SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૩ તથા ચારે પણ આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગને સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ બાંધીને બંધાવલિકા પસાર થયા બાદ ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી સમયાધિક આવલિકા બાકી રહે. તેથી આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામી સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિને પ્રાપ્ત થાય છે. તથા બાકીની સાતાવેદનીય, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તેજસસપ્તક, સમચતુરસ સંસ્થાન, શુક્લ - લોહિત - હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય - આમ્સ - મધુરરસ, મૃદુ - લઘુ - સ્નિગ્ધ - ઉષ્ણસ્પર્શ એ શુભવર્ણાદિ-૧૧, શુભવિહાયોગતિ, ઉથ્થુવાસ, અગુરુલઘુ, પરાઘાત, ત્રસાદિ-૧૦, નિર્માણ, તીર્થકર, ઉચ્ચગોત્ર, એ ૫૪ શુભ પ્રકતિઓનો પોત પોતાના બંધવિચ્છેદ સમયે ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકાની આગળ ત્યાં સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમે કે જ્યાં સુધી સયોગી કેવલિનો અંત્ય સમય આવે. તથા આ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી પોતાના બંધવિચ્છેદની ઉપરના ગુણસ્થાનકે રહેલ જીવો યોગ્યતા:- સયોગી કેવલિ સુધીના જાણવાં. (યંત્ર નં ૨૭ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ સ્વામિત્વ સમાપ્ત ( ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં ૨૭ સંખ્યા પ્રકૃતિઓના નામ ઉઅના સ્વામી કયા જીવ ઉત્કૃષ્ટ સંક્રમ સતતકાલ અંતર્મુહૂર્ત નરકાયુ સિવાય ૮૮ અશુભ યુગલિક, આનતાદિ દેવ સિવાય ચારે ગતિના મિથ્યાદિ ૧૨ આતપ, ઉદ્યોત, મનુષ્યદ્રિક, ઔદારિકસપ્તક, પ્રથમ સંઘયણ સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ ચારે ગતિના ૧૩૨ સાગરોપમ સુધી મનુષ્ય, અનુત્તરવાસી દેવ. ૧ | દેવાયુષ્ય મનુષ્પાયુષ્ય તિર્યંચાયુષ્ય બંધાવલિકા પછી સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી મિથ્યા કે સમ્ય, મનુષ્ય - તિર્યંચ નરકાયુષ્ય દેવ વિના ત્રણ ગતિના મિથ્યા કે સમ્ય' સાતા વેદનીય, યશ-કીર્તિ, ઉચ્ચગોત્ર ૧૨મે, ૧૩મે, સપક | લપક ૮૭ થી ૧૩માનો અંત્ય સમય ૫ર | દેવદ્વિક, પંચે, 40-૭, આહા-૭, તેo-૭, શુભવર્ણાદિ-૧૧, શુભવિહા, ઉચ્છવ, અગુરુ, પરા, ત્રસાદિ-૧૦, નિર્મા, જિનનામ, સમચતુરસ બંધવિચ્છેદ સમયે ઉ0અનુ બાંધીને બંધાવલિકા પછી સયોગી કેવલિ સુધી ટીમ- બાંધ્યા પછી ગુણસ્થાનક પરાવૃત્તિ હોવાથી મિથ્યાસમ્યગુદષ્ટિ બને આવે. પણ આયુષ્યના બંધ સમયે તો મિથ્યાદ િજ હોય છે. (ટી. નં. ૫૯ જુઓ) , ૫૯ અહીં ત્રણ આયુનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદૃષ્ટિ કરે છે અને દેવાયુનો અપ્રમત્ત આત્મા કરે છે. એટલે જ્યાં જ્યાં બાંધે ત્યાં ત્યાં તો ઉત્કૃષ્ટ રસનો સંક્રમ ઘટી શકે છે. અને ઉત્કૃષ્ટ રસ સત્તામાં છતાં, મિથ્યાત્વેથી સમ્યકત્વે જતાં સમ્યગુદષ્ટિને ત્રણ આયુમાં ઉત્કૃષ્ટ રસનો, અને સભ્યત્વેથી પડી મિથ્યાત્વે જતાં મિથ્યાષ્ટિને પણ દેવાયુના ઉત્કૃષ્ટ રસનો સંક્રમ ઘટી શકે છે. ૬૦ સાતવેદનીય, યશ-કીતિ અને ઉચ્ચગોત્ર એ ત્રણના ઉત્કૃષ્ટ રસનો બંધ શપકને ૧૦મા ગુણસ્થાનકના અંત્ય સમયે અને શેષ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો બંધ વપકને ૮માના ૬% ભાગના અંત્ય સમયે થાય છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy