SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ કર્મપ્રકૃતિ (- અથ પમી સાધાદિ પ્રરૂપણા દ્વાર :-) मूलठिई अजहन्नो, सत्तण्ह तिहा चउबिहो मोहे । સેવા તેસિં, વિશાખા સંવ મે હૈંતિ | ૨૬ / मूलस्थितेरजघन्यः, सप्तानां विघा चतुर्विधो मोहे । શેવિવેત્સાતેષાં, વિવિત્પાઃ સંમે મતિ . ૨૬ / ગાથાર્થ :- સાત મૂળકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે. અને મોહનીયકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ ૪ પ્રકારે છે. અને તે આઠે કર્મના ઉક્ત શેષ (૩) જ ઉ0 અનુ. સ્થિતિસંક્રમ બે પ્રકારે છે. ટીકાર્ય - તે પ્રમાણે જઘન્ય સ્થિતિસંક્રમનું પરિમાણ કહ્યું. હવે સાદિ - અનાદિ પ્રરૂપણા અવસર છે. અને તે મુલ પ્રકૃતિઓનો અને ઉત્તર પ્રવૃતિઓનો એમ બે પ્રકારે છે. ત્યાં મૂલ પ્રકૃતિઓની સાદિ – અનાદિ પ્રરૂપણા કહે છે. સ્થિતિસંક્રમને વિષે મોહનીય સિવાયના સાત મૂલકર્મોનો અજઘન્ય સ્થિતિસંક્રમ અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય કર્મોની ક્ષીણકષાય ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહેલ સ્થિતિમાં વર્તતાં જીવને જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. નામ - ગોત્ર - વેદનીય આયુષ્ય કર્મનો સયોગી કેવલીના છેલ્લા સમયે ઉદયાવલિકા રહિત એવું અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ સંભવે છે. અને તે સાદિ અધ્રુવ છે. તેથી બીજે સર્વ પણ સ્થિતિસંક્રમ અજઘન્ય અને તે અનાદિ છે. ધ્રુવ અભવ્યને અને ભવ્યને અધ્રુવ. “નોરે' મોહનીયને વિષે અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે છે. સાદિ અનાદિ ધ્રુવ અને અધ્રુવ તે આ પ્રમાણે કહે છે. મોહનીયનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષપકશ્રેણિવાળો સૂક્ષ્મસંપાયની સમયાધિકાવલિકા બાકી રહે ત્યારે કરે છે. તેથી આ સાદિ અધ્રુવ છે. અને તે જઘન્યથી બીજે સર્વ પણ અજઘન્ય અને તે ક્ષાયિક સમ્યગુદૃષ્ટિવાળાને ઉપશાંતમોહ ગુણસ્થાનકે ન થાય. અને ત્યાંથી પડેલાને બંધ થાય તેથી સાદિ, અને તે ઉપશાંતમોહ નહીં પામેલાને અનાદિ, અધ્રુવ ભવ્યને અને ધ્રુવ અભવ્યની અપેક્ષાએ છે. બાકીના વિકલ્પ ઉત્કૃષ્ટ - અનુત્કૃષ્ટ જઘન્ય લક્ષણવાલા તે (આઠ) કર્મોમાં બે વિકલ્પો થાય છે. સાદિ અને અધુવ તે આ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો જ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. અને ઉત્કૃષ્ટ સંકુશમાં રહેલ જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. અને ઉત્કૃષ્ટ સંકુલેશ હંમેશા પ્રાપ્ત નથી. પરંતુ આંતરે આંતરે કોઇ કોઇ વખતે ઉત્કૃષ્ટ સંકુલેશ હોય છે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્રમના અભાવ વખતે અનુત્કૃષ્ટ એ પ્રમાણે બને પણ સાદિ-અધ્રુવ છે. જઘન્યના તો સાદિ-અધ્રુવ પહેલાં કહ્યાં છે. धुवसंतकम्मिगाणं, तिहा चउद्धा चरित्तमोहाणं । अजहन्नो सेसेसु य, दुहेतरासिं च सव्वत्थ ॥ ३७ ॥ ધ્રુવસર્ષાનાં, ત્રિા - વાઘ - રાત્રિનોદાનાનું अजघन्यः शेषेषु च, द्विघेतरासां च सर्वत्र ॥ ३७॥ ગાથાર્થ :- ધ્રુવસત્તાક પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ ૩ પ્રકારે છે ને ચારિત્રમોહનીયનો અજ સ્થિ૦ સંક્રમ ચાર પ્રકારે છે. તથા એ ધ્રુવસત્તાકના ઉક્ત શેષ સ્થિતિસંક્રમમાં અને અધ્રુવ સત્તાકના ચારે સ્થિતિસંક્રમમાં સાદિ-અધ્રુવ એ બે પ્રકાર છે. ટીકાર્ય - હવે ઉત્તર પ્રવૃતિઓની સાદિ - અનાદિ પ્રરૂપણાને કરે છે. નરકદ્વિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, તીર્થંકરનામ, સમ્યકત્વ, મિશ્ર, ઉચ્ચગોત્ર, આયુ-૪ એ ૨૮ પ્રકૃતિઓ અધુવસત્તાક છે. બાકી રહેલ ૧૩૦ ધ્રુવસત્તાકર્મની છે. તેમાંથી પણ ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિ દૂર કરતાં (બાદ કરતાં) જુદી બતાવેલ હોવાથી. તેથી બાકી રહેલ ૧૦૫ પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષય કરતી વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે. અને તે સાદિ - અધુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય અને તે અનાદિ, અને ધ્રુવ અભવ્ય અપેક્ષાએ અને અધુવ ભવ્યની અપેક્ષાએ છે, એ પ્રમાણે ત્રણ પ્રકારે છે. ચારિત્રમોહનીયની ૨૫ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે છે. સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy