SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૮૫ सेसासु चउट्ठाणे मंदो, सम्मत्तपुरिससंजलणे । एगट्ठाणे सेसासु, सव्वघाइम्मि दुट्ठाणे ।। ४८॥ शेषाणां चतुःस्थानके मन्दः, सम्यक्त्वपुरुषसंज्वलनानां । एकस्थाने शेषासु, सर्वघातिनि द्विस्थानके ।। ४८ ॥ ગાથાર્થ :- શેષ પ્રકૃતિઓના ઉ0 અનુભાગસંક્રમમાં ચતુઃસ્થાનિક અને સર્વઘાતિ (રસ) હોય છે. II હવે જઘન્યાનુભાગ સંક્રમ કહેવાય છે. ને ત્યાં સમ્યક્ત્વમોહનીય, પુરુષવેદ, સંજ્વલનચતુષ્ક એ ૬ પ્રકૃતિઓના અનુ0 સંક્રમમાં એકસ્થાનિકને દેશઘાતિરસ હોય છે, ને શેષ પ્રકૃતિઓના અનુસંક્રમમાં ક્રિસ્થાનિક અને સર્વઘાતિ રસ હોય છે. ટીકાર્થ :- “ષાન' જે (૫ પ્રકતિઓ) કહી તે સિવાયની (૧૫૩) પ્રકતિઓનો સ્થાનને આશ્રયીને સર્વ ઉત્કૃષ્ટ ચતુઃસ્થાનક અને ઘાતિત્વને આશ્રયીને સર્વઘાતિ રસ પોતાની સાથે રહેવાથી ઉત્પન્ન થયેલ અથવા જ્યારે સંક્રમે છે ત્યારે તે પ્રકતિઓનો ઉકષ્ટ અનુભાગ સંક્રમ હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમનું પ્રમાણ કહ્યું. (યંત્ર નં. ૨૫ જુઓ) ઇતિ ૪થી ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા સમાપ્ત ( - અથ પમી જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા - હવે જઘન્ય અનુભાગસંક્રમ પ્રમાણ પ્રતિપાદન કરે છે. “Hલો' - ઇત્યાદિ સમ્યકત્વ - પુરુષવેદ અને સંજ્વલન-૪ એ ૬ પ્રકૃતિઓનો એક સ્થાનક રસસંક્રમ થયે છતે મંદ જઘન્ય અનુભાગસંક્રમ જાણવો. તેથી આ પ્રમાણે સિદ્ધ થાય છે કે સમ્યકત્વનો સર્વ શુદ્ધ એક સ્થાનક રસ જ્યારે સંક્રમે છે ત્યારે તે તેનો (સમ્યકત્વનો) જઘન્ય અનુભાગસંક્રમ કરે છે. પુરુષવેદ - સંજ્વલન -૪નો ક્ષયકાલે જે સમયોન બે આવલિકાના બાંધેલા એક સ્થાનક રસયુક્ત સર્વ જઘન્ય સ્પર્ધકો છે તે જ્યારે સંક્રમે છે ત્યારે તે પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ કરે છે. શેષા' - જે ૬ પ્રકૃતિઓ કહી તે સિવાયની સર્વ પ્રકૃતિઓને વિષે ક્રિસ્થાનક રસયુક્ત સર્વઘાતિ સ્પર્ધકો સંક્રમે ત્યારે જઘન્ય અનુભાગસંક્રમ થાય છે. તાત્પર્ય આ પ્રમાણે છે. - સમ્યકત્વ - પુરુષવેદ – સંજ્વલન-૪ સિવાયની પ્રકૃતિઓનો ઘાતિત્વ આશ્રયી સર્વઘાતિ અને સ્થાન આશ્રયી દ્રિસ્થાનક રસયુક્ત સર્વ જઘન્ય રસસ્પર્ધકો જ્યારે સંક્રમે છે ત્યારે તે પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ થાય છે. એ પ્રમાણે અર્થ છે. - અહીં જો કે મતિ - શ્રત - અવધિ - મન:પર્યાયજ્ઞાનાવરણ, ચક્ષુ - અચક્ષુ - અવધિદર્શનાવરણ, અંતરાય-૫, = એ ૧૨ પ્રકૃતિઓનો જે એક સ્થાનક રસ પણ બંધને વિષે પ્રાપ્ત થાય છે, તો પણ ક્ષયકાલે પૂર્વે બાંધેલ દ્રિસ્થાનક રસનો પણ સંક્રમ થવાથી શુદ્ધ એક સ્થાનક રસનો સંક્રમ ન થવાથી સંક્રમ વિષયપણે એક સ્થાનક રસને કહ્યો નથી. (યંત્ર નં- ૨૫ જુઓ) ઇતિ પમી જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા સમાપ્ત. ૪૯ એ ૬ પ્રકૃતિઓનો સ્થાનને આશ્રયી રસસંક્રમ એક સ્થાનકનો કહ્યો પરંતુ ઘાતિત્વને આશ્રયી કહ્યો નથી. તે અધ્યાહારથી દેશઘાતિ રસ જાણવો. ૫૦ આ ૧૨ પ્રકૃતિઓનો જ્યારે એક સ્થાનક રસ બંધાય છે ત્યારે જઘન્ય રસ સંક્રમકાળે એક સ્થાનક રસ કેમ સંક્રમે નહીં ? તેના ઉત્તરમાં એમ જાણવું કે જઘન્ય રસ સંક્રમકાળે જીવ તથા સ્વભાવે કેવળ એક સ્થાનક રસ સંમતો નથી પણ પૂર્વ બાંધેલ બે સ્થાનક અને એક સ્થાનક બંને સંક્રમે છે માટે તે પ્રકૃતિઓના સંક્રમના વિષયમાં એક સ્થાનક રસ ન કહ્યો, જો તે પ્રકૃતિઓના જઘન્ય રસ સંક્રમના વિષયમાં એક સ્થાનક રસ કહ્યો હોત તો છેલ્લે જ્યારે જઘન્ય રસ સંક્રમ થાય ત્યારે કેવળ એક સ્થાનક રસનો જ થાય, બે સ્થાનકનો થઇ શકે નહીં, અને સંક્રમ તો બે સ્થાનક રસનો પણ થાય છે. માટે એક સ્થાનક રસનો સંક્રમ ન કહેતા બે સ્થાનક રસનો સંક્રમ કહ્યો. બે સ્થાનકમાં એક સ્થાનક સમાય, એક સ્થાનકમાં બે સ્થાનક સમાય નહીં. અહીં રસનો સંક્રમ એટલે તેવા તેવા રસવાળા મુગલોનો સંક્રમ સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy