SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (૨) કોઇપણ વિવક્ષિત એક જ બંધસ્થાનમાં જે અને જેટલી પ્રકૃતિઓ સાથે બંધાતી હોય તેમજ યોગસ્થાન પણ તેજ હોય છતાં જે પ્રકૃતિના ભાગમાં દલિક વધારે બતાવેલ હોય ત્યાં માત્ર અસંખ્યાત ભાગ અધિકજ સમજવું. તેનું કારણ પ્રકૃતિવિશેષ એટલે કે તે-તે પ્રકૃતિનો સ્વભાવ જ કારણ હોય છે. ૨૬૦ દૃષ્ટાંત તરીકે-મન:પર્યવજ્ઞાનાવરણીય વગેરે ચારેનો દશમા ગુણસ્થાનકે તઘોગ્ય ઉત્કૃષ્ટ એજ યોગસ્થાનથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. છતાં મનઃપર્યવજ્ઞાનાવરણીયને પ્રાપ્ત થયેલ દલિકથી અવધિજ્ઞાનાવરણીયનું દલિક અસંખ્યાત ભાગ રૂપ વિશેષાધિક હોય છે. તે પ્રકૃતિનો તેવો સ્વભાવ તે જ તેનું કારણ છે. એમ સર્વત્ર સમજવું. (૩) વધારે પ્રકૃતિની સંખ્યાવાળા બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય, તેની અપેક્ષાએ તેનાથી ઓછી સંખ્યાવાળા પ્રકૃતિના બંધસ્થાનમાં જે પ્રકૃતિ બંધાતી હોય તેના ભાગમાં જે વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે. તે પ્રાય: સર્વમાં સંખ્યાત ભાગ અધિક હોય છે. દૃષ્ટાંત તરીકે-બેઇન્દ્રિયાદિ ૪ જાતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય ૨૫ ના બંધસ્થાનમાં, અને જઘન્ય પ્રદેશબંધ બેઇન્દ્રિયાદિ પ્રાયોગ્ય ૩૦ના બંધસ્થાનમાં થાય છે. અને એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધસ્થાનમાં અને જઘન્ય પ્રદેશબંધ ૨૬ના બંધસ્થાનમાં થાય છે. તેથી બેઇન્દ્રિયાદિ ચારે જાતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશબંધમાં જેટલાં દલિક આવે તેનાથી એકેન્દ્રિયજાતિમાં બંને પ્રકારના બંધસ્થાનમાં લિક સંખ્યાતભાગ અધિક આવે છે. કોઇ ઠેકાણે સંખ્યાતગુણ અધિક પણ આવે છે. દૃષ્ટાંત તરીકે-મૂળ પ્રકૃતિના સપ્તવિધ બંધકને અયશઃકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નામકર્મના ૨૩ના બંધસ્થાનમાં થાય છે. અને યશઃકીર્તિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકે ૬ મૂળ પ્રકૃતિના બંધકને નામકર્મની માત્ર યશઃકીર્તિ બંધાય ત્યારે થાય છે. તેથી અયશઃકીર્તિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ યશઃકીર્તિને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત થયેલ દલિક સંખ્યાતગુણ હોય છે. (૪) જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ જે યોગસ્થાનથી થતો હોય તેની અપેક્ષાએ બીજી જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અથવા જઘન્ય પ્રદેશબંધ અસંખ્યાતગુણ અધિક યોગસ્થાનથી થતો હોય તો તેના ભાગમાં દલિક અસંખ્યાતગુણ આવે છે. દૃષ્ટાંત તરીકે-મનુષ્યગતિનો જઘન્ય પ્રદેશબંધ સર્વથી અલ્પ વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયાને ઉત્પતિના પ્રથમ સમયે ૨૯ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અને દેવગતિનો જઘન્ય પ્રદેશબંધ સમ્યદૃષ્ટિ મનુષ્યને ઉત્પત્તિના પ્રથમ સમયે જિનનામ સહિત દેવપ્રાયોગ્ય ૨૯ના બંધસ્થાનમાં પ્રાપ્ત થાય છે. અહીં મનુષ્યને લબ્ધિ અપર્યાપ્ત સુક્ષ્મ નિગોદિયાના ઉત્પત્તિના પ્રથમ સમયની અપેક્ષાએ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળું યોગસ્થાન હોય છે માટે મનુષ્યગતિને જધન્યપદે પ્રાપ્ત થયેલ દલિકની અપેક્ષાએ જઘન્યપદે દેવગતિને પ્રાપ્ત થયેલ કર્મદલિક અસંખ્યાતગુણ હોય છે. (૫) જે સમયે ૧૪ મુખ્ય પિંડ પ્રકૃતિઓમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય તેટલાં જ ભાગ પડે, પરંતુ શરીર આદિના પેટાભેદો વધારે બંધાતા હોય તો પણ ચૌદમાંથી તેનો અલગ ભાગ પડતો નથી. પણ શરીરને મળેલ દલિકમાંથી જ જે સમયે જેટલાં શરીર બંધાતા હોય તેટલા પેટા વિભાગ પડે છે. દૃષ્ટાંત તરીકે-દેવગતિ પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિ બંધાય ત્યારે તેમાં સંધયણ વિના મુખ્ય પિંડ પ્રકૃતિઓ ૧૩ બંધાય છે. તેથી તેના ૧૩, અગુરુલધુચતુષ્ક, ઉપધાત, ત્રસચતુષ્ક અને યથાસંભવ સ્થિર અથવા અસ્થિર ષટ્ક એમ ૨૮ પ્રકૃતિ બાંધે ત્યારે તેના ૨૮ ભાગ પડે તે વખતે શરીર અને સંઘાતનને પ્રાપ્ત થયેલ દલિકના ત્રણ, બંધનને પ્રાપ્ત થયેલ દલિકના ૭, અને વર્ણાદિ ૪ ને પ્રાપ્ત થયેલ દલિકના અનુક્રમે ૫-૨-૫ અને ૮ ભાગ પડે છે. જો કે આ ૨૮ના બંધસ્થાનમાં સંઘાતન અને બંધન ગણેલ નથી અને તેના બદલે તૈજસ-કાર્યણ શરીર ગણેલ છે. પરંતુ તૈજસ આદિ બે શરીરને તો શરીરનામર્કમને પ્રાપ્ત થયેલ દલિકમાંથી ભાગ મળે છે. તેમજ સંઘાતન અને બંધન સર્વત્ર બંધ અને ઉદયમાં શરીરની સાથે જ હંમેશા હોય છે. તેથી તેના દલિકની અલગ વિવક્ષા કરેલ નથી. પરંતુ શરીરની જેમ બંધન અને સંઘાતન નામકર્મને પણ મુખ્ય હકદાર તરીકે સ્વતંત્ર અલગ લાભ મળે છે. આ વાત પણ ખાસ યાદ રાખવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy