SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - પ્રશ્નોત્તરી ૨૫૧ જવાબ-૩૩ એક જીવે વિવક્ષિત કોઇપણ એક સમયે પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા દારિકાદિ પુદ્ગલોમાં રહેલ સમગ્ર સ્નેહ સ્પર્ધકોના સમુહને એક શરીરસ્થાન કહેવાય છે. પ્રશ્ન-૩૪ મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ કુલ દલિકમાંથી સર્વઘાતી રસવાળો જે અનંતમો ભાગ છે તેનો અર્ધો ભાગ મિથ્યાત્વને અને અર્ધો ભાગ પ્રથમ બાર કષાયને મળે છે એમ બતાવેલ છે, અને પ્રથમના બાર કષાયને મળેલા દલિકના બાર ભાગ પડે છે તેથી અનંતાનુબંધિ લોભ કરતાં મિથ્યાત્વને મળતું દલિક સંખ્યાતગુણ આવે, પરંતુ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પદના અલ્પ-બહુતમાં સંખ્યાતગુણ ન બતાવતાં અનંતાનુબંધી લોભ કરતાં મિથ્યાત્વને મળતું દલિક વિશેષાધિક છે એમ કેમ કહ્યું છે ? જવાબ-૩૪ મોહનીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી સર્વધાતી રસવાળો જે અનંતમો ભાગ છે તેમાંથી અમુક ભાગના દલિકો સર્વધાતી પ્રકૃતિઓને મળે છે અને તેના દર્શનમોહનીય રૂ૫ મિથ્યાત્વમોહનીય અને કષાયમોહનીય એમ બે ભાગ પડે છે એમ સામાન્યથી બતાવેલ છે, પણ તે બે ભાગ બરાબર અર્ધા અર્ધા છે. એમ સમજવાનું નથી, પરંતુ સર્વધાતી રસવાળા અનંતમા ભાગ પ્રમાણ દલિકનો કંઇક અધિક ૧૩મો ભાગ મિથ્યાત્વમોહનીયને મળે છે એમ સમજવાનું છે. તેથી અનંતાનુબંધિ લોભ કરતાં મિથ્યાત્વ મોહનીયને વિશેષાધિક દલિક પ્રાપ્ત થાય છે તેમાં કોઇ વિરોધ નથી, પ્રશ્ન-૩૫ જાન્યપદે અલ્પબદુત્વમાં ત્રણે વેદને મળતું દલિક પરસ્પર તુલ્ય બતાવેલ છે જ્યારે ઉત્કૃષ્ટ પદે સ્ત્રી તથા નપુંસકવેદને પ્રાપ્ત થતુ દલિક સમાન બતાવી તેનાથી સંજ્વલન ક્રોધ તથા માનનું અનુક્રમે વિશેષાધિક બતાવી તેથી પુરુષવેદનું વિશેષાધિક કેમ બતાવેલ છે ? જવાબ-૩૫ જઘન્યપદે સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્તને ઉત્પત્તિના પ્રથમ ક્ષણે ગૃહીત દલિકમાંથી મોહનીયને પ્રાપ્ત થયેલ દેશઘાતિ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ નોકષાયમોહનીયને મળે છે અને તે વખતે પાંચેય નોકષાયો બંધાતા હોવાથી નોકષાયને પ્રાપ્ત થયેલ દલિકનો લગભગ પાંચમો ભાગ એક નોકષાયને મળે છે, ત્યારે ઉત્કૃષ્ટપદે ૯માં ગુણસ્થાનકના પ્રથમ ભાગે પાંચ નોકષાયમાંથી માત્ર એક પુરુષવેદ જ બંધાતો હોવાથી નોકષાયને પ્રાપ્ત થયેલ સમગ્ર દલિક તેને જ મળે છે અને તે દલિક સમગ્ર મોહનીયને મળેલ દલિકની અપેક્ષાએ કંઈક ન્યૂન અર્ધ ભાગ પ્રમાણ છે. વળી પુરુષવેદને બંધવિચ્છેદ થયા બાદ ૯મા ગુણસ્થાનકના બીજા ભાગે સંજ્વલન ક્રોધને સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન ચોથો ભાગ મળે છે અને સંજવલન ક્રોધનો બંધવિચ્છેદ થયા બાદ સંજવલન માનને સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન ત્રીજો ભાગ મળે છે. આવી રીતે પુરુષવેદને સમગ્ર મોહનીયનો કંઈક ન્યૂને અર્ધ ભાગ અને સમગ્ર મોહનીયનો કંઈક ન્યૂન ત્રીજો ભાગ મળતો હોવાથી સંજ્વલન માન કરતાં પુરુષવેદનું દલિક વિશેષાધિક કહેલ છે. અહીં માનનો બંધવિચ્છેદ થયા બાદ ચોથા ભાગે માયાને પણ સમગ્ર મોહનીયને મળેલ દલિકનો કંઈક ન્યૂન અર્ધ ભાગ મળે છે. છતાં નોકષાય કરતાં કષાયમોહનીયને કંઈક વિશેષાધિક ભાગ પ્રાપ્ત થતો હોવાથી પુરુષવેદ કરતાં સંજ્વલન માયાનું દલિક અસંખ્યાતમા ભાગ અધિક રૂ૫ વિશેષાધિક બતાવેલ છે. પ્રશ્ન-૩૬ અનુભાગબંધસ્થાન એટલે શું? જવાબ-૩૬ એક જ જીવે એક સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓના રસ સ્પર્ધકોનો સમૂહ તે એક અનુભાગ . બંધસ્થાન કહેવામાં આવે છે. પ્રશ્ન-૩૭ ષસ્થાનોમાં અનંતભાગાધિક છ પ્રકારની વૃદ્ધિઓમાં ભાગાકાર તથા ગુણાકાર કયો લેવો ? જવાબ-૩૭ અનંતભાગ અને અનંતગુણમાં સર્વજીવરાશિ પ્રમાણ અનંત સંખ્યા, અસંખ્યાત ભાગ તથા અસંખ્યાતગુણમાં . અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાત સંખ્યા અને સંખ્યાતભાગ તથા સંખ્યાતગુણમાં ઉત્કૃષ્ટ સંખ્યા પ્રમાણ ભાગાકાર તથા ગુણાકાર સમજવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy