SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ हीं श्री सिद्धाचल महातीर्थाधिराजाय श्री आदिनाथाय नमः । -: અથ દ્વિતીય સંક્રમણકરણ :-: અથ સંક્રમણકરણને વિષે પ્રથમ પ્રકૃતિસંક્રમ - - અથ સંક્રમનું લક્ષણ :सो संकमो त्ति बुच्चइ, जं बंधणपरिणओ पओगेणं । पगयंतरत्थदलियं, परिणमयइ तयणुभावे जं ॥१॥ सः संक्रम इत्युच्यते, यद् बंधनपरिणतः प्रयोगेण । प्रकृत्यन्तरस्थदलिकं, परिणमयति तदनुभावेन यत् ॥ १ ॥ ગાથાર્થ - વીર્ય વિશેષથી પ્રકૃતિના બંધકપણે પરિણમેલો જીવ અન્ય પ્રકૃતિગત દલિકને જે તદનુરૂપ પરિણમાવે તે “સંક્રમ” કહેવાય છે. ટીકાર્થ :- બંધનકરણને કહ્યું. હવે ઉદ્દેશના ક્રમથી સંક્રમણકરણ કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને તે સંક્રમ ચાર પ્રકારે છે. (૧) પ્રકૃતિસંક્રમ (૨) સ્થિતિસંક્રમ (૩) અનુભાગસંક્રમ અને (૪) પ્રદેશસંક્રમના ભેદથી છે. ત્યાં સંક્રમનું સામાન્ય લક્ષણ કહે છે. અહીં જીવ જે બંધનથી પરિણત એટલે કે જે પ્રકૃતિનો બંધકપણે એ પરિણત હોય, આનાથી આ પ્રમાણે સૂચન કરાય છે કે જીવ અને કર્મનું તે તે પ્રકારે બધ્ધ બંધક ભાવમાં અન્યોન્ય સાપેક્ષ અર્થાત્ જીવ તે બંધક ભાવે છે અને કર્મ તે બધ્ધ છે, અને પરસ્પર સાપેક્ષ પણ છે. અને કહ્યું છે - ““નવપરિણામહે વન્મત્તા પુરતા પરિણત્તિો પોતિનિમિત્તે નવો વિ તહેવ રામ; '' જીવ પરિણામ હેતુથી કર્મપુદ્ગલો પરિણમે છે અને પુદ્ગલકર્મના નિમિત્તે જીવ પણ તે પ્રમાણે જ પરિણમે છે. કર્મ બંધાતે છતે જીવનું તથા પ્રકારના અધ્યવસાય દ્વારા અને પૂર્વ બાંધેલ કર્મનું તેવા પ્રકારના વિપાકના ઉદય દ્વારા પરસ્પર સહકારીપણું છે. એ પ્રમાણે આનો અર્થ નિર્ગલિત થયો - નીકળે છે. પ્રયોગ વડે સંકુલેશ નામના અથવા વિશોધિ નામના વીર્ય વિશેષ વડે પ્રત્યુત્તર - અન્ય પ્રકૃતિને વિષે એટલે કે ચાલુ બંધાતી પ્રકૃતિથી ભિન્ન - જુદી પ્રકૃતિ, ત્યાં રહેલ દલિયાને તેના અનુભવમાં = સપ્તમી તે તૃતીયાના અર્થમાં છે તેથી બંધાતી પ્રકૃતિના સ્વભાવ વડે જે પરિણાવે છે તે સંક્રમ કહે છે. બંધાતી પ્રકૃતિઓની મધ્યમાં અબધ્યમાન =નહીં બંધાતી પ્રકૃતિના દલિયાને નાંખેને બધ્યમાન પ્રકતિરૂપપણે તેને જ પરિણમન કરવું અને જે બધ્યમાન ભિન્ન પ્રકૃતિઓના દલિકનું અન્યરૂપપણે પરિણમન તે “સર્વસંક્રમ’ છે. એ પ્રમાણે જાણવું. ત્યાં બધ્યમાન પ્રકૃતિઓને વિષે અબધ્યમાન પ્રકૃતિઓનો સંક્રમ થાય છે. જેમ બદ્ધમાન સાહાવેદનીયને વિષે અસાતાવેદનીયનો સંક્રમ થાય અથવા બધ્યમાન ઉચ્ચગોત્રને વિષે નીચગોત્રનો સંક્રમ' થાય છે. બધ્યમાનનો પરસ્પર સંક્રમ થાય તે આ પ્રમાણે બધ્યમાન મતિજ્ઞાનાવરણીયને વિષે બધ્યમાન શ્રુતજ્ઞાનાવરણીયનો સંક્રમ થાય, અથવા બધ્યમાન શ્રુતજ્ઞાનાવરણીયને વિષે બધ્યમાન મતિજ્ઞાનાવરણીયનો સંક્રમ થાય છે. ઇત્યાદિ दुसु वेगे दिट्टिटुगं, बंधेण विणा वि सुद्धदिट्ठिस्स । परिणमयइ जीसे, तं पगईई पडिग्गहो एसो ॥२॥ द्वयोर्वेकस्मिन द्रष्टिद्विकं, बन्धेन विनाऽपि शुध्धद्रष्टेः । परिणमर्यात यस्यां, तत् प्रकृते पतद्ग्रह एषः ॥ २ ॥ સંક્રમણકરણ વડે જે પ્રકૃતિઓ બંધાતી પ્રકૃતિમાં સંક્રમે છે તે, તે રૂપે થઇ જાય છે. એટલે જેની અંદર સંક્રમી તેનું જ કાર્ય કરે છે. નીચગોત્ર ઉચ્ચગોત્રમાં જ્યારે , સંક્રમે ત્યારે જેટલું દલિક ઉચ્ચગોત્ર રૂપે થયું તે ઉચ્ચગોત્રનું જ કાર્ય કરે છે. જેની અંદર સંમે છે તે પતટ્ઠહ કહેવાય છે. જ્યાં સુધી પતગ્રહ હોય ત્યાં સુધી તેની અંદર સ્વજાતીય પ્રકૃતિ સંક્રમે છે. એટલું યાદ રાખવું કે સત્તાગત સઘળું લિક સંક્રમિતું નથી પરંતુ અમુક ભાગ જ સંક્રમે છે. નીચગોત્ર જ્યારે ઉચ્ચગોત્રમાં સંક્રમે ત્યારે નીચગોત્ર સર્વથા સંક્રમી તેની સત્તા જ ઉડી જાય એમ થતું નથી, પરંતુ નીચગોત્રનો અમુક ભાગ જ સંક્રમે છે. એટલે તેની પણ સત્તા કાયમ રહે છે. જેટલું સંક્રમે તેટલું તે રૂપે થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy