SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૫૩ ૯૬ રહિત અને ૮૨ સહિત સંક્રમસ્થાનો સંક્રમે છે. તે આ પ્રમાણે કહે છે. ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ અને ૮૨. આ પ્રમાણે અધુવસત્તાત્રિક પૂર્ણ થાય છે. અને પ્રથમ સત્તાચતુષ્કમાંથી ૧૦૩ - ૯૬ લક્ષણવાળા બે સ્થાન જિનનામ ઉપલક્ષિત છે તે દૂર થાય છે. એ પ્રમાણે જે કહ્યા છે તે પાંચ સંક્રમસ્થાન થાય છે. ( -: ૨૬ના પતગ્રહમાં પાંચ સંક્રમસ્થાનો :- ૧૦૨ - ૯૫ - ૩ - ૮૪ અને ૮૨) (૧ - ૨) એકેo પ્રાયોd ૨૬માં ૧૦૨ - ૯૫ને સંદમણ :- ત્યાં ૧૦૨ અને ૯૫ની સત્તાવાળા નારક સિવાયના એકે આદિ જીવ તૈજસ, કાર્મણ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, વર્ણાદિ-૪, એકેન્દ્રિયજાતિ, હુંડક સંસ્થાન, દારિક શરીર, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર કે અસ્થિર, શુભ કે અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ કે યશ-કીર્તિ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ કે ઉદ્યોત રૂ૫ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૬ પ્રકૃતિઓ બાંધતા ૧૦૨ કે ૯૫ પ્રકતિઓ તે જ ૨૬ના પતઘ્રહમાં સંક્રમે છે. (૩ - ૪) એકે પ્રાયો. ૨૬માં ૯૩-૮૪નું સંક્રમણ :- તથા તે જ નારક સિવાયના એકેન્દ્રિય આદિ ૯૩ની સત્તાવાળા અને દેવ નારક સિવાયના ૮૪ની સત્તાવાળા તે જ પૂર્વે કહી તે ૨૬ પ્રકૃતિઓ બાંધતા ૯૩ અને ૮૪ પ્રકૃતિઓ તે જ ૨૬ના પતંગ્રહમાં સંક્રમે છે. (૫) એકે પ્રાયો. ૨૬માં ૮૨નું સંક્રમણ - તથા તે જ એકેન્દ્રિય આદિ દેવ નારક મનુષ્ય સિવાયના ૮૨ની સત્તાવાળા તે જ પૂર્વે કહેલ ૨૬ પ્રકૃતિઓ બાંધતા ૮૨ પ્રકૃતિઓ તે જ ૨૬ ના પતગ્રહમાં સંક્રમે છે. (૨પના પતદગ્રહમાં પાંચ સંક્રમસ્થાનો ૧૦૨ - ૫ - ૯૩ - ૮૪ અને ૮૨. એકે પ્રાયોગ્ય (૧ થી ૫) :- હવે ૨૫ના પતગ્રહમાં તે જ પાંચ સંક્રમસ્થાનો વિચારવા ત્યાં પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પૂર્વે કહેલ તે જ ૨૬ પ્રકૃતિઓમાંથી આતપ અથવા ઉદ્યોત રહિત ૨૫ પ્રકૃતિઓ બાંધતા એ બે, તે ચઉરિન્દ્રિય આદિ ૧૦૨ - ૫ - ૯૩ - ૮૪ - ૮૨ની સત્તાવાળા જીવો યથાક્રમે તે જ ૨૫ના પતગ્રહમાં ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ અને ૮૨ પ્રકૃતિઓ સંક્રમે છે. (૧ થી ૫) અપર્યાવિકલ0 તિo પંચે, મનુષ્ય પ્રાયો. ૨૫માં ૧૦૨ આદિ ૫ સંક્રમસ્થાનો:અથવા અપર્યાપ્ત વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય પ્રાયોગ્ય તૈજસ, કામણ, વર્ણાદિ-૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, બેઇન્દ્રિય આદિ માંથી કોઇ એક જાતિ, હુંડક સંસ્થાન, સેવાર્ત સંઘયણ, શરીર, ઔ અંગોપાંગ, તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ-કીર્તિ લક્ષણવાળી ૨૫ પ્રકૃતિઓ બાંધતો એકે બે, તે ચઉ0 અને તિય પંચે ૧૦૨ આદિ સત્તાવાળો ૨૫ના પતઘ્રહમાં ૧૦૨ આદિ પાંચ સંક્રમસ્થાનો સંક્રમે છે. અને મનુષ્ય ૮૨ સિવાયના ૪ સંક્રમસ્થાનો સંક્રમે છે. ૨૩ના પતગ્રહમાં ૫ સંક્રમસ્થાનો :- ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ તથા અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય વર્ણાદિ - ૪, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તેજસ, કાર્મણ, ઔદo શરીર, હુડક સંસ્થાન, એકેન્દ્રિયજાતિ, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, બાદર કે સૂક્ષ્મ, સ્થાવર, અપર્યાપ્ત, પ્રત્યેક કે સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ લક્ષણવાળી ૨૩ પ્રકૃતિઓ બાંધતો એકે બે, તે ચઉ0 અને તિર્યંચ પંચેન્દ્રિય ૧૦૨ - ૯૫ - ૯૩ - ૮૪ - ૮૨ સત્તાવાળો જીવ યથાક્રમે ૧૦૨ આદિ ૫ સંક્રમસ્થાનો સંક્રમે છે, અને મનુષ્ય ૮૨ સિવાયના ૪ સંક્રમસ્થાનો સંક્રમે છે. પ્રશ્ન :- અહીં કોઇક શંકા કરે છે કે સંક્રમ થતું પ્રકૃતિનું દલિયું પરમાણું સ્વરૂપે છે કે પતઘ્રહ પ્રકૃતિરૂપે પરિણમે છે તેથી આ પ્રકૃતિ સંક્રમ નથી, પણ પ્રદેશ સંક્રમ જ છે, હવે પ્રકૃતિ સ્વભાવ તેનું જે સંક્રમ છે તે પ્રકૃતિસંક્રમ એ પ્રમાણે કહેવાય તે યોગ્ય નથી, કારણકે સ્વભાવનું બીજે સંક્રમણ કરવું અશક્ય છે. તેથી એ પ્રમાણે વિચારતાં પ્રકૃતિસંક્રમ ઘટતો નથી, તેથી તેનું જે સઘળું પ્રતિપાદન કરવું તે બધું પણ ભીંત વગર ચિત્ર કરવા જેવું છે. એ પ્રમાણે સ્થિતિ અને અનુભાગ સંક્રમ પણ ઘટી શકતા નથી. સ્થિતિ એટલે કે નિયતકાળ સુધી રહેવું, અને કાળનું બીજે સંક્રમણ થવું શક્ય નથી, કારણ કે કાળ અમૂર્ત છે. તેથી અનુભાગ પણ રસ કહેવાય છે. અને તે પરમાણુનો ગુણ છે, અને ગુણને ગુણી પરમાણુઓનો સંક્રમ થાય તો પ્રદેશસંક્રમનો જ પ્રસંગ આવે. તેથી પ્રદેશ સંક્રમ સિવાય બીજો કોઇ પણ સંક્રમ યોગ્ય નથી. ૩૦ જો અહીં મનુષ્ય પ્રાયોગ્ય બાંધતો હોય તો મનુષ્યગતિ - આનુપૂર્વી લેવી. તેમજ જાતિમાં પણ પંચેન્દ્રિય જાતિ લેવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy