SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ કર્મપ્રકૃતિ પ્રશ્ન-૬૩ શાસ્ત્રોમાં બદ્ધ, સૃષ્ટ, નિદ્ધા અને નિકાચિત એમ બંધ ૪ પ્રકારે બતાવેલ છે, પરંતુ અહીં બંધનકરણમાં સ્કૃષ્ટ સિવાય ત્રણ પ્રકારના બંધની વાત બતાવી, તો ઉપશાંતમોહ વગેરે ૩ ગુણસ્થાનકોમાં બે સમય પ્રમાણ સાતાવંદનીય કર્મની જે બંધ થાય છે, તે ઍપ્રબંધ અહીં કેમ બતાવવામાં આવેલ નથી ? જવાબ-૬૩ આ ગ્રંથમાં દશમાં ગુણસ્થાનક સુધી કાપાયિક પરિણામ અને યોગથી જે બંધ થાય છે. તે બંધની જ વિવક્ષા કરી છે. માટે સૃષ્ટને બતાવેલ નથી. પ્રશ્ન-૬૪ દલવિભાગ વખતે તે તે સમયે બંધાતી ઘાતકમની પ્રકૃતિમાં અતભાગ પ્રમાણ જે સર્વઘાતી દલિકો હોય છે. તે સર્વઘાતી પ્રકૃતિઓને જ મળે કે દેશધાતી પ્રકૃતિને પણ મળે ? જવાબ-૬૪ ઘાતકમમાં સર્વઘાતી રસવાળા અનંતભાગ જેટલાં દલિકો હોય છે, અને તે દલિક સર્વધાતીને તેમજ દેશધાતી પ્રકૃતિઓને પણ મળે છે, પરંતુ સર્વઘાતી પ્રવૃતિઓને કેવળ સર્વઘાતી જ મળે છે, જ્યારે દેશધાતી પ્રકૃતિઓને દેશઘાતી અને સ્વઘાતી એમ બન્ને પ્રકારના દલિકો મળે છે, તેથી જ અંતરાયકર્મ દેશઘાતી હોવા છતાં તેને પણ સર્વઘાતી રસવાળા દલિકો મળે છે. પ્રશ્ન-૬૫ રસબંધના જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાયનો ઉત્કૃષ્ટ અવસ્થાને કાળ ચારથી વધતો વધતો ૮ સમય સુધી અને તેથી આગળ ઘટતો ઘટતો બે સમય સુધી બતાવવામાં આવેલ છે, તે બરાબર છે. પરંતુ ગુણાભિમુખ અને દોષાભિમુખ અવસ્થામાં જ જે અધ્યવસાયો દ્વારા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસ બંધાય છે, તે અધ્યવસાયોનો કાળ એક સમયથી વધારે કેમ ઘટી શકે ? જવાબ-૬૫ સમ્યકત્વ વગેરે ગુણાભિમુખ અવસ્થામાં અને મિથ્યાત્વાદિક દોપાભિમુખ અવસ્થામાં જે અધ્યવસાય દ્વારા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, તે અધ્યવસાયો એક સમયથી વધારે ટકી શકતા જ નથી. એ વાત બરાબર લાગે છે, પરંતુ મૂળ તથા ટીકામાં તેની અવિવક્ષા કરી હોય તેમ લાગે છે. એથી ગુણાભિમુખ કે દોષાભિમુખ અવસ્થામાં ઉત્કૃષ્ટ કે જઘન્ય રસબંધ એક સમયથી વધારે કાળ ઘટી શકે, નહીં, અને એક સમયથી વધારે કાળ ક્યાંય બતાવેલ નથી. પ્રશ્ન-૬૬ શુભાશુભ દરેક પ્રકૃતિઓનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સરખો હોય કે ઓછો - વધારે ? જવાબ-૬૬ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ અશુભપ્રકૃતિઓનો વધારે હોય છે અને તેમાં પણ સ્વજાતીય વધારે અશુભપ્રકૃતિઓનો સૌથી વધારે અને શુભપ્રકૃતિઓ સૌથીનો ઓછો હોય છે. દા.ત. અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિબંધથી સાતાનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ ઓછો હોય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિયજાતિનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતબંધ જેટલો હોય છે, તેના કરતાં બે-તે ચઉ, અને પંચેન્દ્રિયજાતિનો ક્રમશ: ઓછો-ઓછો હોય છે. એમ સર્વત્ર સમજવું. પ્રશ્ન-૬૭ બેઈન્દ્રિયાદિક ૮ જીવભેદોમાં આયુષ્ય વિના સાત કર્મોના અબાધાસ્થાનો કરતાં જઘન્ય અબાધા કેટલી વધારે હોય ? જવાબ-૬૭ જો કે ટીકામાં આઠે જીવભેદોમાં અબાધાસ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ બતાવેલ છે. માટે તે અપેક્ષાએ જઘન્ય અબાધા સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ થાય, પરંતુ વિવેચનમાં પ્રશ્ન-પ૩ના ઉત્તરમાં બતાવ્યા મુજબ આ ૮ જીવ-ભેદોમાં અબાધાસ્થાનો આવલિકાના સંખ્યામા ભાગમાં રહેલ અસંખ્યાત સમય પ્રમાણ માનીએ તો તેના કરતાં જધન્ય અબાધા અસંખ્યાતગુણ નહીં પરંતુ સંખ્યાતગુણ હોય. પ્રશ્ન-૬૮ બેઈન્દ્રિયાદિક ૮ જીવભેદોમાં સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે, તો તેની અપેક્ષાએ બેઈન્દ્રિયાદિકનો જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ શી રીતે આવે ? કારણકે સંજ્ઞિ પંચેન્દ્રિયના સ્થિતિસ્થાનો અનેક કોડાકોડી સાગરોપમના સમય પ્રમાણ હોવા છતાં પલ્યોપમના સંખ્યામાં ભાગના સમયો કરતાં સંખ્યાતગુણા જ બતાવેલા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy