SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ કર્મપ્રકૃતિ ટીકાર્થ:- તે પ્રમાણે અતિવ્યાપ્તિ રહિત સંક્રમ વિધિ કહ્યો. હવે ક્રમથી અને ઉત્કમ વિશેષથી સંક્રમ પ્રાપ્ત થાય છે, તે નિયમને કહે છે. અંતરકરણ વિધિ આગળ કહેવાશે. (ઉપશમનાકરણને પ્રસંગે કહેવાશે) ત્યાં ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયને ઉપશમાવવાને માટે ૨૧ પ્રકૃતિઓનો, ક્ષપકશ્રેણિમાં ૮ કષાયનો ક્ષય કર્યા બાદ ૧૩ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે અંતરકરણ કર્યું છતે “વારિત્રમોહે ” =ચારિત્રમોહનીયને વિષે પુરુષવેદ સંજ્વલન ચતુષ્કરૂપ અહીં બાકીના બંધના અભાવથી ચારિત્રમોહનીય શબ્દથી આ જ પાંચ પ્રકૃતિઓનું ગ્રહણ કરાય છે. ત્યાં આનુપૂર્વાની રીતથી ક્રમસર સંક્રાં થાય છે. પણ અનાનુપૂર્વીથી નહીં, તે આ પ્રમાણે કહે છે. - પુરુષવેદનો સંજ્વલન ક્રોધાદિમાં જ સંક્રમ થાય છે પણ બીજે સંક્રમ થતો નથી. સંજ્વલન ક્રોધનો પણ સંજ્વલન માનાદિમાં જ સંક્રમ થાય છે, પણ પુરુષવેદમાં નહીં. સંજ્વલન માનનો પણ સંજ્વલન માયાદિમાં સંક્રમ થાય છે, પણ સંજ્વલન ક્રોધાદિમાં નહીં. સંજ્વલન માયાનો પણ સંજ્વલન લોભમાં સંક્રમ થાય છે, પણ સંજ્વલન માનાદિમાં નહીં. સંજ્વલને લોભનો તો સંક્રાન્ત થતો જ નથી. “નત્ય' તિ અંતરકરણથી અન્યત્ર (બીજે સ્થાને) આદિ પાંચે પણ પ્રવૃતિઓનો વળી શેષ પ્રકૃતિઓનો (શષ ૨૦ પ્રકૃતિ સહિત ૨૫ પ્રકૃતિઓ ચારિત્રમોહનીયની) “સરૈ” તિ સર્વ અવસ્થા વિશેષમાં અથવા અંતરકરણ અવસ્થા વિશેષમાં અથવા અંતરકરણ અવસ્થાને વિષે બીજે એ પ્રમાણે અર્થ છે. તવેથા’ સર્વ પ્રકાર વડે ક્રમથી અથવા ઉત્ક્રમ વડે સંક્રમ જાણવું. શું હંમેશા જ સંક્રમ હોય છે ? ના, તો કહે છે. - “’ =બંધકાલમાં, પણ અન્યદા અર્થાતુ બીજા સમયે નહીં. બંધના અભાવમાં બંધગર્ભિત સંક્રમ લક્ષણનો અભાવ હોવાથી એ પ્રમાણે અર્થ છે. ઇતિ સંક્રમ વિષે ક્રમ - ઉક્રમનો નિયમ સમાપ્ત. -: અથ પતગ્રહને વિષે અપવાદ - तिसु आवलियासु, समयूणिगासु अपडिग्गहाउ संजलणा । दुसु आवलियासु पढमट्टितीए सेसासु वि य वेदो ॥ ५ ॥ तिसृष्वावलिकासु, समयोनासु अपतद्ग्रहास्तु संज्वलनाः। द्वयोरावलिकयोः, प्रथमस्थितौ शेषयोरपि च वेदः ॥ ५ ॥ ગાથાર્થ - અંતરકરણ કર્યું છતે સમયોન ત્રણ આવલિકા પ્રથમ સ્થિતિને શેષ રહે ત્યારે સંજ્વલન ચતુષ્ક પતઘ્રહ ન થાય. અને પ્રથમ સ્થિતિની સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પતગ્રહ ન થાય. * ટીકાર્થ :- પ્રમાણે સંક્રમનું સામાન્ય લક્ષણ, વિધિ, અપવાદ અને નિયમ કહ્યા. હવે પ્રથમ જે કહ્યું કે જે પ્રકૃતિનો બંધ કહ્યો તે જ બીજી પ્રકૃતિના દલિકના સંક્રમ પ્રતિ પતગ્રહ સામાન્યથી (અતિવ્યાપ્તિ) રહે છતે અપવાદને કહે છે. - અંતરકરણ કરે છતે પ્રથમ સ્થિતિના સમયોન ત્રણ આવલિકા શેષ રહે છતે ચારે પણ સંજ્વલન કષાય અપગ્રહપણાને પામે છે. (અર્થાત્ પતદ્રગ્રહ થતા નથી.) અંતરકરણ કરે છતે પ્રથમ સ્થિતિમાં સમયોન ત્રણ આવલિકા બાકી રહે છતે બંધાતા છતાં પણ (ચાર) સંવનને વિષે અન્ય પ્રકૃતિનું દલિયું સંક્રમ થતું નથી. તેથી તે સંજ્વલન ત્યારે પતદ્ગહ થતા નથી. એ પ્રમાણે અર્થ છે. તથા અંતરકરણ કરે છતે પ્રથમ સ્થિતિ સંબંધિ સમયોન બે આવલિકા રહે છતે પુરુષવેદ પતગ્રહ થતો નથી. અર્થાત્ ત્યાં કોઇ પણ અન્ય પ્રકૃતિનું દલિક સંક્રમ પામતું નથી. એ પ્રમાણે અર્થ છે. સ્ત્રીવેદ અને નપુંસકવેદનો ત્યારે બંધના અભાવથી જ અપતટ્ઠહપણું સિદ્ધ છે. વેદ શબ્દથી અહીં પુરુષવેદ જ ગ્રહણ કરાય છે. અને મિથ્યાત્વ ક્ષય થયે છતે મિશ્રની પતગ્રહતા થતી નથી. કારણ કે મિશ્રને વિષે મિથ્યાત્વના દલિયા જ સંક્રમ થાય છે, બીજે નહીં, અને તે મિથ્યાત્વ તો ક્ષય થયું છે, તેથી સંક્રમણવાળા દલિયાના અભાવથી ત્યાં અપતટ્ઠહતા સિદ્ધ થાય છે. અહીં એમ શંકા થાય કે સમયગૂન બે કે ત્રણ આવલિકા પ્રમાણે પ્રથમ સ્થિતિ શેષ રહે ત્યારે પતંગ્રહતા કેમ નષ્ટ થાય ? જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી પતદ્મહતા કાયમ કેમ ન રહે ? બંધ તો પતગ્રહપણું દૂર થયા પછી સમયવ્ન બે આવલિકા પન્ન થાય છે. અહીં કારણ એમ સમજાય છે કે ઉપરોક્ત પ્રકૃતિઓના અબંધના પહેલા સમયથી માત્ર બંધાયેલું દલિક જ સત્તામાં રહે છે, અન્ય કોઇ પણ પ્રકારનું લિક રહેતું નથી. હવે જો બંધવિચ્છેદ પર્યન્ત પતદ્દ્ગહરૂપે ચાલુ રહે તો બંધવિચ્છેદ થયા પછી સંમેલું દલિક પણ સત્તામાં રહે, માટે ઉપરોક્ત કાળ શેષ રહે ત્યારે પતિવ્રતા નષ્ટ થાય એમ સંભવે છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy