SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૮૭ બાકીના નામ - ગોત્ર અને વેદનીય એ ત્રણ મૂળકર્મોનો અનુત્કૃષ્ટ અનુભાગસંક્રમ ૩ પ્રકારે છે, અનાદિ – અધુવ અને ધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - નામ - ગોત્ર અને વેદનીયનો સર્વ ઉત્કૃષ્ટ અનુભાગ ક્ષપક સુક્ષ્મસંપરાય ગુણસ્થાનકના અંત્ય સમયે બાંધે છે, બંધાવલિકા પસાર થયા પછી સયોગી કેવલિના અંત્ય સમય સુધી સંક્રમે છે. અને તે સાદિ - અધવ છે. તેથી અન્ય સર્વ પણ અનુકુષ્ટ, અને તે આદિનો અભાવ હોવાથી અનાદિ, ધ્રુવ -અધુવ પૂર્વની જેમ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે. सेसा मूलप्पगइसु, दुविहा अह उत्तरासु अजहबो । સત્તરસ વહાં, તિાિપો સોનસણં તુ . ૧૦ || शेषा मूलप्रकृतिषु, द्विविधाऽथोत्तराखजघन्यः। सप्तदशानां चतुर्धा, त्रिदिकल्पः षोडशानां तु ॥५०॥ ગાથાર્થ :- મૂળ પ્રકૃતિઓના શેષ અનુ સંક્રમ સાદિ, અધ્રુવ એમ બે પ્રકારે છે. હવે ઉત્તર પ્રવૃતિઓમાં ૧૭ પ્રકૃતિઓનો અજ અનુસંક્રમ ૪ પ્રકારે છે. તથા ૧૬ પ્રકૃતિઓનો અજ અનુ સંક્રમ ૩ પ્રકારે છે. ટીકાર્થ :- મૂળ પ્રકૃતિને વિષે કહેલ સિવાયના વિકલ્પ બે પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે સાદિ – અધ્રુવ છે. ત્યાં ૪ ધાતિકર્મના ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ અને જઘન્યને વિષે સાદિ - અધુવ પ્રથમ બતાવ્યા છે. ઉત્કૃષ્ટ મિથ્યાદૃષ્ટિને નક્કી કરેલ સમય જ હોય છે. બાકીના સમયમાં તેને પણ અનુત્કૃષ્ટ, એ પ્રમાણે આ બન્ને ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ (વારાફરતી હોવાથી) સાદિ - અધુવ છે. બાકીના ચાર અઘાતિકર્મના જઘન્ય - અજઘન્ય - ઉત્કૃષ્ટની મધ્યમાંથી ઉત્કૃષ્ટ પ્રથમ જ બતાવ્યો છે. જઘન્ય અનુસંક્રમ તો જેનો ઘણો રસ હણાયેલ છે તેવા સુક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. બીજાને નહીં. ઘણો રસ હણાયો નથી તેવા તે જીવને પણ અજઘન્ય, તો બીજાની શું વાત ? તેથી આ બન્ને પણ જઘન્ય - અજઘન્ય (પરાવર્તમાન હોવાથી) સાદિ - અધ્રુવ છે. મૂલ પ્રકૃતિની સાદિ – અનાદિ પ્રરૂપણા કરી. હવે ઉત્તરપ્રકૃતિઓની સાદિ-અનાદિ પ્રરૂપણા કહે છે. “દ” - ઇત્યાદિ હવે ઉત્તરને વિષે એટલે કે ઉત્તર પ્રવૃતિઓની મધ્યમાં અનંતાનુબંધિ -૪, સંજ્વલન-૪, નોકષાય-૯ એ ૧૭ પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ - અનાદિ - ધ્રુવ - અધ્રુવ એમ ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. - આમાંથી અનંતાનુબંધિ સિવાયના ૧૩ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ પોત પોતાના ક્ષયના છેલ્લા સમયે જઘન્ય સ્થિતિસંક્રમ વખતે હોય છે. અનંતાનુબંધિ-૪નો તો જઘન્ય અનુભાગસંક્રમ ઉદૂવલના સંક્રમથી ઉદૂવલન કરીને ફરી પણ મિથ્યાત્વ હેતુ વડે બંધાતા બંધાવલિકા પસાર થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે થાય છે. અને એ સિવાય બધા સમયે આ ૧૭ પ્રકૃતિઓનો અજઘન્ય, અને તે ઉપશમશ્રેણિમાં ઉપશાંત થવાથી આ ૧૭ પ્રકૃતિઓનો (અજઘન્ય અનુસંક્રમ) થતો નથી, અને ત્યાંથી પડેલાને થાય છે તેથી સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ. અધ્રુવ - ધ્રુવ તે ભવ્ય - અભવ્ય અપેક્ષાએ છે. પ૨ મિબાદષ્ટિ જીવ ઉઅનુભાગને વધુમાં વધુ ૨ સમય સુધીજ બાંધે છે ને બંધાવલિકા પસાર થયા બાદ તે ઉઅનુ સંક્રમાવે છે. એ રીતે બંધ સાદિ - અધ્રુવ હોવાથી સંક્રમ પણ સાદિ અધ્રુવ જ જાણવો. ૫૩ પ્રશ્નઃ સંજ્વલન આદિ પ્રવૃતિઓનો જઘન્ય રસસંક્રમ તેની જઘન્ય સ્થિતિસંક્રમકાળે કહ્યો, અને અનંતાનુબંધિનો તે કષાય સર્વથા ઉવેલાઈ ગયા બાદ મિથ્યાત્વે આવી કરી બાંધે, અને તેની બંધાવલિકા ગયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે કહ્યો, એમ કેમ ? શા માટે જઘન્ય સ્થિતિસંક્રમકાલે તેનો જઘન્યરસ સંક્રમ ન કહ્યો ? ઉત્તર : અનંતાનુબંધિની જઘન્યસ્થિતિનો સંક્રમ અનંતાનુબંધિની વિસંયોજના કરતાં તેનો ચરમખંડ સર્વથા સંક્રમાવે ત્યારે થાય છે. તે વખતે ચરમખંડમાં કાળભેદે અનેક સમયના બંધાયેલા દલિકો હોય છે. અનેક સમયના બંધાયેલા દલિકો હોવાને લીધે તેમાં શુદ્ધ એકજ સમયના બંધાયેલા દલિકોના રસથી વધારે હોય તે સ્વાભાવિક છે. એટલે જ ઉપરના ગુણઠાણે અનંતાનુબંધિનો નાશ કરી પડી પહેલા ગુણઠાણે આવે ત્યાં તપ્રાયોગ્ય વિશદ્ધ પરિણામે શક્યતા પ્રમાણે ઓછી સ્થિતિ અને રસવાળા ઈલિકો બાંધે, બંધાવલિકા ગયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે તે શુદ્ધ એક સમયના બાંધેલા જઘન્ય રસયુક્ત દલિકોને સંક્રમાવે તેને જઘન્યરસ સંક્રમ કહ્યો છે. અનંતાનુબંધિ વિના બીજી કોઇ પણ મોહ પ્રકૃતિ સત્તામાંથી સર્વથા નષ્ટ થયા પછી ફરી બંધાઈ સત્તામાં આવતી નથી, માત્ર અનંતાનુબંધિ કષાયો જ એવા હોય છે કે તેનો સત્તામાંથી સર્વથા નાશ થયા પછી મિથ્યાત્વરૂપ બીજ નાશ ન થયું હોય તો ફરી ને સત્તામાં આવી શકે છે. એટલે તેનો જધન્ય રસસંક્રમનો કાળ અને સંજ્વલનાદિના જધન્ય રસસંક્રમનો કાળ જુદે પડે છે. આ પ્રમાણે લગભગ જે પ્રકૃતિઓનો સર્વથા નાશ થયા પછી ફરી બંધાઇ શકતી હોય તેનો જઘન્ય રસસંક્રમ અનંતાનુબંધિની રીતે કહેવામાં હરકત નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy