SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ કર્મપ્રકૃતિ ગાથાર્થ - વિશદ્ધ સમ્યગુદૃષ્ટિ જીવ બે દર્શનમોહનીયને બેમાં અથવા એકમાં બંધ વિના પણ સંક્રમાવે છે. તથા જે પ્રકૃતિમાં તે પ્રત્યુત્તર દલિક સંક્રમે છે તે આ આધારભૂત પ્રકૃતિનું ‘પતંગ્રહ” એવું વિશેષનામ છે. ટીકાર્ય :- આ બંધ ગર્ભિત સંક્રમલક્ષણ દર્શનત્રિક સિવાય જાણવું, એ પ્રમાણે અભિપ્રાયવાળા કહે છે. - શુદ્ધદષ્ટિ = વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ આધારભૂત સમ્યકત્વ અને મિશ્ર એ બે પ્રકૃતિમાં મિથ્યાત્વને, અને એક સમ્યકત્વમાં મિશ્રને બંધ વિના પણ સંક્રમાવે છે. અહીં મિથ્યાત્વનો જ બંધ થાય છે, પણ સમ્યક્ત્વ અને મિશ્રનો નહીં, કારણકે મિથ્યાત્વના મુદ્દગલો જ ઔપથમિક સમ્યકત્વને અનુસરતા વિશોધિ સ્થાન વડે ત્રણ પ્રકારે કરાય છે. શુદ્ધ, અર્ધશુદ્ધ, અવિશુદ્ધ. ત્યાં વિશુદ્ધ પુદ્ગલો તે સમ્યકત્વ, અર્ધવિશુદ્ધ પુદ્ગલો તે મિશ્ર અને અવિશુદ્ધ પુદ્ગલો તે મિથ્યાત્વ કહેવાય છે. તેથી વિશુદ્ધ સમ્યગુદૃષ્ટિ સમ્યકત્વ અને મિશ્રનો પતંગ્રહ કરવા રૂ૫ બંધના અભાવે પણ મિથ્યાત્વને સંક્રમાવે છે. અને મિશ્રને સમ્યકત્વને વિષે સંક્રમાવે છે. આ સિવાયના બીજા સ્થળમાં જ બંધ પતંગ્રહપણાનો નિયામક છે. એ પ્રમાણે અર્થ છે. આ સામાન્યથી સંક્રમનું લક્ષણ કહ્યું. ઇતિ સંક્રમનું લક્ષણ સમાપ્ત -: અથ પતગ્રહનું લક્ષણ :હવે જે પ્રકૃતિઓને વિષે અન્ય પ્રવૃતિઓમાં રહેલ દલિયાને સંક્રમાવે છે તે પ્રકૃતિઓના વિશેષનામ કહે છે. રા'' રૂઢિ - જે આધારભૂત પ્રકૃતિને વિષે અન્ય પ્રવૃતિઓમાં રહેલ દલિયાને પરિણાવે છે. તે આધારભૂત પ્રકૃતિરૂપપણે પ્રાપ્ત કરાવે છે, તે આધારભૂત પ્રકૃતિ છે. જેનો સંક્રમ કરાય છે. તે પ્રકૃતિઓનો આધારભૂત હોવાથી પતંગ્રહની જેમ પતગ્રહ કહેવાય છે. તાત્પર્ય એ કે સત્તામાં રહેલા દલિકો બંધાતી જે કર્મપ્રકૃતિરૂપે થાય તે પતગ્રહ કહેવાય. ઇતિ પતગ્રહનું લક્ષણ સમાપ્ત. ( -: અથ સંક્રમને વિષે અપવાદ - ). मोहदुगाउगमूलपगतीण, न परोप्परंमि संकमणं । संकमबंधुदउबट्टणालिगाई ण करणाइं ॥ ३ ॥ मोहद्धिकायुष्कमूलप्रकृतिनां, न परस्परं संक्रमणम् । संक्रमबंधोदयोद्वर्तनाऽऽवलिकादीन्यकरणानि ।। ३ ।। ગાથાર્થ :- મોહનીયદ્વિકનો, આયુષ્ય-૪નો, ને મૂલ પ્રકૃતિઓનો પ્રત્યેકનો પરસ્પર સંક્રમ ન હોય તથા સંક્રમાવલિ, બંધાવલિ, ઉદયાવલિ ને ઉદ્વર્તનાવલિકાદિગત પરમાણુઓને કોઇપણ કરણ ન લાગે - (અર્થાતુ એ ચારે આવલિકાઓ કરણ સાધ્ય ન હોય). ટીકાર્થ :- હવે લક્ષણ દ્વારા સામાન્યથી પ્રતિપાદ્યમાન =બતાવેલ સંક્રમ અતિપ્રસન્ત = અતિવ્યાપ્ત છે. અર્થાતુ જે લક્ષણ જ્યાં ઘટવું જોઇએ તે સિવાય બીજા સ્થાનમાં પણ લક્ષણ જાય. તેથી અતિવ્યાપ્તિ થાય છે. સંક્રમનું લક્ષણ જે રીતે અન્ય પ્રકૃતિઓમાં ઘટે છે તેથી અપવાદ કહે છે. - “મોહદ્વિવી” દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયનો ચારે આયુષ્યનો અને જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વગેરે રૂપ આઠે મૂળ કર્મોનો પરસ્પર સંક્રમ થતો નથી. આ ઉપલક્ષણ છે. તેથી જે દર્શનમોહનીયમાં રહેલો હોય તે જીવ દર્શનમોહનીયને અન્ય દર્શનમોહનીયથી બીજામાં સંક્રમાવે નહીં. જેમ મિથ્યાદી જીવ મિથ્યાત્વને, ૨ જેટલામાં લક્ષણ ઘટવું જોઇએ તેનાથી પણ અધિક સ્થાનમાં લક્ષણનું ઘટવું તે અતિવ્યાપ્તિ કહેવાય છે. સંક્રમનું સામાન્ય લક્ષણ પહેલી ગાથામાં આ પ્રમાણે કર્યું છે - અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃત્યાદિને સ્વજાતીય પ્રકૃતિરૂપે કરવા તે સંક્રમ કહેવાય છે. આ લક્ષણ પ્રમાણે જે દર્શનમોહનીયનો ઉદય હોય તે દર્શનમોહનીયના સંક્રમનો, બીજે-ત્રીજે ગુણઠાણે દર્શનમોહનીયના સંક્રમનો, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયના સંક્રમના, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના પરસ્પર સંક્રમનો, આયુચતુષ્કના પરસ્પર સંક્રમનો, મૂળકર્મના પરસ્પર સંક્રમનો અને ઉપશાંત થયેલ લિકના સંક્રમનો નિષેધ થતો નથી, પરંતુ સંક્રમના સામાન્ય લક્ષણ પ્રમાણે સંક્રમ થઈ શકે છે. પણ શાસકારને તે ઇષ્ટ નથી, કેમકે તે પ્રમાણે સંક્રમ થતો નથી. આ રીતે ઘેષ પ્રાપ્ત સંક્રમના સામાન્ય લક્ષણમાં અપવાદ કહી તે દોષ દૂર કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy