SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૪૯ तिगद्गसयं छपंचग - णउई य जइस्स एक्कतीसाए । एगंतसेढिजोगे, वज्जिय तीसिगुणतीसासु ॥ २६ ॥ त्रिकद्धिकशतं षट्पञ्चक - नवतिश्च यतेरेकत्रिंशति । હનાળયોનિ, વળગતા ત્રિોનર્સિંશતઃ | ૨૬ || ગાથાર્થ :- અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા યતિને ૩૧ પ્રકૃતિરૂપ પતગ્રહમાં ૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫ એ ૪ સ્થાનો સંક્રમે છે. તથા ૧૦૧ - ૯૪ - ૯૯ - ૮૮ - ૮૧ એ પાંચ એકાન્ત શ્રેણિયોગ્ય સંક્રમસ્થાનો સિવાયના શેષ સાત સંક્રમસ્થાનો ૩૦ - ૨૯ એ બે પતગ્રહમાં સંક્રમે છે. ટીકાર્ય - ૩૧ પ્રકૃતિ સમુદાયરૂપ પતગ્રહમાં પ્રથમ સત્તાચતુષ્ક લક્ષણ ૪ સંક્રમસ્થાન થાય છે. અને તે આ પ્રમાણે કહે છે. – અપ્રમત્ત અને અપૂર્વકરણે વર્તતાં યતિને દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયશરીર, સમચતુરસસંસ્થાન, વક્રિય અંગોપાંગ, દેવાનુપુર્ની, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસદશક, તૈજસ, કામણ, વર્ણાદિચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, તીર્થકર, આહારકદ્વિક, લક્ષણવાળી ૩૧ પ્રકૃતિ બાંધતા એ ૩૧ પ્રત્યાત્મક પતઘ્રહમાં ૧૦૩ - ૧૦૨ - ૯૬ અને ૯૫ એ પ્રમાણે ૪ સંક્રમાનો સંક્રમે છે. ( -: દેવ પ્રાયોગ્ય ૩૧ના પતગ્રહમાં ૪ સંક્રમસ્થાનો :- (૧૦૩ - ૧૦૨ - ૯૬ - ૯૫) ) દેવ પ્રાયો. ૩૧ના પતઘ્રહમાં ૧૦૩નું સંક્રમણ :- ત્યાં ૧૦૩ પ્રકૃતિઓ તીર્થંકર આહારક નામની બંધાવલિકા પૂર્ણ થયા બાદ ૩૧ના પતઘ્રહમાં સંક્રમે છે. દેવ પ્રાયો. ૩૧ના પતગ્રહમાં ૧૦૨ નું સંક્રમણ - વળી તીર્થંકરનામની બંધાવલિકા પૂર્ણ ન થાય તે પહેલા (અર્થાત્ જિનનામની બંધાવલિકામાં વર્તતાં) ૧૦૨ પ્રકૃતિઓ સંક્રમે છે. દેવ પ્રાયો. ૩૧ના પતાહમાં ૯૬નું સંક્રમણ :- તથા આહારકસપ્તકનો બંધાવલિકા પૂર્ણ થતા પહેલા અર્થાત્ બંધાવલિકામાં વર્તતાં ૯૬ પ્રકૃતિઓ ૩૧ના પતઘ્રહમાં સંક્રમે છે. દેવ પ્રાયો... ૩૧ ના પતગ્રહમાં ૯૫નું સંક્રમણ :- તથા “તીર્થકર - આહારકસપ્તકનો બંધાવલિકા પૂર્ણ થતા પહેલા અર્થાત બંધાવલિકામાં વર્તતાં ૯૫ પ્રકતિઓ ૩૧ના પતગ્રહમાં સંક્રમે છે. ૨૩ એમ કહેવાનું કારણ એ છે કે ૧૦૨ પ્રકૃતિનો સંક્રમ તે જિનનામ રહિત છે. અર્થાતુ જે સમયથી જિનનામના બંધનો પ્રારંભ થયો તે સમયથી ૧૦૩ની સત્તા તો થઇ, પરંતુ બંધાવલિકા સર્વકરણ અસાધ્ય હોવાથી જિનનામ એક આવલિકા સુધી સંક્રમે નહિ. માટે પ્રથમ આવલિકાએ જિનનામ રહિત ૧૦૨નો સંક્રમ કહ્યો. પરંતુ આ વખતે આહારકટ્રિકનો બંધ જિનનામના બંધથી પણ ઓછામાં ઓછી એક આવલિકા પૂર્વે થયેલ હોવો જોઇએ. અન્યથા આ સંક્રમસ્થાન પ્રાપ્ત ન થાય. - જિનનામનો નિકાચિત બંધ થયા પછી પ્રતિસમય ૪ થી ૮/૬ ભાગ સુધીમાં જિનનામકર્મ અવશ્ય બંધાયા કરે છે. એ પ્રમાણે આહારકઢિક બંધાયા પછી ૭ થી ૮/૬ ભાગ સુધીમાં આહારકદ્ધિક પણ પ્રતિસમય બંધાયા કરે છે. ૨૪ અહીં સર્વત્ર બંધની વિવક્ષામાં નામકર્મની ૬૭ પ્રકૃતિઓ ગણાય છે. માટે બંધરૂપ પતગ્રહ વિવલામાં આહારદ્ધિક ગણવામાં આવશે. અને સત્તાની વિવક્ષામાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ ગણાતી હોવાથી સત્તારૂપ સંક્રમની વિવલામાં આહારકસપ્તક ગણવામાં આવશે. પુનઃ બંધાવલિકા વસ્તુતઃ આહારક સંબંધી સાતે પ્રકૃતિઓની હોવાથી “આહારકસપ્તકની બંધાવલિકા એ શબ્દ વ્યપદેશ સંક્રમસ્થાનને અધિકારીને કરવાની જરૂર છે. અન્યથા સંક્રમસ્થાનની પ્રકૃતિઓની સંખ્યા અવ્યવસ્થિત થઇ જાય છે.” પુનઃ આ સંક્રમસ્થાનની પ્રાપ્તિ પૂર્વે એક આવલિકા પૂર્વે જિનનામનો બંધ પ્રારંભાયેલો હોવો જોઇએ અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન થાય. ૨૫ જે સમયે જિનનામ અને આહારકદ્ધિક એ ત્રણેનો બંધ સમકાળે શરૂ થાય. તે સમયથી શરૂ કરીને એક આવલિકા સુધી સંક્રમસ્થાન પ્રાપ્ત થાય. અન્યથા એ સંક્રમસ્થાનની પ્રાપ્તિ ન થાય. For Personal & Private Use Only Jain Education Interational www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy