SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ઉપશમશ્રેણિમાં ઉપશમ હોવાથી તે પ્રકૃતિઓના સંક્રમનો અભાવ છે. અને ઉપશમશ્રેણિથી પડતાં ફરી પણ અજઘન્ય સ્થિતિસંક્રમ શરૂ કરે છે. એ પ્રમાણે આ સાદિ થઇ અને તે સ્થાન (ઉપશાંતમોહ ગુણ) નહીં પામેલાને અનાદિ અશ્રુવ – ધ્રુવ, ભવ્ય - અભવ્ય અપેક્ષાએ. બાકીના ઉત્કૃષ્ટ અનુષ્કૃષ્ટ જધન્યને વિષે બે પ્રકારે વિકલ્પ છે. સાદિ - અધ્રુવ ત્યાં ઉત્કૃષ્ટ અનુભૃષ્ટની ભાવના મૂલ પ્રકૃતિની જેમ કરવી. જઘન્ય સ્થિતિસંક્રમ તો પોત પોતાના ક્ષય વખતે પ્રાપ્ત થાય. એ પ્રમાણે આ સાદિ અધ્રુવ - બાકીની અધ્રુવ સત્તાકર્મની ૨૮ પ્રકૃતિઓનો પહેલાં કહેલ સર્વત્ર પણ સર્વ પણ જઘન્ય - અજધન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ ને વિષે સાદિ – અધ્રુવ એમ બે પ્રકારે વિકલ્પ છે અને તે સાદિ અધ્રુવપણું અધ્રુવ સત્તાકર્મપણું હોવાથી જાણવું. (યંત્ર નં ૨૨ જુઓ) ઇતિ ૫મી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત -: અથ ૬ઠ્ઠી સ્વામિત્વ પ્રરૂપણા : बंधाओ उक्कस्सो, जासिं गंतूण आलिगं परओ । उक्कोस - सामिओ संकमेण जासिं दुगं तासिं ॥ ३८ ॥ बन्धादुत्कृष्टो, यासां गत्वा आवलिकां परतः । उत्कृष्टस्वामिनः संक्रमेण यासां द्विकं तेषाम् ॥ ३८ ॥ ગાથાર્થ ઃ- જે પ્રકૃતિઓનો બંધને આશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તે પ્રકૃતિઓનો ઉ∞ સ્થિતિબંધક તે જ દેવ -નારક તિર્યંચ અને મનુષ્ય છે, અને બંધાવલિકા વ્યતીત થયા બાદ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિઓ ઉત્કૃષ્ટ સ્થિતિને સંક્રમાવે છે. જે પ્રકૃતિઓની ઉ૰સ્થિતિસંક્રમ વડે પ્રાપ્ત થાય છે, તે પ્રકૃતિઓની બંધાવલિકા ને સંક્રમાવલિકારૂપ બે આવલિકા વ્યતીત થયા પછી શેષ ઉ∞ સ્થિતિ સત્તાવાળા જીવો ઉ સ્થિતિસંક્રમના સ્વામી હોય છે. ૩૭૫ ટીકાર્થ :- હવે ક્રમથી આવેલ સ્વામિત્વ ને કહે છે. અને તે બે પ્રકારે છે. ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ સ્વામિપણું અને જઘન્ય સ્થિતિસંક્રમ સ્વામિપણું. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિને કહે છે.- જે પ્રકૃતિઓનો બંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે તે પ્રકૃતિઓનો તે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધક દેવ -ના૨ક - તિર્યંચ - મનુષ્યો બંધાવલિકા જઇને આગળ અર્થાત્ બંધાવલિકા પસાર થયા પછી એ પ્રમાણે અર્થ છે, ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિ છે. વળી જે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમથી પ્રાપ્ત થાય છે. તે પ્રકૃતિઓનો બંધાવલિકા અને સંક્રમાવલિકા લક્ષણવાળી બે આવલિકા જઇને આગળ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી થાય છે. तस्संतकम्मिगो बंधिऊण, उक्कस्सियं मुहुत्त॑ता । સમ્મત્તમીસ ગાળ, ગવતિના સુવિદ્બેિગો ।। ૩૧ ।। तत्सत्कर्मा बद्ध्वोत्कृष्टामन्तर्मुहूताद् । सम्यक्त्वमिश्रयोरावलिकायां शुद्धद्दष्टि ।। ३९ ।। ગાથાર્થ :- સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળા મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત હીન સ્થિતિને સંક્રમાવે છે. તથા સમ્યક્ત્વને મિશ્રની આવલિકા હીન સ્થિતિને વિશુદ્ધ સમ્યક્ત્વી જીવ સંક્રમાવે છે. Jain Education International ટીકાર્ય : ‘‘તત્સમાં’’ સમ્યક્ત્વ અને મિશ્રની સત્તાવાળા મિથ્યાદ્દષ્ટી જીવો મિથ્યાત્વની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી તરત જ મિથ્યાત્વથી પડીને સમ્યક્ત્વનું આલંબન લઇને અર્થાત્ સમ્યક્ત્વ પામીને તે શુદ્ધદૃષ્ટિવાળો અંતર્મુહૂર્ત ન્યૂન એવી મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત્વ અને મિશ્રમાં સંક્રમાવે છે. પછી સંક્રમાવલિકા પસાર થયા પછી ઉદયાવલિકાથી ઉપરની (સમ્યક્ત્વની) સ્થિતિને અપવર્ઝના કરણ વડે સ્વસ્થાનમાં સંક્રમાવે છે. અને મિશ્રમોહનીયની સ્થિતિને પણ સમ્યક્ત્વમાં સંક્રમાવે છે. અને (સ્વસ્થાનમાં) અપવર્ત્તના કરે છે. તે કારણથી ત્રણે દર્શનમોહનીયના ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિ (વિશુદ્ધ) સમ્યગ્દષ્ટિ જ છે. (યંત્ર નં૦ ૨૩ જુઓ) (પરિશિષ્ટ-૧માં યંત્ર નં-૧ જુઓ) ઇતિ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામિત્વ સમાપ્ત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy