SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કર્મપ્રકૃતિ અસંખ્યાતમા ભાગ પ્રમાણ આવે તે બરાબર છે પરંતુ વિકલેન્દ્રિય અને અસંજ્ઞિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર હોવાથી આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ અબાધાસ્થાનો આવે. ટીકામાં પ્રેસ દોષાદિના કારણે અશુદ્ધ છપાયેલ હોય તેમ લાગે છે, અગર અન્ય કોઈ કારણ હોય તો બહુશ્રુતો કહે તે પ્રમાણ. કર્મપ્રકૃતિ અને પંચસંગ્રહમાં સામાન્યથી બારેય જીવભેદોમાં અબાધાસ્થાનો તથા કંડકસ્થાન કરતાં અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા અસંખ્યાતગુણ દર્શાવેલ છે પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે બેઈન્દ્રિય વગેરેના ૮ ભેદોમાં અબાધાસ્થાનો અને કંડકસ્થાનો આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ આવે તો તેની અપેક્ષાએ જઘન્ય અબાધા અંતમુહૂર્ત પ્રમાણ એટલે કે સંખ્યાત આવલિકા પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ ન આવતાં સંખ્યાતગુણ જ આવે એમ મને લાગે છે. પ્રશ્ન-૫૪ અબાધા કંડકનું પ્રમાણ કેટલું? અને તે દરેક જીવભેદમાં સમાન છે કે ન્યૂનાધિક ? જવાબ-૫૪ અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળમાં જે સંખ્યા આવે તેટલાં સ્થિતસ્થાનોનું એક અબાધા કંડક છે. અને તે શ્રેણિગત જીવો સિવાય તમામ જીવ ભેદમાં આયુષ્ય વિના સાતેય કર્મમાં સમાન છે. પ્રશ્ન-૫૫ નિષેક રચનામાં એક દ્વિગુણહાનિના વચ્ચેનાં નિષેકસ્થાનો કેટલાં હોય ? અને તે દરેક જીવભેદમાં સમાન હોય કે ન્યૂનાધિક ? તથા એક દ્વિગુણ હાનિના અંતરાલમાં આવેલ નિષેકસ્થાનોની અપેક્ષાએ એક અબાધાકંડક નાનું કે મોટું ? જવાબ-પપ એક દ્વિગુણહાનિના વચમાં આવતાં નિષેકસ્થાનો અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળમાં રહેલા સમયો પ્રમાણ છે અને તે આયુષ્ય સિવાય સાતેય કર્મમાં તમામ જીવભેદોમાં સમાન છે. જો કે એક દ્વિગુણહાનિના વચમાં રહેલ નિષેકસ્થાનો અને એક અબાધાકંડક એ બન્નેનું પ્રમાણ સામાન્યથી અસંખ્યાત પલ્યોપમના પ્રથમ વર્ગમૂળ પ્રમાણ = પલ્યોપમના પ્રથમ વર્ગમૂળથી અસંખ્યાતગુણ પ્રમાણ હોવાથી તુલ્ય લાગે છે તો પણ અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનોની અપેક્ષાએ એક અબાધાકંડક અસંખ્યગુણ મોટું હોય છે. પ્રશ્ન-૫૯ ચૌદેય જીવસ્થાનકોમાં આઠેય કર્મના નિષેકસ્થાનોમાં આવતાં કુલ દ્વિગુણહાનિ સ્થાનો કેટલાં હોય ? જવાબ-૫૬ અદ્ધા પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત સમય પ્રમાણ હોય છે. માત્ર જે જીવો પૂર્વક્રોડથી વધારે આયુષ્ય બાંધતા જ નથી તે એકેન્દ્રિયાદિક જીવોને આયુષ્યકર્મમાં એક પણ દ્વિગુણહાનિ સ્થાન સંભવતું નથી. પ્રશ્ન-૫૭ આયુષ્ય કર્મ આશ્રયી જઘન્ય અબાધા કેટલી હોય ? જવાબ-૫૭ ક્ષુલ્લકભવના ત્રીજા ભાગના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય, કારણકે ક્ષુલ્લક ભવના આયુષ્યવાળા જીવો પોતાના આયુષ્યના ત્રીજા ભાગની શરૂઆતમાં જ આયુષ્ય બાંધે એવો નિયમ નથી, પરંતુ પોતાના આયુષ્યના ૯મા, ૨૭મા, ૮૧મા ભાગમાં અથવા છેવટે ક્ષુલ્લક ભવના ત્રીજા ભાગના સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર્મુહુર્ત કાળ બાકી રહે ત્યારે તેનાથી પણ જઘન્ય અંતર્મુહુર્ત પ્રમાણ કાળમાં આયુષ્ય બાંધી શકે છે તથા આયુષ્યના બંધ પછી જે શેષ કાળ બાકી રહે તે પણ અંતર્મુહુર્ત પ્રમાણ હોય છે અને તે કાળને ઠાણાંગ તથા પન્નવણા સત્રમાં અસંખાદ્ધા કહેલ છે અને તે જ અબાધાકાળ છે. પ્રશ્ન-૫૮ સાતેય લબ્ધિ અપર્યાપ્ત જીવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહુર્ત પ્રમાણ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ કેટલું વધારે હોય ? જવાબ-૫૮ સાતેય લબ્ધિ અપર્યાપ્ત જીવભેદોમાં જઘન્ય આયુષ્ય કરતાં અબાધાસ્થાનો સંખ્યાતગણા બતાવેલ છે અને જઘન્ય આયુષ્ય ક્ષુલ્લક ભવ પ્રમાણ અંતર્મુહૂર્તનું હોય છે. વળી તેના કરતાં પણ અબાધાસ્થાનો સંખ્યાતગુણ કહ્યા છે અને તે પોતના આયુષ્યના ત્રીજા ભાગમાંથી પણ આયુષ્ય બંધનું અંતર્મુહુર્ત બાદ કરતાં શેષ કાળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy