SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ-પરિશિષ્ટ-૧ ૨૬૫ અને આહારક શરીરનો જઘન્ય પ્રદેશબંધ દેવયોગ્ય ૩૧ના બંધસ્થાનમાં મુનિને જ હોય છે. અને સંજ્ઞિ અપર્યાપ્ત કરતાં સંજ્ઞિ પર્યાપ્તનો યોગ અસંખ્યાતગુણ હોય છે. માટે વૈક્રિયશરીરની અપેક્ષાએ આહારકશરીરને પ્રાપ્ત થયેલ દલિક પણ અસંખ્યાતગુણ હોય છે. પાંચે સંધાતન અને ત્રણે અંગોપાંગનું અલ્પબહુત્વ પણ શરીર તુલ્ય જ છે. બંધન :- ઔારિક-ઔદારિક બંધનને પ્રાપ્ત થયેલ દલિક સૌથી અલ્પ છે. અને તેની અપેક્ષાએ ઔદારિક-તૈજસ ઔદારિક-કાર્પણ, ઔદારિક-તેજસ-કાર્યણ, તૈજસ-તેજસ, તૈજસ-કાર્મણ અને કાર્મણ-કાર્યણબંધનને પ્રાપ્ત થયેલ લિક બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. અને તેનાથી શરીરમાં બતાવેલ યુક્તિ પ્રમાણે વૈક્રિય -વૈક્રિય બંધનને પ્રાપ્ત થયેલ દલિક ચોથા નિયમ પ્રમાણે અસંખ્યાતગુણ છે. તેથી વૈક્રિય-તેજસ, વૈક્રિય-કાર્પણ અને વૈક્રિય-તેજસ-કાર્યણને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. તેના કરતાં આહારક શરીરમાં બતાવેલ યુક્તિથી ચોથા નિયમ પ્રમાણે આહારક-આહારક બંધનને પ્રાપ્ત થયેલ દલિક અસંખ્યાતગુણ છે. અને તેનાથી આહારક-તૈજસ, આહા૨ક-કાર્પણ અને આહારક-તેજસ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિક છે. વર્ણ-ચતુષ્કના પેટા ભેદોનું અલ્પ-બહુત્વ જેમ ઉત્કૃષ્ટ પદે છે. તેમ અહીં પણ છે. ઉદ્યોત અને ત્રસ ચતુષ્ક આ પાંચેનો જધન્ય પ્રદેશબંધ ૩૦ના બંધસ્થાનમાં હોય છે. માટે તેને મળેલ લિક અલ્પ છે. અને આતપ, સ્થાવર આ બેનો જઘન્ય પ્રદેશ-બંધ ૨૬ના બંધસ્થાનમાં, સૂક્ષ્મત્રિકનો જધન્ય પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં હોવાથી પોતપોતાની પ્રતિપક્ષ પ્રકૃતિઓની અંપેક્ષાએ આતપ આદિ પાંચે પ્રકૃતિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિક હોય છે. બે વિહાયોગતિ, સ્થિરષટ્ક અસ્થિરષટ્ક, સંઘયણ-૬, સંસ્થાન-૬,=૨૬ પ્રકૃતિઓનો જધન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના એક જ બંધસ્થાનમાં હોવાથી પરસ્પર અલ્પબહુત્વ નથી અર્થાત્ સમાન દલિક મળે છે, વેદનીયદ્ધિક અને ગોત્રક્રિકમાં પણ સમાન દલિક મળતું હોવાથી પરસ્પર અલ્પબહુત્વ નથી. આતપ અને ઉદ્યોત વિના શેષ છ પ્રત્યેક પ્રકૃતિઓની પેટા પ્રકૃતિ તેમજ વિરોધિ પ્રકૃતિ ન હોવાથી તેઓનું પણ અલ્પ-બહુત્વ નથી. ચારે આનુપૂર્વીઓનું ચાર ગતિઓની જેમ અલ્પબહુત્વ યુક્તિથી ધટે છે, પરંતુ કર્મપ્રકૃતિની ચૂર્ણિ અને ટીકા વગેરેમાં ચારે આનુપૂર્વીઓનું જેમ ઉત્કૃષ્ટપદે બતાવેલ છે તેમ જઘન્યપદે પણ અલ્પ-બહુત્વ બતાવેલ છે. તેનુ કારણ બહુશ્રતો જાણે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ પ્રદેશબંધના કારણો સહિત આ દલિક વિભાગ બંધવિધાન ઉત્તરપ્રકૃતિ પ્રદેશબંધ ઉત્તરાર્ધમાંથી પ્રેમપ્રભા ટીકાના અનુસારે લખેલ છે. તેના વિશેષ જિજ્ઞાસુએ તે ગ્રંથ જોવો. ઈતિ અલ્પબહુત્વ સહિત પરિશિષ્ટ-૧ સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy