SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ અહીં વસ્તુ સ્વભાવ એ પ્રકારનો છે કે જ્યારે નિદ્રાદ્વિકનો આવલિકાનો અસંખ્યાતમાભાગ અધિક બે આવલિકા બાકી રહે ત્યારે ઉપરની એક સમયમાત્ર સ્થિતિ સંક્રમે છે. પરંતુ મતિજ્ઞાનાવરણાદિની જેમ સમયાધિક આવલિકા બાકી રહે (ઉ૫૨ની સમયમાત્ર સ્થિતિ) સંક્રમે તેમ બનતું નથી. ૩૭૨ હવે જે પ્રકૃતિઓ જઘન્ય સ્થિતિસંક્રમ પરપ્રકૃતિમાં (સંક્રમવાથી) સંભવે છે, તે પ્રતિપાદન કરે છે. ‘ફ્રાસ’’ ઇત્યાદિ તે હાસ્યથી ઓળખાય છે. તે હાસ્યષટ્ક - હાસ્ય, રતિ-અતિ, શોક, ભય, જુગુપ્સા એ ૬ પ્રકૃતિઓનો સંપકશ્રેણિ કરનાર અપવર્દનાકરણ વડે સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિ કરાયેલ છે. તેથી તે (પ્રકૃતિઓ) સર્વથા નિર્લેપ (ક્ષય) પ્રસંગે તે સંજ્વલન ક્રોધમાં નાંખે છે ત્યારે હાસ્યષકનો જઘન્યસ્થિતિ સંક્રમ થાય છે. सोणमुहुत्ता जट्टिइ, जहण्णबंधो उ पुरिससंजलणे । जइि सगऊणजुत्तो, आवलियदुगूणगो तत्तो ॥ ३४ ॥ सोनान्तर्मुहूर्त्ता यत्स्थिति - जघन्यबन्धस्तु पुरुषसंज्वलनानाम् । યસ્થિતિ સ્વજોનયુક્તઃ, બાવનિાઢિોનસ્તતઃ ॥ ૩૪ || ગાથાર્થ :- તે અવસરે હાસ્યષકની અંતર્મુહૂર્ત અધિક (સંખ્યાત વર્ષ પ્રમાણ) યતુસ્થિતિ છે. પુનઃ પુરુષવેદ અને સંજ્વલનત્રિકનો જઘન્ય સ્થિતિસંક્રમ તે અબાધારહિત જ સ્થિતિબન્ધ પ્રમાણ છે. અને સ્વઉણયુક્ત એટલે અંતર્મુહૂર્ત રૂપ અબાધા સહિતને બે આવલિકા રહિત જસ્થિ બંધપ્રમાણ યતુસ્થિતિ છે. ટીકાર્થ :- સંક્રમણકાલે તે જ (હાસ્યષટ્કની) સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિ ‘સોનમુન્ટૂર્ના’ અંતર્મુહૂર્તથી અધિક કરીએ ત્યારે યતુસ્થિતિ - સર્વસ્થિતિ થાય છે. તે આ પ્રમાણે કહે છે. અન્તરક૨ણમાં વર્તતો જીવ તે સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિને સંજ્વલન ક્રોધમાં સંક્રમાવે છે. અને અન્તરકરણમાં કર્મદલિક વેદાતુ નથી. પરંતુ તેથી આગળ વેદાય છે. તેથી અન્તરકરણ કાલથી અધિક સંખ્યાત વર્ષ પ્રમાણથી જે સ્થિતિ તે હાસ્યષટ્કની જઘન્યસ્થિતિ સંક્રમકાલે યતુસ્થિતિ છે. અને આ સંધ્યેય વર્ષ પ્રમાણ તે સ્થિતિને અપવત્તના કરણથી ટુંકી કરીને સંજ્વલન ક્રોધની ઉદયાવલિકામાં નાંખે છે. એ પ્રમાણે જાણવું. નહિ તો સ્થિતિ ઘણી હોવાથી ઉદયાવલિકાના બહારના ભાગમાં પણ નાંખે અને તેથી અન્ય પ્રકૃતિની ઉદયાવલિકામાં જે અંતિમ (સ્થાન) દળિયા તે જઘન્ય સ્થિતિસંક્રમ છે. એ પ્રમાણે વચન વિરૂદ્ધ થાય. પુરુષવેદનો અને સંજ્વલનનો જે જઘન્ય સ્થિતિબંધ પહેલા કહ્યો છે તે આ પ્રમાણે છે. પુરુષવેદનો આઠ વર્ષ, સંજ્વલન ક્રોધનો બે માસ, સંજ્વલન માનનો ૧ માસ, સંજ્વલન માયાનો અર્ધ માસ, તે જ જઘન્ય સ્થિતિબંધ અબાધાકાળ ઓછો તેઓનો (૪ પ્રકૃતિઓનો) જઘન્ય સ્થિતિસંક્રમ છે. કારણકે અબાધારહિત જ સ્થિતિ અન્યત્ર (પરપ્રકૃતિમાં) સંક્રમે છે. ત્યાં જ (અબાધારહિત સ્થિતિમાંજ) કર્મદલિકનો સંભવ છે. કારણકે અબાધાકાલ રહિત જે કર્મસ્થિતિ તે કર્મનિષેક રૂપ કહેવાય. અને જધન્ય સ્થિતિબંધની અબાધા અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. અને જઘન્ય સ્થિતિ સંક્રમણકાલે અબાધાકાળ મધ્યમાં પૂર્વે બાંધેલ (કર્મદલિક) સત્તાકર્મ સર્વ પણ ક્ષીણ થવાથી તે અબાધાકાલ મધ્યે પૂર્વે બાંધેલ દલિકની સત્તા હોતી નથી. તેથી પુરુષવેદ આદિનો *વૈજઘન્ય સ્થિતિસંક્રમ તે અંતર્મુહૂર્ત હીન પોત પોતાના જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ છે. અને તે વખતે તેઓની યસ્થિતિ - સર્વસ્થિતિ પોતાના તે હીન કરેલા અંતર્મુહૂર્ત રૂપ અબાધાકાલ સહિત જ સ્થિતિસંક્રમમાંથી અથવા જઘન્ય સ્થિતિબંધમાંથી પણ બે આવલિકા હીન જેટલી જાણવી. ૪૩ અહીં પુરુષવેદાદિ પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત ન્યૂન જઘન્ય સ્થિતિબંધ પ્રમાણ જઘન્યસ્થિતિ સંક્રમ કહ્યો. કારણમાં એમ જણાવ્યું છે કે અબાધામાં તો દલ રચના હોતી નથી. બરાબર છે. વિવક્ષિત સમયે બંધાયેલ કર્મની અબાધામાં તો દલરચના હોતી નથી. પરંતુ પહેલાં બંધાયેલા કે જેનો અબાધાકાળ વીતી ગયો હોય છે તેની દલરચના તો હોય છે. પહેલાં જણાવી પણ ગયા છે. કે વિવક્ષિત સમયે બંધાયેલ કર્મનો અબાધાકાળ હોઇ શકે, આખી લતાનો નહિ . અને તેથી જ ૩૦ કોકો સાગ આદિ પ્રમાણ બંધાયેલ કર્મ સ્થિતિ બંધાવલિકા ઉદયાવલિકા ન્યૂન સંક્રમી શકે છે. એ પ્રમાણે અહીં બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની એમ બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ સંક્રમે તે જઘન્યસ્થિતિ સંક્રમ એમ કેમ ન કહ્યું ? અંતર્મુહૂર્ત ન્યૂન શા માટે કહ્યો ? પ્રશ્ન ઠીક છે. પરંતુ આ પ્રશ્ન ત્યારે જ થાય કે જે સમયે ઉપરોક્ત પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ થાય. તે સમયે અન્ય સમયોના બંધાયેલ કર્મદલો સત્તામાં હોય. પરંતુ તેમ નથી. જે સમયે પુરુષવેદાદિનો જધન્ય સ્થિતિસંક્રમ થાય છે તે સમયે પોત પોતાના વિચ્છેદ સમયે જે બંધાયુ હોય છે તે જ સત્તામાં હોય છે. અન્ય કોઇ પણ સમયનું બંધાયેલ સત્તામાં હોતું નથી. કેમકે ક્ષય થઇ ગયો હોય છે. માટે જ પુરુષવેદાદિ પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષાદિ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy