SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ કર્મપ્રકૃતિ -: જઘન્યપદે દલિક વિભાગ :-) વૈક્રિયાષ્ટક આહારકટ્રિક અને જિનનામ તેમજ તિર્યંચ-મનુષ્પાયુષ્ય વિના ૧૦૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ સર્વાલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે અને મનુષ્ય-તિયચાયુષ્યનો એજ જીવને પોતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થયા બાદ તરતજ આયુષ્યનો બંધ શરૂ કરનારને બંધના પ્રથમ સમયે જ હોય છે. તેથી અહીં પ્રકૃતિ વિશેષના કારણે અથવા સર્વઘાતીની અપેક્ષાએ દેશઘાતી પ્રકૃતિમાં દલિક વિશેષ પ્રાપ્ત થાય, અને નામકર્મમાં વધુ સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના કરતાં ઓછી સંખ્યાવાળા બંધસ્થાનમાં બંધાતી પ્રકૃતિને દલિક અધિક મળે છે. આ હકીકત સર્વત્ર યાદ રાખવી. જ્ઞાનાવરણીય અને અંતરાયમાં જેમ ઉત્કૃષ્ટ પદે અલ્પબદુત્વ છે. તેમ અહીં પણ છે. અને દર્શનાવરણીયમાં પણ કર્મપ્રકૃતિ ટીકા આદિમાં ઉત્કૃષ્ટ પ્રમાણે જ અલ્પબદુત્વ છે પરંતુ કર્મપ્રકૃતિ ચૂર્ણિ આદિના અભિપ્રાયે નિદ્રાને મળેલ દલિક અલ્પ, તેથી પ્રચલા, નિદ્રા-નિદ્રા, અને પ્રચલા-પ્રચલાને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક ૩૫ વિશેષાધિક છે. આ વિશેષતા છે. વેદનીય તથા ગોત્રકર્મની પ્રવૃતિઓમાં પરસ્પર અલ્પબદુત્વ નથી અર્થાતુ દલિક વિભાગ તુલ્ય છે. મોહનીયકર્મ :- અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. તેની અપેક્ષાએ અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માયા-લોભ. પછી પ્રત્યાખ્યાનીય માન-ક્રોધ-માયા-લોભ, ત્યારબાદ અનંતાનુબંધિ માન-ક્રોધ-માયા-લોભ અને મિથ્યાત્વને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે એક-એકથી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિક છે. તે થકી પ્રથમ નિયમ પ્રમાણે જુગુણા દેશઘાતી હોવાથી તેને પ્રાપ્ત થયેલ દલિક અનંતગુણ. તેના કરતાં ભય, હાસ્ય-શોક, રતિ-અરતિ અને ત્રણે વેદને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. અને પરસ્પર તુલ્ય છે. તેથી પણ સંજ્વલન માન, ક્રોધ, માયા અને લોભને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. આયુષ્ય કર્મ - તિર્યંચ અને મનુષ્ય આયુષ્યને પ્રાપ્ત થયેલ દલિક પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બન્ને આયુષ્ય અલ્પ આયુષ્ય અને સર્વાલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવો પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી પ્રથમ સમયે બાંધી શકે છે. માટે આની અપેક્ષાએ દેવ તથા નરક આયુષ્યને પ્રાપ્ત થયેલ લિક અસંખ્યાતગુણ અને પરસ્પર તુલ્ય હોય છે. કારણકે આ બન્ને આયુષ્યનો જઘન્ય પ્રદેશબંધ પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચોને હોય છે. અને તેઓને યોગ સૂક્ષ્મ નિગેદિયાની અપેક્ષાએ અસંખ્યાતગુણ હોય છે. નામકર્મ :- તિર્યંચગતિનો જઘન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના બંધમાં હોય છે. માટે તેને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ મનુષ્યગતિનો જઘન્ય પ્રદેશબંધ મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાતભાગ અધિક હોય છે. તેનાથી દેવગતિને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાતગુણ હોય છે. અને તેનાથી નરકગતિને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાતગુણ હોય છે. કારણકે દેવગતિનો જઘન્ય પ્રદેશબંધ ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ર૯ના બંધસ્થાનમાં હોય છે. અને નરકગતિનો પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. અને મનુષ્યગતિનો જઘન્ય પ્રદેશબંધ સૂક્ષ્મ નિગદિયાને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. તેથી તેની અપેક્ષાએ દેવગતિ અને નરકગતિ બાંધનારને યોગ અનુક્રમે એક-એકથી અસંખ્યાતગુણ હોય છે માટે. બેઇક્રિયાદિ ૪ જાતિનો જઘન્ય પ્રદેશબંધ ૩૦ના એક જ બંધસ્થાનમાં હોવાથી એકેન્દ્રિય જાતિની અપેક્ષાએ નો પરસ્પર તુલ્ય, અને તેની અપેક્ષાએ એકેન્દ્રિયજાતિનો જઘન્ય પ્રદેશબંધ ૨૬ના બંધસ્થાનમાં હોવાથી તેને મળેલ દલિક સંખ્યાતભાગ અધિક હોય છે. દારિક, તેજસ અને કાર્મણ શરીરનો જઘન્ય પ્રદેશબંધ ૩૦ના એકજ બંધસ્થાનમાં છે છતાં ઘરિકને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે તેનાથી તૈજસ અને કાશ્મણને પ્રાપ્ત થયેલ કર્મદલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિક હોય છે. વૈક્રિયશરીરનો જઘન્ય પ્રદેશબંધ દેવગતિની જેમ ૨૯ના બંધસ્થાનમાં હોવાથી લબ્ધિ પર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે હોય છે. અને તેને સૂક્ષ્મ નિગોદિયા કરતાં યોગ અસંખ્યાતગુણ હોવાથી કાર્પણની અપેક્ષાએ વૈક્રિયાને મળેલ દલિક ચોથા નિયમ પ્રમાણે અસંખ્યાતગુણ છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy