SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૩ પ્રશ્ન-૪૩ ઘરિકાદિ ગ્રાહ્ય વર્ગણામાં વર્ણાદિ-૪ના ઉત્તરભેદે કેટલાં હોય ? જવાબ-૪૩ ગ્રાહ્ય ઔદારિક-વક્રિય અને આહારક વર્ગણામાં વર્ણાદિ ૪ના ૨૦ ઉત્તરભેદો હોય છે, જ્યારે તૈજસાદિ શેષ પાંચ ગ્રાહ્ય વર્ગણામાં પ-વર્ણ, પ-રસ, ૨-ગંધ અને શ્રી ભગવતીજી વગેરેના અભિપ્રાયે છેલ્લા-૪ સ્પર્શ અને પંચસંગ્રહ કર્મપ્રકૃતિ ટીકા તથા બૃહતુશતક વગેરેના અભિપ્રાય ગુરુ, લઘુ એ બે અવસ્થિત અને છેલ્લા ૪માંથી શીત-સ્નિગ્ધ અથવા શીત-રુક્ષ અથવા ઉષ્ણ-સ્નિગ્ધ અથવા ઉષ્ણ-રૂક્ષ એમ અવિરોધી બે, તેથી એક સ્કંધમાં કુલ-૪ સ્પર્શી હોય છે અને અનેક અંધ આશ્રયી છ સ્પર્શી હોય છે તથા કેટલાકના મતે તૈજસ વર્ગણામાં ૮ સ્પર્શી હોય છે. પ્રશ્ન-૪૪ કેટલીક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અને જઘન્ય રસબંધ સંયમી વગેરે વિશિષ્ટ પ્રકારના અમુક જ જીવો કરે છે. અને તે જીવો ઉત્કૃષ્ટથી પણ સંખ્યાતા જ હોય છે છતાં ત્રસ પ્રાયોગ્ય કોઈપણ વિવક્ષિત એક રસસ્થાનને બાંધનારા જીવો ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા કેમ કહ્યાં છે ? જવાબ-૪૪ સામાન્યથી ત્રસ પ્રાયોગ્ય કોઇપણ એક રસબંધસ્થાનનાં બંધકજીવો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યા છે અને તે અભવ્ય ત્રસ પ્રાયોગ્ય જે રસસ્થાનો છે તેના બંધક ઉત્કૃષ્ટથી સમકાળે અસંખ્યાત જીવો ઘટી શકે છે પરંતુ તે સિવાયના સર્વ સ્થાનોના બંધક નહીં. કારણ કે પ્રથમ ગુણસ્થાને પણ સંયમાભિમુખ જીવો થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ અને મિથ્યાત્વનો જઘન્ય રસબંધ કરે છે તે જીવો પણ વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે તો પછી સંયમી વગેરે જીવો સંખ્યાત જ હોય તે નિર્વિવાદ છે. પ્રશ્ન-૪૫ સ્થાવર પ્રાયોગ્ય દરેક રસસ્થાનમાં અનંત જીવો કહ્યા છે. તો પ્રત્યેક નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય જીવોની જેટલી વિશુદ્ધિ હોય અને તેઓ શુભપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ અને અશુભપ્રકૃતિઓનો જેટલો જઘન્ય રસ બાંધી શકે તથા તે જીવોને જેટલાં સંકૂિલષ્ટ પરિણામ હોય અને શુભપ્રકૃતિઓનો જેટલો જઘન્ય અને અશુભપ્રકૃતિઓનો જેટલો ઉત્કૃષ્ટ રસ બાંધે તેટલો તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ તથા જઘન્ય રસ સાધારણ જીવો શું બાંધી શકે? અર્થાતુ પ્રત્યેક જીવો જેટલી સાધારણ જીવોની વિશુદ્ધિ અને સંફિલષ્ટતા હોઇ શકે ? જવાબ-૪૫ સાધારણ જીવોને પ્રત્યેક વનસ્પતિ જેટલી વિશુદ્ધિ અને સંફિલષ્ટતા હોય છે અન્યથા સ્થાવર પ્રાયોગ્ય દરેક રસસ્થાનને બાંઘનારા જીવો અનંતા ઘટી શકેજ નહી, પરંતુ વિશેષ એ કે ત્રસ પ્રાયોગ્ય આયુષ્યના રસબંધના સ્થાનોને બાંધનારા જીવો અસંખ્યાત અથવા સંખ્યાત યથાયોગ્ય હોય છે. પ્રશ્ન- ૪૬ ત્રસકાયોગ્ય નિરંતર બંઘપણાવડે પ્રાપ્ત થતાં રસબંઘસ્થાનકો ઉત્કૃષ્ટથી માત્ર આવલિકાના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણ અસંખ્યાત જ હોય છે તો પરંપરોનિધામાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગીને પછી પછીના સ્થાનને બાંધનારા જીવો દ્વિગુણ દ્વિગુણ બતાવ્યા તે કેવી રીતે ઘટી શકે? અર્થાતુ એક પણ દ્વિગુણ વૃદ્ધિ કે હાનિ ન જ આવે. જવાબ-૪૬ વિવલિત એક સમયે બંધક વડે પ્રાપ્ત થતાં ત્રસ પ્રાયોગ્ય નિરંતર સ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જ હોય છે. પરંતુ વિવક્ષિત કોઇપણ એક સ્થાનથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગીને પછી પછીના સ્થાનમાં બંધકપણાવડે ઉત્કૃષ્ટથી પ્રાપ્ત થતાં જીવો દ્વિગુણ દ્વિગુણ હોય છે, છતાં હંમેશાં એમ જ હોતું નથી, કયારેક જઘન્ય સ્થાનના બંધક જીવો વધારે અને અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી પછીના સ્થાનના બંધક જીવો ઓછા હોય અથવા ન પણ હોય. એમ ટીપ્પનકમાં ખુલાસો મળે છે. છતાં આ બાબતમાં બહુશ્રતો કહે તે ખરૂં. પ્રશ્ન-૪૭ જઘન્ય રસબંધસ્થાનકથી ઉત્કૃષ્ટ રસબંધસ્થાન સુધીના સ્થાનોનો ઉત્કૃષ્ટ બંધકાળ ૪થી૮ સમય અને પછી અનુક્રમે બે સમય સુધીનો છે તો તેમાંના સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો શું બધા સમય ના કાળવાળાં ઘટી શકે ! અર્થાતુ સ્થાવરો બાંધી શકે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy