SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૦૯ મિશ્રવાળો જીવ મિશ્રને અને સમ્યગુદૃષ્ટિવાળો જીવ સમ્યકત્વને ક્યાંય પણ સંક્રમાવતો નથી. તથા સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિવાળા જીવો અવિશુદ્ધપણું હોવાથી ત્રણે દર્શનમોહનીયને ક્યાંય પણ સંક્રમાવતા નથી. અને બંધના અભાવમાં દર્શનમોહનીયનો સંક્રમ વિશુદ્ધ દૃષ્ટિને જ આગમમાં કહ્યો છે. તથા મિશ્રને વિષે સમ્યક્ત્વનું સંક્રમ ન થાય એ પ્રમાણે પણ જાણવું. અને પંચસંગ્રહમાં સંક્રમણકરણની ગાથા ૩માં કહ્યું છે. - “નિયનિયલિટ્ટ ર તે ફયં તફયા ન હંસગતિ પિ મીસન ન સન્મત્ત''તિ પોતપોતાની દૃષ્ટિવાળા કોઇ પણ દ્વિકને સંક્રમ કરે નહીં અને રજા - ૩જા ગુણસ્થાનકવાળા જીવ દર્શનત્રિકનું સંક્રમ કરે નહીં અને મિશ્રને વિષે સમ્યક્ત્વનું સંક્રમ કરે નહીં. અને બીજું પરપ્રકૃતિને વિષે સંક્રમ પામેલ દલિયું આવલિકા માત્ર કાળ સુધી ઉદ્વર્તનાદિ સકલ કરણ કરવાને માટે અયોગ્ય જાણવું. કેવલ સંક્રાંત જ નહીં પણ બંધાદિ આવલિકામાં રહેલ દલિયું પણ એક આવલિકા સુધી સંક્રમ થતું નથી. તે આ પ્રમાણે કહે છે. - ““સંત્રન'' ત્યારે સંક્રમાવલિકાગત, બંધાવલિકાગત, ઉદયાવલિકાગત, ઉદ્વર્તનાવલિકાગત. આદિ શબ્દથી દર્શનત્રિક રહિત ઉપશાંત મોહનીય આ સર્વે પણ અકરણ જાણવાં. અર્થાતુ સર્વ પણ કરણોને અયોગ્ય જાણવાં. દર્શનત્રિક તો ઉપશાંત થયું હોય તો પણ સંક્રમાવે છે. એ પ્રમાણે જાણવું. ઇતિ સંક્રમને વિષે અપવાદ સમાપ્ત - અથ સંમને વિષે ક્રમ-ઉત્ક્રમનો નિયમ:- ) अन्तरकरणम्मि कए, चरित्तमोहेऽणुपुब्बिसंकमणं । अन्नत्य सेसिगाणं च, सबहिं सबहा बंधो ॥४॥ अन्तरकरणे कृते , चारित्रमोह आनुपूर्विसंक्रमणम् । अन्यत्र शेषाणां च, सर्वस्मिन् सर्वेः बन्धे ॥ ४ ॥ ગાથાર્થ :- અંતરકરણ કર્યું છતે પુરુષવેદ અને સંજ્વલન ચતુષ્ક એ પાંચ ચારિત્રમોહનીયનો પૂર્વાનુપૂર્વીએ સંક્રમ હોય છે, અને અંતરકરણ સિવાયના કાળમાં એ પનો તથા શેષ સર્વનો સર્વ અવસ્થામાં સર્વ પ્રકારે (ક્રમે, ઉત્ક્રમે) બંધકાળે સંક્રમ હોય છે. અહીં તથા પંચસંગ્રહ સંક્રમણ કરણમાં પણ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એમ સ્પષ્ટ જણાવેલ છે. પરંતુ નવ્યશતક વૃત્તિમાં ગાથા-૯૯ ની વૃત્તિમાં દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે તથા વિશેષાવશ્યક બૃહદવૃત્તિમાં, આવશ્યકચૂર્ણિ વગેરેમાં ક્ષાયિક સમ્યકત્વ પામતાં, અનંતાનુબંધીનો ક્ષય કરતો આત્મા અનંતાનુબંધીનો અનંતમો ભાગ મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવે છે. અને પછી અનંતાનુબંધી સહિત મિથ્યાત્વ મોહનો ક્ષય કરે છે. આ રીતે અનંતાનુબંધીનો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થાય છે - એમ જણાવેલ છે. - આ વાતનો સમન્વય કરતાં પહેલાં દર્શનમોહનીયની અને ચારિત્રમોહનીયની પ્રવૃત્તિઓ કઇ કઇ છે તેનો વિચાર કરવાથી ખ્યાલ આવી જશે. - આજ ગ્રંથનું ત્રીજું હાર, કર્મગ્રંથ તથા આચારાંગવૃત્તિ વગેરે ગ્રંથો મિથ્યાત્વાદિક ત્રણને દર્શનમોહનીયમાં અને શેષ અનંતાનુબંધી વગેરે પચ્ચીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીયમાં જ લાવે છે. જ્યારે તન્વાર્થની ટીકામાં અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનત્રિક એ સાત પ્રકૃતિઓને દર્શનમોહનીય અને શેષ એકવીશ પ્રકૃતિઓને ચારિત્રમોહનીયમાં જણાવી છે. વળી અનંતાનુબંધી ચતુષ્ક પણ દર્શનગુણનો જ વાત કરે છે. તેથી અન્ય ગ્રંથોમાં પણ તે સાત પ્રકૃતિઓને “દર્શનસપ્તક” તરીકે બતાવવામાં આવી છે. હવે જો, ર્શન મોહનીય એટલે અનંતાનુબંધી આદિ સાત પ્રકૃતિઓ ગ્રહણ કરીએ તો “દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી." એ પાઠ અને “અનંતાનુબંધીનો મિથ્યાત્વમોહનીયમાં સંક્રમ થયો" એ પાઠ સંગત થઇ શકે છે. તથા દર્શનત્રિકને દર્શનમોહનીયથી ગ્રહણ કરીએ તો “અનંતાનુબંધીનો મિથ્યાત્વમાં સંક્રમ થાય છે” તે અલ્પ હોવાથી તેની અવિરક્ષા કરી હોય, અથવા મતાંતર હોય તેમ લાગે છે. તત્ત્વ તો બહુશ્રુતો જાણે. આમાંથી ઉદયાવલિકા નિષેકો સ્વરૂપ છે, જ્યારે શેષ ૩ કાળ સ્વરૂપ છે. જે સમયે જે ધલિકોનો બંધ-સંક્રમણ કે ઉદ્વર્તન થયું હોય તે સમય સહિતની એક આવલિકા જેટલાં કાળમાં તે લિકોનું સંક્રમણ વગેરે થતું નથી, પછી ભલે તે દલિકો ગમે તે નિષેકમાં રહ્યા હોય. ઉદયસમય સહિતની ૧ વલિકા જેટલાં કાળમાં ક્રમશઃ ઉદય પામનારા જે નિષેકો ઉદયે સમયે પણ વિદ્યમાન છે તેને ઉદયાવલિકા કહેવાય છે. એટલે કે નિષેકોની એક લીટીમાં સ્થાપના કરવામાં આવી હોય તો ઉદયસમય સહિત ૧ આવલિકા જેટલાં આયામ (ત સ્થિતિલતાની લંબાઇ)માં જે નિષેકો આવે તેને ઉદયાવલિકા કહેવાય છે. આ નિષેકોમાં રહેલ ઈલકોનું પણ સંક્રમણ વગેરે થતું નથી, પછી ભલે ને તે ધલકની બંધાવલિકા વગેરે વીતી પણ ગયા હોય. આ જ કારણસર આગળ સ્થિતિસંક્રમ વગેરેમાં બંધાવલિકા વગેરે છોડવા પડે છે. અર્થાતુ કાર્મસ વર્ગણાના પરમાણુઓ કર્મપણે બંધાયા પછી બંધ સમયથી એક આવલિકા સુધીમાં એવી અવસ્થાવાળા હોય છે કે તે પરમાણુઓનો સંક્રમ, ઉદીરણા, ઉવર્ણના, અપવર્નના ઉદય ઇત્યાદિ કંઇપણ થાય નહીં, એ રીતે સંક્રમાવલિકાદિકનું પણ જાણવું. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy