “સંવમ મામુલ્તતા' સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ જીવો સર્વ પ્રકૃતિઓના અનુભાગને નિશ્ચયથી અંતર્મુહર્ત બાદ સંક્રમાવે છે. એ પ્રમાણે જે પૂર્વે કહ્યું છે તે લક્ષણ સર્વત્ર અવ્યાપ્ત હોવાથી તેમાં જે અપવાદ છે તે કહે છે. - અહીં જે સાતાવેદનીય, દેવદ્વિક, મનુષ્યદ્રિક, પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન - સંઘયણ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તેજસસપ્તક, શુભવર્ણાદિ-૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉછુવાસ, આતપ, ઉદ્યોત, શભવિહાયોગતિ, ત્રસાદિ-૧૦, નિર્માણ, તીર્થકર, ઉચ્ચગોત્ર = એ ૬૬ શુભપ્રકૃતિઓ તે સર્વના પણ શુભ અનુભાગને સમ્યગુદૃષ્ટિ જીવ ઉત્કૃષ્ટથી બે ૬૬ સાગરોપમ સુધી હણે નહીં - વિનાશ કરતાં નથી. સાષ્ટિ = મિથ્યાદૃષ્ટિ, ૬૧ અહીં બે ૬૬ કહેવાનું કારણ - લયોપશમ સમ્યક્ત્વનો ૬૬ સાગરોપમ ઉત્કૃષ્ટ નિરંતર કાળ છે. તેટલો કાળ સમ્યકત્વનું પાલન કરી અંતર્મુહર્ત મિશ્ર જઇ ફરી વાર ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે અને તેને પણ ૬૬ સાગ0 ટકાવી રાખે છે. ત્યારબાદ તો મોક્ષે જાય છે કે પડીને મિથ્યાત્વે જાય છે. મોક્ષે જાય તો સર્વથા કર્મનો ક્ષય કરે છે, અને મિથ્યાત્વે જાય તો ત્યાં ગયા બાદ અંતર્મુહૂર્ત પછી ઉત્કૃષ્ટ રસનો નાશ કરે છે. એટલે ઉપરના ગુણઠાણે બે ૬૬ સાગ0 જ પુણ્યના ઉત્કૃષ્ટ રસને ટકાવી રાખે છે. સમ્યક્ત્વાદિ ગુણસ્થાનકવર્તી આત્માઓના પરિણામ પ્રશસ્ત હોવાથી પુણ્ય પ્રકૃતિઓના રસને ટકાવી શકે છે. અને પાપનો રસ ઓછો કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવો અંતર્મુહૂર્તથી અધિક પુણ્ય કે પાપ કોઇના રસને ટકાવી શકતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy