SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૭૩ બે આવલિકા હીન પણ કેમ ? તો કહે છે બંધવિચ્છેદ થયા બાદ તરત જ બંધાવલિકા પસાર થયે અન્ય સમયે બાંધેલ પુરુષવેદાદિ - ૪ની પ્રકૃતિ સ્થિતિ સંક્રમણ કરવાનું શરૂ કરે છે અને તે આવલિકા માત્ર કાળમાં સંક્રમી અને એ જ સંક્રમાવલિકાના છેલ્લા સમયે જઘન્ય સ્થિતિસંક્રમ પ્રાપ્ત થાય છે. તેથી બન્ધાવલિકા અને સંક્રમાવલિકા રહિત અને અબાધાકાલ સહિત જેટલાં જઘન્ય સ્થિતિબંધ તેટલી જ જઘન્ય સ્થિતિ સંક્રમકાલે એ ૪ પ્રકતિઓની યતુસ્થિતિ - સર્વસ્થિતિ પણ જાણવી. जोगंतियाणमंतोमुहुत्तिओ, सेसियाण पल्लस्स । મારો અસલિયતમો, નદિ કતિરાડુ સદ II રૂ૫ છે. योग्यन्तिकानामान्तर्मीहूत्तिकी शैषिकाणां पल्यस्य । भागोऽसख्येयतमे, यस्थितिक आवलिकया सह ॥ ३५ ॥ ગાથાર્થ :- સયોગ્યન્તિક પ્રવૃતિઓનો જ સ્થિ, સંક્રમ એક આવલિકા રહિત અંતર્મુહુર્ત પ્રમાણ છે. ને શેષ પ્રકૃતિઓનો જ સ્થિતિસંક્રમ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. અને આ બન્ને પ્રકારની પ્રવૃતિઓની સંક્રમકાળે સર્વસ્થિતિ એક આવલિકા સહિત જસ્થિ૦ સંક્રમ પ્રમાણ છે. ટીકાર્ય - કેવલીને સત્તાકર્મની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ પ્રરૂપણા માટે કહે છે. “નોતિયાણામંતોમુત્તમો' સયોગી કેવલીને સંક્રમ આશ્રયીને જેઓનો તે “યોયન્તિ:નરકદ્ધિક, તિર્યંચદ્રિક, પ્રથમ-૪ જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, ઉદ્યોત, એ ૧૩ પ્રકૃતિઓ સિવાય બાકીની નામની ૯૦ પ્રકૃતિઓ, સાતાવેદનીય, અસાતાવેદનીય, ઉચ્ચગોત્ર, અને નીચગોત્ર, એ ૯૪ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ, અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - આ પ્રવૃતિઓને સયોગી કેવલી છેલ્લા સમયે અંતર્મુહુર્ત પ્રમાણ સ્થિતિ રહે છે. અને તે જ સમયે તે (પ્રકૃતિઓ) *સર્વોપવર્તના સંક્રમથી અપવર્નના કરી અયોગિ અવસ્થા પ્રમાણ કરે છે. અને અયોગી અવસ્થા અંતર્મુહૂર્ણપણું છે. ફક્ત આ અંતર્મુહુર્ત અત્યંત નાનું જાણવું. અને સર્વાપવર્તનથી અપવર્તન સ્થિતિ ઉદયાવલિકા રહિત છે. કારણકે ઉદયાવલિકા સકલકરણ અયોગ્ય હોવાથી અપવર્તના (ઉદયાવલિકાની) થતી નથી. તેથી અપવર્નના ઉદયાવલિકા રહિત તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. તથા એ ૯૪ પ્રકૃતિઓની યતુસ્થિતિ અપવર્તના રૂપ જઘન્ય સ્થિતિસંક્રમ અવસરે ઉદયાવલિકા સહિત અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે આ પ્રવૃતિઓનો ક્ષીણકષાય ગુણસ્થાનક મતિજ્ઞાનાવરણાદિની જેમ અયોગી કેવલિ ગુણસ્થાને સમયાધિક આવલિકા બાકી રહે છતે જઘન્ય સ્થિતિસંક્રમ કેમ ન કહેવાય ? તો જવાબ કહે છે. અયોગી કેવલિને સર્વ સૂક્ષ્મ કે બાદર યોગ રહિતપણું હોવાથી નિષ્ક્રિય છે. એક પણ કરણ પ્રવર્તાવતા નથી.' બાકીની પ્રકૃતિનો આશ્રયીને કહે છે. “સેસિયા' ઇત્યાદિ કહેલી પ્રકૃતિઓ તે સિવાયની થીણદ્વિત્રિક, મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ, નપું- સ્ત્રીવેદ, નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, પ્રથમ જાતિ-૪, સ્થાવર, સૂક્ષ્મ, આતપ, ઉદ્યોત, સાધારણ લક્ષણવાળી ૩૨ પ્રકૃતિઓનો પોત પોતાના ક્ષપણ કાલે (ક્ષય થતી વખતે) પલ્યોપમનો અસંખ્ય ભાગ માત્ર જે અંત્ય નિક્ષેપ (સંક્રમના અંત્ય સમયે જે પરમાણનો સમૂહ સ્વ-પર પ્રકૃતિમાં પ્રક્ષેપવો તે અંત્ય સંછોભ અથવા અંત્ય પ્રક્ષેપ કહેવાય છે.) તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. અને યતુસ્થિતિ તો પોતાના કાળ સર્વ સ્થિતિયુક્ત સંક્રમાવલિકા સાથે યુક્ત જાણવો. અને આ યતુસ્થિતિ સ્ત્રી - નપુ0 વેદને છોડીને કહેલી જાણવી. કારણકે સ્ત્રી - નપુવેદ સિવાય બાકીની ૩૦ પ્રકૃતિઓનો એક નીચેની આવલિકા મૂકીને બાકી ઉપર પલ્યોપમ અસંખ્યયભાગ માત્ર અંત્યખંડરૂપ સ્થિતિને બીજે સંક્રમાવે છે. તેથી તે ૩૦ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ કાલે થતુસ્થિતિ - સર્વસ્થિતિ તે જ જધન્ય સ્થિતિસંક્રમ આવલિકા અધિક છે. સ્ત્રી - નપુંસકવેદનો તો છેલ્લો સ્થિતિખંડ અત્તરકરણમાં રહીને સંક્રમે છે. અને અંતરકરણમાં કર્મલિક વેદાતુ નથી. પરંતુ તેથી આગળ વેદાય છે. અને અન્તરકરણ અંતર્મુહુર્ત પ્રમાણ છે. તેથી અંતર્મુહૂર્ણ યુક્ત જઘન્ય સ્થિતિસંક્રમ તે બન્નેની થતુસ્થિતિ સંભવે છે. (યંત્ર નં ૨૪ જુઓ). | ઇતિ ૪થી જઘન્ય સંક્રમ સ્થિતિ પ્રમાણ પ્રરૂપણા સમાપ્ત . ૪૪ સંક્રમ ચાલતાં ચાલતાં અંય સમયે શેષ રહેલા સર્વ પરમાણુઓનો સમુદાય એકદમ સંક્રમાવી દેવો તે “સપના' અથવા સર્વસંક્રમ ઉદવલનાને અન્ને હોય* ૪૫ અયોગી ગુણસ્થાનકે માત્ર તિબુક સંક્રમ થાય છે, કે જે સંક્રમ કરણરૂપ નથી, અને સયોગી ગુણસ્થાને તો વીર્યપ્રવૃતિરૂપે કરણ ચાલુ હોવાથી ત્યાં સ્થિતિસંક્રમ થાય છે, કે જે કરણ વિશેષ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy