SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૮૩ मूलोत्तरप्रकृतिगते - ऽनुभागे संक्रमो यथा बन्थे । सर्धकनिर्देश आसां, सर्वेतरघात्यघातिनीनाम् ॥ ४४ ॥ ગાથાર્થ - અનુભાગ સંક્રમના વિષયમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિના ભેદ જેમ બંધશતકમાં કહ્યા છે તેમ જાણવા. તથા આ સર્વઘાતિ, દેશઘાતિ અને અઘાતિ પ્રકૃતિઓની રસસ્પર્ધક પ્રરૂપણા પણ બંધશતકની જેમ જાણવી. ટીકાર્થ :- પ્રમાણે સ્થિતિસંક્રમ કહ્યો, હવે અનુભાગસંક્રમ કહેવાનો પ્રસંગ છે. અને ત્યાં આ અર્થાધિકારો છે. અનુયોગ દ્વાર તે આ પ્રમાણે છે. (૧) ભેદ પ્રરૂપણા (૨) સ્પર્ધક પ્રરૂપણા (૩) વિશેષલક્ષણ પ્રરૂપણા (૪) ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમ પ્રરૂપણા (૫) જઘન્ય અનુભાગસંક્રમ પ્રરૂપણા (૬) સાદિ - અનાદિ પ્રરૂપણા અને (૭) સ્વામિત્વ પ્રરૂપણા ત્યાં પ્રથમ. - અથ ૧લી ભેદ પ્રરૂપણા - ભેદ પ્રરૂપણા - કહે છે. “અનુમાને' - અનુભાગ વિષયમાં સંક્રમ મૂલ અને ઉત્તર પ્રકૃતિગત જે મૂલપ્રકૃતિ અનુભાગ સંક્રમ અને ઉત્તપ્રકૃતિ અનુભાગ સંક્રમ એ પ્રમાણે બે પ્રકારે છે. અને તે ભૂલ ઉત્તર પ્રકૃતિ ભેદ જેમ “વજે’ એટલે કે બંધ શતકમાં કહ્યા તે પ્રમાણે અહીં પણ જાણવાં. આ પ્રમાણે ભેદ પ્રરૂપણા કરી. (પૂ. દેવેન્દ્ર સૂરી. મ.સા. કર્મગ્રંથમાં ભેદ પ્રરૂપણા નથી પણ પ્રાચીન શતકગ્રંથમાં હોઇ શકે) (-: અથ ૨જી સ્પર્ધક પ્રરૂપણા :-) | સ્પર્ધક પ્રરૂપણા:- કહે છે. “ ' ઇત્યાદિ સ્પર્ધક પ્રરૂપણામાં સર્વધાતિની - દેશઘાતિની અને અધાતિની પ્રકૃતિઓના સ્પર્ધકનો નિર્દેશ જેમ શતકમાં કર્યો છે તેમ અહીં પણ કરવો. અને આ પ્રરૂપણા પીઠિકામાં જ (બંધનકરણ ગાથા ૧માં) કરી છે, તેથી અહીં ફરી કરતા નથી. सब्बेसु देसघाइसु, सम्मत्तं तदुवरि तु वा मिस्सं । दारुसमाणस्साणंतमो त्ति, मिच्छत्तमुष्पिमओ ॥ ४५ ॥ सर्वेषु देशघातिषु, सम्यक्त्वं तदुपरि तु वा मित्रं । સાહસમાનસ્થાનત્તતઃ તિ, મિથ્યાત્વનુપર્વતઃ |૧૬ ગાથાર્થ :- સર્વ દેશઘાતિ રસસ્પર્ધકોમાં સમ્યકત્વ છે, તેથી ઉપરના સર્વઘાતિ સ્પર્ધકોમાં મિશ્રમોહનીય છે, ને તેથી ઉપરના સર્વઘાતિ સ્પર્ધકોમાં મિથ્યાત્વ છે. ટીકાર્થ:- દર્શનમોહનીયની સ્પર્ધક પ્રરૂપણા વિશેષ જાણવાની ઇચ્છાવાળા કહે છે. - અહીં દર્શનમોહનીયને આશ્રયીને બે પ્રકારે રસસ્પર્ધકો હોય છે. - (૧) દેશઘાતિ અને (૨) સર્વઘાતિ. ત્યાં જે દેશઘાતિ સ્પર્ધકોના એકસ્થાનક અથવા દ્વિસ્થાનક રસસ્પર્ધકો છે તે સર્વમાં પણ સમ્યકત્વમોહનીય છે. જ્યાં દેશઘાતિ સ્પર્ધકો સમાપ્ત થયા ત્યાંથી ઉપરના રસસ્પર્ધકો મિશ્રમોહનીયના છે. અને તે કેટલાં હોય છે ? “યાવત’સુધી, એ અર્થવાળા ‘વ’ શબ્દ ભિન્ન ક્રમથી અહીં જોડવો, તેથી યાવતું સાહસમાન' એ પ્રમાણે સંબંધ થયો. ““તતાલાવસ્થિૌનાવ્યા ત્યાનાકયો રસાઃએક સ્થાનકાદિ રસો અનુક્રમે લત્તા, દારૂ = (કાષ્ઠ), અસ્થિ - (હાડકાં), શૈલ - (પાષણ) સરખા છે. એ પ્રમાણે ગ્રંથ શૈલી હોવાથી દ્રિસ્થાનિકરસના સ્પર્ધકોનો અનંતમોભાગ વ્યતીત થાય. તેથી જ્યાં મિશ્રમોહનીયના સ્પર્ધકો સમાપ્ત થાય ત્યાંથી શરૂ કરીને આગળના જે ક્રિસ્થાનિક ત્રિસ્થાનિકને ચતુઃ સ્થાનિક રસયુક્ત સ્પર્ધકો છે તે સર્વ મિથ્યાત્વમોહનીયના જાણવાં. | ઇતિ ૨જી સ્પર્ધક પ્રરૂપણા સમાપ્તા ( - અથ ૩જી વિશેષલક્ષણ પ્રરૂપણા - ) तत्थट्ठपयं उबट्टिया व, ओवट्टिया व अविभागा। अणुभागसंकमो एस, अन्नपगई णिया वावि ॥४६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy