SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૧૫ ગાથાર્થ :- એકેક પ્રકૃતિને અંગે સંક્રમ અને પતગ્રહતા પ્રથમ જે રીતે કહી છે તે રીતે અહીં પ્રકૃતિસ્થાનોમાં પણ જાણવી. તેમાં પણ પ્રથમ જ્ઞાનાવરણીય અને અંતિમ અંતરાય સંબંધી પાંચે પ્રકૃતિઓમાં સંક્રમ ને પતગ્રહ એ બે ભાવ છે. ૧૦. ટીકાર્થ :- આ પ્રમાણે એકેક પ્રકૃતિઓનો સંક્રમ અને પતદ્મહતાની સાદિ-અનાદિ પ્રરૂપણા કરી. હવે પ્રકૃતિસ્થાનને વિષે તે સાદિ - અનાદિ પ્રરૂપણા બતાવતાં કહે છે. - જે પ્રમાણે એકેક પ્રકૃતિઓનું પતગ્રહ અને સંક્રમ સાદિ - આદિ રૂપપણે કહ્યો તે પ્રમાણે પ્રકૃતિસ્થાનોને વિષે જાણવું. બે ત્રણ પ્રકૃતિઓનો સમુદાય તે પ્રકૃતિસ્થાન કહેવાય છે. ત્યાં એકેક પ્રકૃતિને બુદ્ધિમાં ગ્રહણ કરીને પ્રકૃતિસંક્રમ અને પતગ્રહ પ્રમાણે કહ્યો તે પ્રમાણે સમુદાયની વિવક્ષામાં પ્રકૃતિ સ્થાન સંક્રમ અને પતદ્મહ પણ કહેવાં. વસ્તુ સ્વભાવથી તો જ્યારે એક પ્રકૃતિનું સ્વજાતીય એક પ્રકૃતિમાં સંક્રમણ થાય, જેમ સાતાનું અસાતામાં, અથવા અસાતાનું સાતામાં સંક્રમણ થાય તે પ્રકૃતિસંક્રમ પ્રકૃતિપતગ્રહ કહેવાય છે. જ્યારે ઘણી પ્રકૃતિઓ એક પ્રકૃતિને વિષે સંક્રમણ થાય, જેમ એક યશઃકીર્તમાં શેષ નામ પ્રકૃતિઓનું સંક્રમણ થાય તે પ્રકૃતિસ્થાનસંક્રમ પ્રકૃતિપતગ્રહ થાય. જ્યારે ઘણી પ્રકૃતિઓને એકનું સંક્રમણ કરે, જેમ મિથ્યાત્વનું સમ્યક્ત્વ અને મિશ્રમાં સંક્રમણ કરે ત્યારે પ્રકૃતિસ્થાન પતગ્રહ પ્રકૃતિસંક્રમ થયું કહેવાય. જ્યારે ઘણી પ્રકૃતિઓને વિષે ઘણી પ્રકૃતિઓ સંક્રમણ કરે ત્યારે પ્રકૃતિસ્થાન સંક્રમ - પ્રકૃતિસ્થાન પતગ્રહ થાય એ પ્રમાણે જાણવું. અને એ પ્રમાણે પ્રકૃતિસ્થાનસંક્રમ પતદ્વ્રહનું સાદિ-અનાદિ અતિદેશવડે જ કરીને દરેક કર્મનું સંક્રમ, પતગ્રહનો વિષય, સ્થાનની સંખ્યા બતાવવાની ઇચ્છાવાળા કહે છે. ‘પસ્મૃતિમ’ ડ્વાતિ જ્ઞાનાવરણ અંતરાયની એક જ પાંચે પ્રકૃતિઓનું પોતાનું સત્તાસ્થાન - સંક્રમસ્થાન અને એક જ પોતાની પાંચે પ્રકૃતિઓનું બંધસ્થાન પતગ્રહસ્થાન છે. અને આ સંક્રમ - પતગ્રહભાવ સાદિ - આદિ રૂપે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઉપશાંતમોહ ગુણસ્થાનકે તે બન્નેનો અભાવ છે, ત્યાંથી પડેલાને સંભવ હોવાથી સાદિ, તે સ્થાન નહીં પામેલાને અનાદિ, ધ્રુવ - અધ્રુવ, અભવ્ય - ભવ્યની અપેક્ષાએ જાણવું. नवगच्छक्कचउक्के, णवगं छक्कं च चउसु विइयम्मि । અન્નયોસ્ટ્સ અન્નયરા, વિ ય વેયળોવોડ્યું ॥ ૧ ॥ નવ - ષ - ચતુષ્લેષુ, નવરું ષ = ચતુર્ભુ દ્વિતીયે । અન્યતરસ્યામન્યતરાજ હૈં, વેરનીયનોત્રયો : ॥ ૧॥ ગાથાર્થ :- દ્વિતીય દર્શનાવરણમાં ૯ - ૬ અને ૪માં ૯ સંક્રમે, તથા ૬ પ્રકૃતિઓ ૪માં સંક્રમે માટે સંક્રમસ્થાન-૨ છે, ને પતગ્રહસ્થાન-૩ છે. વેદનીય અને ગોત્રમાં બધ્યમાન કોઇપણ પ્રકૃતિમાં અબધ્યમાન કોઇપણ પ્રકૃતિ સંક્રમે માટે સંક્રમ કે પતગ્રહસ્થાન એક એક છે. ટીકાર્થ :- બીજા દર્શનાવરણીયને વિષે ૯ - ૬ - ૪ને વિષે ૯નું એક સ્થાન સંક્રમણ કરે છે, અને ૪ના એક સ્થાનને વિષે ૬નું એક સ્થાન સંક્રમે છે. તથા દર્શનાવરણીયને વિષે ૯ - ૬- ૪ લક્ષણવાળા ત્રણ જ સત્તાસ્થાન ત્રણ બંધસ્થાન અને ત્રણ જ પતગ્રહસ્થાનો છે. અને બે સંક્રમસ્થાન - ૯ અને ૬ તે ફલિત થાય છે. -- ૯નું પતગ્રહ - ૧લે - ૨જે ગુણસ્થાનકે ત્યાં ૯ પ્રકૃતિરૂપ પતગ્રહને વિષે મિથ્યાદષ્ટિ અને સાસ્વાદને ૯ પ્રકારે દર્શનાવરણીયનો બંધક નવે પણ સંક્રમણ કરે છે. અને આ નવકરૂપ પતગ્રહ સાદિ - આદિ રૂપે ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે - સાદિ - અનાદિ - ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે કહે છે. - મિશ્ર આદિ ગુણસ્થાનકોને વિષે પતગ્રહપણું થતું નથી. ત્યાંથી પડેલાને હોય છે. તેથી તે સાદ, જેને મિથ્યાત્વનો ત્યાગ કર્યો નથી તેને અનાદિ, ધ્રુવ - અધ્રુવ - અભવ્ય - ભવ્ય અપેક્ષાએ હોય છે. ૧૦ પ્રકૃતિ અને પ્રકૃતિસ્થાનના ભેદે સંક્રમ અને પતગ્રહ બબ્બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે પ્રકૃતિસંક્રમ, પ્રકૃતિ સ્થાન સંક્રમ, પ્રકૃતિ પતંગ્રહ અને પ્રકૃતિ સ્થાન પતંગ્રહ. અહીં આ પ્રમાણે ચતુર્ભૂગી થઇ શકે છે. (૧) સંક્રમ્યમાણ પ્રકૃતિ એક-, પતગ્રુહ પ્રકૃતિ પણ એક તે પ્રકૃતિસંક્રમ પ્રકૃતિપતગ્રહ. દા.ત. બંધાતી સાતામાં જ્યારે અસાતા સંક્રમે ત્યારે સંક્રમનાર અને પતદ્રુહ એકેક પ્રકૃતિ હોવાથી આ પ્રથમ ભાંગો ઘટે. (૨) સંક્રમ્યમાણ પ્રકૃતિ અનેક, પતઙ્ગહ પ્રકૃતિ એક તે પ્રકૃતિસ્થાન સંક્રમ પ્રકૃતિ પતગ્રહ. જેમ ૮મા ગુજ઼સ્થાનકના ૭મા ભાગથી બંધાતી યશઃકીર્તિમાં નામકર્મની ઘણી પ્રકૃતિઓ સંક્રમાતી હોવાથી ત્યાં બીજો ભાંગો ઘટે છે. (૩) સંક્રમ્યમાણ પ્રકૃતિ એક, પતઙ્ગહ પ્રકૃતિ અનેક તે પ્રકૃતિસંક્રમ પ્રકૃતિસ્થાનપતગ્રહ. જેમ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. ત્યા૨થી માંડીને એક આવલિકા સુધી મિશ્રમોહનીયનો સંક્રમ થતો નથી. તેથી તે વખતે માત્ર મિથ્યાત્વમોહનીયનો મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ બેમાં સંક્રમ થતો હોવાથી ત્યાં ત્રીજો ભાંગો ઘટે છે. (૪) સંક્રમ્યમાન પ્રકૃતિ અનેક, પતગ્રહ પ્રકૃતિ પણ અનેક તે પ્રકૃતિસ્થાનસંક્રમ પ્રકૃતિસ્થાનપતદ્વ્રહ. જેમ બંધાતી નામકર્મની ૨૩ આદિ પ્રકૃતિઓમાં સંક્રમનાર નામકર્મની ઘણી પ્રકૃતિઓ હોવાથી આ ચોથો ભાંગો ઘટે છે. તેમ અન્યત્ર જ્યાં ઘટે ત્યાં દૃષ્ટાંતની યોજના કરી લેવી. Jain Education International For Personal & Private Use Only www.airtelitary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy