SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ કર્મપ્રકૃતિ પ્રશ્ન-૩૮ પ્રથમ સ્થાનમાં પ્રથમ અનંતગુણ વૃદ્ધસ્થાનની પહેલાંના બધા સ્થાનોમાં સ્પર્ધકો સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જ હોવાથી તેને સર્વ જીવરાશિથી કે કેવી રીતે ભાગી શકાય ? કેમકે તે સંખ્યા ભાજક સંખ્યાની અપેક્ષાએ ઘણી જ નાની છે. જવાબ-૩૮ પ્રથમ સ્થાનમાં અનંતગુણ વૃદ્ધના પ્રથમ સ્થાન સુધીમાં જ અલ્પ સંખ્યા હોવાથી ભાગી શકાય નહીં પરંતુ ત્યાર પછીના તમામ સ્થાનોમાં, શેષ સર્વ ષસ્થાનોમાં તેમજ સંયમશ્રેણિ વગેરેના સ્થાનોમાં સર્વ જીવરાશિ પ્રમાણ સંખ્યા હોવાથી તેને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. એમ બહુલતાની અપેક્ષાએ ઘટતું હોવાથી એ પ્રમાણે બતાવવામાં કોઈ વિરોધ લાગતો નથી. પ્રશ્ન-૩૯ સ્થિતિબંધ તથા રસબંધ કષાયજનિત આત્મ પરિણામથી થાય છે. અને તેને જ અધ્યવસાયો કહેવામાં આવે છે, તો પછી સ્થિતિબંધના કારણભૂત એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ રસબંધના કારણભૂત અધ્યવસાયો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કેવી રીતે ઘટી શકે ? જવાબ-૩૯ સ્થિતિબંધમાં કેવલ કષાયોદયજનિત આત્મ પરિણામ કારણ છે, જ્યારે રસબંધમાં કષાયોદય સહિત કૃષ્ણાદિ વેશ્યાજનિત આત્મ પરિણામો કારણ છે, અને એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ કૃષ્ણાદિ લેશ્યાજનિત અસંખ્ય પ્રકારના પરિણામો હોય છે માટે સ્થિતિબંધના કારણભૂત એક એક કષાયોદયમાં અનેક જીવોની અપેક્ષાએ રસબંધના કારણભૂત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો ઘટી શકે છે. આ હકીકત પરમી ગાથાની ટીકામાં કહી છે. પ્રશ્ન-૪૦ ત્રસનામકર્મ તથા સ્થાવરનામકર્મ એ બન્નેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સમાન હોવા છતાં ૨૦થી સમયાધિક ૧૮ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ત્રસનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઈશાન સુધીના દેવ સિવાય શેષ ચારેય ગતિના જીવો કરે છે અને સ્થાવર નામકર્મનો એટલો સ્થિતિબંધ માત્ર ઈશાન સુધીના દેવો જ કરે છે અર્થાતુ આટલા સ્થિતિસ્થાનોના બાંધનારા જીવો ભિન્ન ભિન્ન હોવાથી ત્રસનામકર્મની અનુકૃષ્ટિ તથા તીવ્રમંદતા સાતવેદનીયની જેમ પ્રાપ્ત થતી નથી તેથી જુદી બતાવવામાં આવે છે તેવી રીતે પંચેન્દ્રિયજાતિ અને એકેન્દ્રિયજાતિ નામકર્મના ૨૦ થી સમયાધિક ૧૮ કોટકો, સાગ, પ્રમાણ સ્થિતિબંધના સ્વામી ભિન્ન ભિન્ન હોવાથી પંચેન્દ્રિયજાતિ નામકર્મની અનુકૃષ્ટિ તથા તીવ્ર-મંદતા પણ સાતાવેદનીયની જેમ ન બતાવતાં ત્રસનામકર્મની જેમ ભિન્ન બતાવવી જોઈએ છતાં સાતાની જેમ કેમ બતાવી ? જવાબ-૪૦ પ્રશ્ન બરાબર છે. પરંતુ કર્મપ્રકૃતિ કે પંચસંગ્રહમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી. સામાન્યથી આ બધી પ્રકૃતિઓની અનુકષ્ટિ તથા તીવ્રમંદતા સાતવેદનીયની જેમ સમજવી, એમ બતાવેલ છે. દિગમ્બરીય મહાબંધ ગ્રન્થમાં તો પંચેન્દ્રિયજાતિની અનુકૃષ્ટિ તથા તીવ્રમંદતા ત્રસનામકર્મની જેમ જ બતાવી છે. માટે આ બાબતમાં અતિશય જ્ઞાનીઓનું વચન જ પ્રમાણ છે. પ્રશ્ન-૪૧ ઔદારિકાદિ ૨૬ પ્રકારની વર્ગણાઓમાંની કઈ વર્ગણામાં સર્વથી વધારે અવાન્તર અર્થાતુ પેટાવર્ગણાઓ હોય ? જવાબ-૪૧ અચિત્ત મહાઅંધ વર્ગણામાં અવાન્તર વર્ગણાઓ સર્વથી વધારે હોય છે. કારણકે અચિત્ત મહાત્કંધથી સર્વ પ્રથમ જઘન્ય વર્ગણામાં જેટલાં પરમાણુઓ છે તેનાથી એક ન્યૂન બધી વર્ગણાઓની સંખ્યા છે અને તેના કરતાં પણ અચિત્ત મહાસ્કન્ધમાં પેટા વર્ગણાઓ અસંખ્યાતગુણ છે. પ્રશ્ન-૪૨ ઔદારિકથી કાર્મણ સુધીની વર્ગણાઓની અવગાહના બતાવી છે. પરંતુ ધુવાચિત્તાદિ શેષ વર્ગણાઓની નથી બતાવી તેનું શું કારણ ? જવાબ-૪૨ ધૃવાચિત્તાદિ શેષ વર્ગણાઓની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, છતાં ઔદારિકાદિ વર્ગણાઓની જેમ તે અવગાહના નિયત ન હોવાથી અલ્પ-બહત્વમાં બતાવેલ નથી. એમ કર્મપ્રકૃતિ ટીપ્પનકમાં કહેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy