SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ કર્મપ્રકૃતિ તથા જ્ઞાનાવરણ-૫, થીણદ્વિત્રિક સિવાયની દર્શનાવરણ-૬, અંતરાય-૫ એ ૧૬ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગસંક્રમ ત્રણ પ્રકારે છે. - અનાદિ - અધ્રુવ અને ધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. - આ ૧૬ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષીણકષાય - ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતાં પ્રાપ્ત થાય છે, પછી બીજે સર્વ પણ અજધન્ય, અને તેની આદિ નથી તેથી અનાદિ છે. અધ્રુવ - ધ્રુવ પૂર્વની જેમ ભવ્ય - અભવ્ય અપેક્ષાએ છે. तिविहो छत्तीसाए, णुक्कोसोऽह णवगस्स य चउद्धा । સિ સેસા સેસ IIT, સર્વે જ વિરાણા . ૧૧ || त्रिविध ः षट्त्रिंशतो - ऽनुत्कृष्टेः अथ नवकस्य च चतुर्था । પતાસાં શેષા: શેષાળાં, સને ૨ દ્વિત્નિાઃ || ૧૦ || ગાથાર્થ :- ૩૬ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસસંક્રમ અનાદિ – ધ્રુવ ને અધવ એમ ૩ પ્રકારે છે. ૯ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ રસસંક્રમ ૪ પ્રકારે છે. એ ૪૫ પ્રકૃતિઓનો જ અજઇ ને ઉ0 એ ત્રણ રસસંક્રમ તથા કહેલ સિવાયની બાકીની પ્રકૃતિઓના સર્વ રસસંક્રમ બે બે પ્રકારે છે. ટીકાર્થ :- સાતાવેદનીય, પંચેન્દ્રિયજાતિ, તેજસસપ્તક, સમચતુરસ સંસ્થાન, શુક્લ - લોહિત - હારિદ્રવર્ણ, સુરભિગંધ, કષાય - આવુ મધુરરસ, મૃદુ - લઘુ - ઉષ્ણ - સ્નિગ્ધસ્પર્શ એ વર્ણાદિ-૧૧, અગુરુલઘુ, ઉચ્છવાસ, પરાઘાત, શુભવિહાયોગતિ, ત્રસાદિ-૧૦, નિર્માણ એ ૩૬ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ અનાદિ-ધ્રુવ, ને અધ્રુવ એ ૩ પ્રકારે છે. તે આ પ્રમાણે - આ ૩૬ પ્રકૃતિઓનો પોતપોતાના બંધવિચ્છેદ સમયે ક્ષપક ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે, અને બંધાવલિકા પસાર થયા બાદ તે પ્રકૃતિઓને સંક્રમ કરવા માટે શરૂઆત કરે છે. અને તેને ત્યાં સુધી સંક્રમે કે જ્યાં સુધી સયોગી કેવલિનો અંત્ય સમય આવે. તેથી ક્ષપક સયોગી કેવલિ સિવાયના સર્વ જીવને આ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગ જ સંક્રમે છે અને તે અનાદિ છે, કારણકે આદિનો અભાવ છે. ધ્રુવ - અધ્રુવ, અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. અથ શબ્દ તથા અર્થમાં છે. ઉદ્યોત, વજ8ષભનારાચસંઘયણ, ઔદારિકસપ્તક, એ ૯ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ સાદિ - અનાદિ - ધ્રુવ ને અધવ એ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે -- આ પ્રવૃતિઓમાંથી ઉદ્યોત સિવાયની ૮ પ્રકૃતિઓનો અતિવિશુદ્ધ પરિણામવાળો સમ્યગુદૃષ્ટિ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બાંધીને બંધાવલિકા પસાર થયા બાદ તેને સંક્રમાવે છે. ઉદ્યોત નામકર્મનો તો સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળો ૭મી નારકનો મિથ્યાદૃષ્ટિ નારકી ઉત્કૃષ્ટ અનુભાગ બાંધે છે. અને બંધાવલિકા પસાર થયા બાદ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે ૬૬ સાગરોપમ એટલે કે ૧૩૨ સાગરોપમ સુધી સંક્રમે છે. અહીં જો કે ૭મી પૃથ્વીનો નારક* અંત્ય અંતર્મુહુર્તમાં અવશ્ય મિથ્યાત્વે જાય છે, તો પણ અંતર્મુહુર્ત બાદ આગલા ભવમાં જે સમ્યકત્વ પામશે તે અહીં ગ્રહણ કરવો. તેથી વચમાં મિથ્યાત્વનો અલ્પકાળ હોવાથી વિવક્ષા કરી નથી, તેથી બે ૬૬ સાગરોપમ કહ્યું છે. પછી ઉત્કૃષ્ટથી પડેલાને અનુકુષ્ટ, અને તે સાદિ છે. તે સ્થાન (ઉત્કૃષ્ટ સ્થાન) નહીં પામેલાને અનાદિ છે. અધ્રુવ - ધ્રુવ ભવ્ય - અભવ્ય અપેક્ષાએ છે. તથા એ ૧૭ - ૧૬ - ૩૬ - ૯ સંખ્યાવાળી પ્રકૃતિઓના કહ્યા સિવાયના બાકી રહેલ વિકલ્પો, અને ૧૭ આદિ સિવાયની બાકીની ૮૦ પ્રકૃતિઓના સર્વે પણ વિકલ્પો સાદિ - અધ્રુવ એમ બે પ્રકારે જાણવાં, તે આ પ્રમાણે - ૧૭ અને ૧૬ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ ઉત્કૃષ્ટ સંકલેશે વર્તતાં મિથ્યાષ્ટિને હોય છે, અને તે જ જીવને બાકીના કાલમાં અનુત્પષ્ટ અનુભાગસંક્રમ જ હોય છે. એ કારણથી તે બન્ને (ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ) અનુભાગસંક્રમ સાદિ - અધ્રુવ છે. જઘન્ય અનુસંક્રમ તો પૂર્વે જ બતાવ્યા છે. તથા ૩૬ અને ૯ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ જેનો સત્તાથી ઘણો ભાગ હણાયેલો છે તેવા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને હોય છે. ને સત્તામાંથી ઘણો રસ હણ્યો નથી. તેવા તે જ જીવને પણ અજઘન્ય અનુસંક્રમ થાય છે તેથી એ બન્ને (જઅજ) અનુ0 સંક્સ સાદિ - અધ્રુવ છે. ઉત્કૃષ્ટ અનુ0 સંક્રમ પૂર્વે કહ્યાં છે. ૫૪ કોઇ આત્મા ૭મી નારકમાં સમ્યકત્વ લઇ જતો નથી, ત્યાંથી સમ્યકત્વ લઇ મરતો નથી. પર્યાપ્તાવસ્થામાં તેને સમ્યક્ત થાય છે અને તે છેલ્લા અંતર્મુહૂર્ત ન્યૂન ભવસ્થિતિ પર્યંત ઉત્કૃષ્ટથી ટકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy