SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ-પરિશિષ્ટ-૧ ૨૬૧ – ઉત્કૃષ્ટપદે દલિક વિભાગ :-) જ્ઞાનાવરણ : કેવળજ્ઞાનાવરણને સૌથી અલ્પ, કારણ કે તે સર્વઘાતી છે. અને તેની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનાવરણ દેશઘાતી હોવાથી પ્રથમ નિયમ પ્રમાણે અનંતગુણ અધિક, તે થકી બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિનો સ્વભાવજ એવો હોવાથી અનુક્રમે અવધિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને મતિજ્ઞાનાવરણને દલિકો અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક પ્રાપ્ત થાય છે. | દર્શનાવરણીય : પ્રચલાને દલિકો સર્વથી અલ્પ, તેથી નિદ્રાને પ્રકૃતિવિશેષ હોવાથી બીજા નિયમ પ્રમાણે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક મળે છે. આ બન્નેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દર્શનાવરણીયના પવિધ બંધક સમ્યગ્દષ્ટિને હોય છે. અને થીણદ્વિત્રિક સહિત ૯ નો બંધ પ્રથમના ૨ ગુણસ્થાનકે હોય છે. તેથી નિદ્રાની અપેક્ષાએ પ્રચલા-પ્રચલાને ભાગ વાસ્તવિક રીતે અધિક ન આવે. પરંતુ પ્રકૃતિવિશેષને લીધે અસંખ્યાતભાગ અધિક રૂપ વિશેષાધિક છે. એજ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી તેની અપેક્ષાએ નિદ્રા-નિદ્રા, થીણદ્ધિ અને કેવળદર્શનાવરણીયને અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક ભાગ મળે છે. તેથી પહેલા નિયમ પ્રમાણે અવધિદર્શનાવરણીયને અનંતગુણ, તે થકી અચકુ અને ચક્ષુદર્શનાવરણને બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિ વિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક ભાગ પ્રાપ્ત થાય. વેદનીય : અસાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મૂળ સપ્તવિધ પ્રકૃતિબંધક એવા મિથ્યાષ્ટિ અથવા તો સમ્યગુદૃષ્ટિને હોય છે. તેથી તેને પ્રાપ્ત થયેલ મૂળ દલિકનો લગભગ સાતમો ભાગ મળે છે. માટે તે અલ્પ છે. અને સાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશબધ ૧૦માં ગુણસ્થાનકે હોવાથી તેને મળ દલિકની અપેક્ષાએ લગભગ છઠ્ઠો ભાગ મળે છે. તેથી તેમાં સંખ્યાતભાગ રૂ૫ વિશેષાધિક દલિક હોય છે. મોહનીય : તથાસ્વભાવે જ અપ્રત્યાખ્યાનીય માનને પ્રાપ્ત થયેલ દલિકનો ભાગ સર્વથી અલ્પ હોય છે. અને તેની અપેક્ષાએ તેજ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માયા અને લોભ તથા પ્રત્યાખ્યાનીય માન, ક્રોધ, માયા અને લોભ તેમજ અનંતાનુબંધિ માન, ક્રોધ, માયા અને લોભ અને મિથ્યાત્વ મોહનીયને પ્રાપ્ત થયેલ દલિક પ્રકૃતિવિશેષ હોવાથી અનુક્રમે એક-એક થી અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક હોય. મિથ્યાત્વની અપેક્ષાએ દેશઘાતી હોવાથી જુગુપ્સાને પ્રાપ્ત થયેલ દલિક પહેલા નિયમ પ્રમાણે અનંતગુણ અને તે થકી ભયને પ્રકૃતિવિશેષ હોવાથી અસંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક મળે છે. તે થકી હાસ્ય-શોક, તે થકી રતિ-અરતિ અને તે થકી નપુસંક-સ્ત્રીવેદને બીજા નિયમ પ્રમાણે પ્રકૃતિવિશેષ હોવાથી અનુક્રમે અસંખ્યાતભાગ અધિકરૂ૫ વિશેષાધિક અને ત્રણે જોડલાંઓને પરસ્પર સમાન દલિક મળે છે. નપુસંક અને સ્ત્રીવેદ કરતાં સંજ્વલન ક્રોધને પ્રાપ્ત થયેલ દલિક યુક્તિથી વિચારતાં સંખ્યાતગુણ મળે છે. કારણકે મોહનીયને પ્રાપ્ત થયેલ દલિકના કષાય અને નોકષાય એમ ૨ ભાગ પડે છે. તેમાંથી નોકષાયને પ્રાપ્ત થયેલનો પાંચમો ભાગ કોઇપણ એક વેદને મળે છે. તેથી આ બંને વેદને મોહનીયને પ્રાપ્ત થયેલ દલિકનો લગભગ દશમો ભાગ પ્રાપ્ત થાય અને ક્રોધનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ચતુર્વિધ બંધકને થતો હોવાથી મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિકનો કાંઇક ન્યૂન ચોથો ભાગ મળે છે. અને દશમાભાગની અપેક્ષાએ ચોથોભાગ સંખ્યાતગુણ કહેવાય, તેથી એ બરાબર લાગે છે. પરંતુ કર્મપ્રકૃતિ-ચૂર્ણિ વગેરેમાં વિશેષાધિક બતાવેલ છે. તત્વ તો અતિશય જ્ઞાની જાણે. * સંજવલન માનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નવમે ગુણસ્થાનકે ત્રિવિધ બંધકને હોવાથી મોહનીય સંબંધી સમગ્ર દલિકનો તેને કંઇક ન્યૂન ત્રીજો ભાગ મળવાથી સંજ્વલન ક્રોધની અપેક્ષાએ સંજ્વલન માનનો ભાગ સંખ્યાતભાગ અધિકરૂપ વિશેષાધિક. તે થકી પુરુષવેદનો ભાગ સંખ્યાતભાગ રૂ૫ વિશેષાધિક હોય છે. કારણકે સંજ્વલન માનને મોહનીયના સમગ્ર દલિકનો કંઇક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. ત્યારે નવમા ગુણસ્થાનના પહેલા ભાગે નોકષાયના ભાગમાં આવેલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy