SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૫ અધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ અને તીવ્ર-મંદતા ઘટી શકે છે, પરતું ગ્રન્થ વિસ્તારના ભયથી ગ્રન્થકારે દર્શાવેલ ન હોય તેમ લાગે છે. તત્ત્વ કેવલી ગમ્ય. પ્રશ્ન-૫૧ બાદર પર્યાપ્ત અને સૂક્ષ્મ પર્યાપ્તનો જઘન્ય, બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્તનો જઘન્ય, સૂક્ષ્મ અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ તથા સૂક્ષ્મ પર્યાપ્ત અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આ ૮ બોલમાં અનુક્રમે એક એકથી વિશેષાધિક દર્શાવેલ છે પણ કયાંય સંખ્યાતગુણ કહ્યો નથી, જ્યારે સૂક્ષ્મ અને બાદર અપર્યાપ્ત તેમજ સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તના સ્થિતિસ્થાનો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણ બતાવ્યાં છે, તેથી પ્રશ્ન થાય છે કે-સ્થિતિબંધ વિશેષાધિક હોવા છતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ કેવી રીતે ઘટી શકે ? જવાબ-૫૧ સામાન્યથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધ અને બાદર પર્યાપ્ત એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વચ્ચે એકંદરે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું અંતર હોવાથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન સાગરોપમના અમુક નિયત ભાગ પ્રમાણથી સાગરોપમનો અમુક નિયત પૂર્ણ ભાગ સુધી સ્થિતિસ્થાનોમાંના અમુકથી અમુક હદ સુધીના સ્થિતિસ્થાનો ચારેય પ્રકારના એકેન્દ્રિયો બાંધે છે તેથી જઘન્ય સ્થિતિબંધથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ વિશેષાધિક જ હોય છે. દા.ત. એકેન્દ્રિયને મિથ્યાત્વમોહનીયનો જઘન્ય સ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમ છે. અને ઉત્કૃષ્ટ પૂરો એક સાગરોપમ પ્રમાણ છે. હવે જો અસત્કલ્પનાએ સાગરોપમ પ્રમાણ સ્થિતિને એક લાખ સમયની અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગને ૧૫૫૫ સમય પ્રમાણ કલ્પીએ તો એકેન્દ્રિયને મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ ૯૮૪૪૬ સમય પ્રમાણ = પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ એક લાખ સમય પ્રમાણ = એક સાગરોપમ પ્રમાણ છે. આમ ૯૮૪૪૬ સમય પ્રમાણ સ્થિતિબંધની અપેક્ષાએ ૧ લાખ સમય પ્રમાણ સ્થિતિબંધ વિશેષાધિક જ છે, તેથી તેની અંતર્ગત આવતાં એકેન્દ્રિયના આઠેય બોલોમાં સ્થિતિબંધ વિશેષાધિક જ હોય છતાં સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ ઘટી શકે છે. તે આ પ્રમાણે- સૂક્ષ્મ અપર્યાપ્તના ૯૯૨૨૧ થી-૨૨૫ સુધીના પાંચ સ્થિતિસ્થાનો કલ્પીએ અને બાદર અપર્યાપ્તના સૂક્ષ્મ અપર્યાપ્તના સ્થાનોની અપેક્ષાએ નીચે અને ઉપર એમ બન્ને બાજુ સંખ્યાતગુણ એટલે પાંચ પાંચ ગુણા ગણીએ તો ૯૯૧૯૬ થી ૯૯૨૫૦ સુધીના કુલ ૫૫ આવે. સૂક્ષ્મ અપર્યાપ્તના સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર બાદર અપર્યાપ્તના જેટલાં સ્થિતિસ્થાનો આવ્યા તેના કરતાં પણ સુક્ષ્મ પર્યાપ્તમાં બાદર અપર્યાપ્તના કુલ સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર સંખ્યાતગુણ = પાંચ પાંચ ગુણાં આવવાથી ૯૯૦૭૧ થી ૯૯૩૭૫ સુધીના કુલ-૩૦પ સ્થિતિસ્થાનો આવે. જ્યારે બાદર અપર્યાપ્તના કુલ સ્થિતિસ્થાનોથી સૂક્ષ્મ પર્યાપ્તમાં નીચે અને ઉપર જેટલાં સ્થિતિસ્થાનો આવ્યા તેના કરતાં બાદર પર્યાપ્તમાં સૂક્ષ્મ પર્યાપ્તના કુલ ૩૦૫ સ્થિતિસ્થાનોની નીચે અને ઉપર પાંચ પાંચ ગુણાં સ્થિતિસ્થાનો આવવાથી બાદર પર્યાપ્તામાં ૯૮૪૪૬ થી ૧ લાખ સમય સુધીના ૧૫૫૫ સ્થિતિસ્થાનો આવે છે. એમ સંખ્યાતગુણ ઘટી શકે છે. પ્રશ્ન-૫૨ એકેન્દ્રિયમાં આયુષ્ય વિના સાત કર્મમાં અબાધાસ્થાનો કેટલાં ? જવાબ-૫ર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમયો પ્રમાણ અસંખ્યાતા છે. પ્રશ્ન-૫૩ વિકસેન્દ્રિય તથા અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આયુષ્ય વિના સાત કર્મમાં અબાધાસ્થાનો કેટલાં ? જવાબ-૫૩ કર્મપ્રકૃતિની ટીકા અને ચૂર્ણિમાં તથા પંચસંગ્રહમાં સંજ્ઞિ સિવાયના બારેય જીવભેદોમાં આયુષ્ય વિના સાત કર્મના અબાધાસ્થાનો સામાન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બતાવ્યાં છે, પરંતુ જેસલમેરના ભંડારની તાડપત્રમાં લખેલ કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં વિકલેન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં આવલિકાના સંખ્યામાં ભાગમાં રહેલ સમય પ્રમાણ કહેલ છે અને તે બરાબર લાગે છે, કારણકે એકેન્દ્રિયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર છે તેથી ત્યાં આવલિકાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy