SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ-પ્રશ્નોત્તરી ૨૬૩ ઔદારિક-તૈજસ, ઔદારિક-કાશ્મણ, ઔદારિક તૈજસ-કાશ્મણ, તૈજસ-તૈજસ, તૈજસ-કાર્પણ અને કાશ્મણ-કાર્પણ બંધનને પ્રાપ્ત થયેલ દલિક વિભાગ ૨૩ પ્રકૃતિરૂપ એક બંધસ્થાનમાં હોવા છતાં સ્વભાવ વિશેષથી બીજા નિયમ પ્રમાણે અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક હોય છે. પ્રથમના પાંચ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ર૯ના બંધસ્થાન રૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી તેઓનો દલિક વિભાગ પરસ્પર સમાન અને છેવટ્ટા સંઘયણની અપેક્ષાએ અલ્પ હોય છે.તે થકી છેવટ્ટા સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે સંખ્યાતભાગ અધિક રૂ૫ વિશેષાધિક છે. મધ્યમના ચારે સંસ્થાનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૯ પ્રકૃતિરૂપ એક જ બંધસ્થાનમાં હોવાથી આ ચારેનો દલિક ભાગ પરસ્પર તુલ્ય અને બે સંસ્થાનોની અપેક્ષાએ અલ્પ હોય છે. તે થકી પ્રથમ અને હૂંડક સંસ્થાનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અનુક્રમે દેવ પ્રાયોગ્ય ૨૮ના અને એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ ના બંધસ્થાનમાં હોવાથી ત્રીજા નિયમ પ્રમાણે બંનેનો દલિક વિભાગ અનુક્રમે સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. વર્ણચતુષ્કનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં જ હોય છે. અને તેના વીશે ભેદો સાથેજ બંધાય છે. તેથી એ ચારેના પેટાભેદોમાં પ્રકૃતિ-વિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક દલિક હોય છે. તે આ પ્રમાણે કૃષ્ણ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક સર્વથી અલ્પ, તે થકી નીલ-રક્ત-પીત અને શુકલ વર્ણને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે વિશેષાધિક. એજ પ્રમાણે કટુ રસને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેથી તિક્ત-કષાય-આડુ અને મધુર રસને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે ચૂર્ણિકાના મતે વિશેષાધિક છે. દુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેની અપેક્ષાએ સુરભિગંધને પ્રાપ્ત થયેલ વિશેષાધિક છે. પરંતુ કર્મપ્રકૃતિ વૃત્તિ વગેરેમાં સુરભિગંધને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ અને દુરભિગંધને વિશેષાધિક બતાવેલ છે. અહીં કોઇ યુક્તિ ન હોવાથી તત્ત્વ કેવળી ગયે. ગુરૂ અને કર્કશને મળેલ દલિક અલ્પ અને પરસ્પર તુલ્ય છે. તેનાથી મૃદુલધુ, શીત-રુક્ષ, સ્નિગ્ધ-ઉષ્ણને મળેલ દલિક અસંખ્યભાગ રૂ૫ વિશેષાધિક છે. અને પરસ્પર બલ્બનું દલિક તુલ્ય છે. બે વિહાયોગતિ અને બે સ્વરનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૮ના બંધસ્થાનમાં હોવાથી તેમજ આતપ અને ઉદ્યોતનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૬ ના ૧ જ બંધસ્થાનમાં હોવાથી પરસ્પર તુલ્ય છે. અર્થાત્ અલ્પ-બહુત્વ નથી. આતપ અને ઉદ્યોત વિના છ પ્રત્યેક પ્રકૃતિઓની અવાંતર પ્રકૃતિ તેમજ વિરોધી પ્રકૃતિ ન હોવાથી અલ્પ-બહુત્વ નથી. ત્રસ, પર્યાપ્ત, સ્થિર અને શુભ આ ચાર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૫ના બંધસ્થાનમાં છે. અને તેની પ્રતિપક્ષ સ્થાવર, અપર્યાપ્ત, અસ્થિર, અને અશુભ એ ચારનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં છે. માટે ત્રસાદિ અને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે અને સ્થાવરાદિ ચારને મળેલ દલિક પોતપોતાની વિરોધિ પ્રકૃતિથી સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. સૌભાગ્ય, અને આદયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દેવપ્રાયોગ્ય ૨૮ના બંધસ્થાનમાં છે. તેથી આ બેને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેના કરતાં તેની વિરોધી દૌર્ભાગ્ય અને અનાદેયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં હોવાથી સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. સૂક્ષ્મ અને બાદર તેમજ પ્રત્યેક અને સાધારણ આ બન્ને યુગલનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૨૩ના બંધસ્થાનમાં જ હોવાથી પરસ્પર તુલ્ય છે. અયશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મૂળપ્રકૃતિ-સવિધ બંધક મિથ્યાદૃષ્ટિને નામકર્મના ૨૩ના બંધસ્થાનમાં છે. માટે તેને મળેલ દલિક અલ્પ છે. અને તેનાથી યશ-કીર્તિને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતગુણ હોય છે. કારણકે યશકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુરુ મૂળ છ પ્રકૃતિના બંધકને છે. તેથી પ્રાપ્ત થયેલ મૂળ દલિકનો છઠો ભાગ સંપૂર્ણ યશ-કીર્તિને જ મળે છે. ગોત્રકર્મ : નીચગોત્રને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને તેનાથી ઉચ્ચગોત્રને પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક છે. તેનું કારણ અસાતા અને સાતામાં બતાવ્યા પ્રમાણે છે. અંતરાય : દાનંતરાયને પ્રાપ્ત થયેલ દલિક અલ્પ છે. અને પ્રકૃતિ વિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે લાભાન્તરાય, ભોગાન્તરાય ઉપભોગાત્તરાય, અને વિયતરાયને પ્રાપ્ત થયેલ દલિક અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂ૫ વિશેષાધિક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy