SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કર્મપ્રકૃતિ અસંખ્યાતગુણ કહેવો અને કરણ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી લબ્ધિ અપર્યાપ્ત બેઇ. તેd. ચઉટ, અસંજ્ઞિ પંચે, અને સંજ્ઞિ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ અનુક્રમે એક એકથી અસંખ્યગુણ કહેવો, લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞિ પંચેન્દ્રિયના ઉત્કૃષ્ટ યોગથી કરણ અપર્યાપ્ત બેઇટ નો ઉત્કૃષ્ટ યોગ, તેનાથી કરણ પર્યાપ્ત બેઇ. નો જઘ, એમ કરણ અપર્યાપ્ત વેઇટ નો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત તેજી નો જઘન્ય, કરણ અપર્યા, ચઉરિન્દ્રિયનો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત ચઉ0 નો જઘન્ય, કરણ અપર્યા, અસંજ્ઞિ પંચે નો ઉત્કૃષ્ટ, કરણ પર્યાપ્ત અસંજ્ઞિ પંચે, નો જઘન્ય, કરણ અપર્યા, સંજ્ઞિ પંચે, નો ઉત્કૃષ્ટ અને કરણ પર્યાપ્ત સંજ્ઞિ પંચે, નો જઘન્ય યોગ અનુક્રમે એક એકથી અસંખ્યાતગુણ કહી પછી ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે કરણ પર્યાપ્ત બેઇન્દ્રિયાદિકનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યગુણ-અસંખ્યગુણ સમજવો. એ પ્રમાણે કરણ અપર્યાપ્ત જીવોના યોગનું અલ્પબદુત્વ કર્મપ્રકૃતિ ચૂર્ણિના ટીપ્પનકમાં પૂજ્ય મુનિચંદ્રસૂરિજી મહારાજ સાહેબે બતાવેલ છે અને તે તે લબ્ધિ અપર્યાપ્તાના જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગસ્થાનમાંનું યથાસંભવ મધ્યવત્તિ યોગસ્થાન તે તે કરણ અપર્યાપ્તના જઘન્ય અને ઉત્કૃષ્ટ અપર્યાપ્તનું જઘન્ય યોગસ્થાન ઘટે એમ લાગે છે. પ્રશ્ન-૨૯ ઉત્કૃષ્ટથી તેઇટ નું શરીર ૩ ગાઉ પ્રમાણ અને બેઇડ નું ૧૨ યોજન હોવાથી તેઇડ કરતાં બેઇ નો યોગ અધિક હોવો જોઇએ છતાં અલ્પ-બહુતમાં અસંખ્યાત ગુણ હીન કેમ કહેલ છે. ? જવાબ-૨૯ યોગનો આધાર એકાંતે શરીરની અવગાહના ઉપર નથી. દા.ત. મોટા શરીરવાળા ગાય, બળદ-ઉટ વિગેરે કરતાં વાઘ વગેરે નું શરીર નાનું હોવા છતાં તેમાં બળ અર્થાતુ યોગ વધારે હોય છે. તેમ બેઇન્દ્રિયનો યોગ ઇન્દ્રિય કરતાં અસંખ્યાત ગુણ હીન હોવામાં કોઇ વાંધો નથી. પ્રશ્ન-૩૦ અહીં જીવોમાં અસંખ્યગણ યોગ બતાવેલ છે. ત્યાં ગણાકાર ક્યો સમજવો ? તથા અહીં બંધનકરણમાં યોગનું સ્વરૂપ શા માટે બતાવેલ છે. ? જવાબ-૩૦ યોગના અલ્પબદુત્વમાં સર્વત્ર સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ રાશિ પ્રમાણ ગુણાકાર સમજવો. તથા યોગના આધારે પ્રદેશોનો સમૂહ ગ્રહણ થતો હોવાથી બંધનકરણમાં યોગનું સ્વરૂપ બતાવેલ છે. જીવભેદોમાં જેમ યોગ અસંખ્યગુણ છે તેમ પ્રદેશબંધ પણ અસંખ્યાતગુણ હોય છે. પ્રશ્ન-૩૧ જીવ યોગને અનુસાર ભાષા, શ્વાસોચ્છવાસ તથા મનોયોગ્ય પુદ્ગલ સ્કંધો ગ્રહણ કર પરિણમાવી અવલંબે છે. એમ કહ્યું જ્યારે ઔદારિકાદિ પાંચ શરીર યોગ્ય પગલીને ગ્રહણ કરી તે તે શરીરરૂપે પરિણાવે છે એટલું જ કહ્યું, તો અવલંબે છે એમ શા માટે ન કહ્યું ? જવાબ-૩૧ ભાષા વગેરેના પુદ્ગલોને તે તે રૂપે પરિણામાવ્યા પછી તરત જ છોડાવાના હોય છે. તેથી છોડવાની શક્તિને પ્રાપ્ત કરવા માટે ભાષા વગેરેના પુગલોને અવલંબે છે એમ કહ્યું, પરંતુ દારિકાદિ શરીર યોગ્ય પુદ્ગલોને તરત છોડવાના ન હોવાથી અવલંબનની જરૂર નથી માટે ગ્રહણ કરી પરિણાવે છે એટલું જ કહ્યું પણ અવલંબન કરવાનું કહ્યું નથી. પ્રશ્ન-૩૨ સ્નેહપ્રત્યય, નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય આ ત્રણેય સ્પર્ધક માં સ્નેહનો વિચાર હોવા છતાં પરસ્પર શું વિશષતા છે? જવાબ-૩૨ જગદ્વર્તી પુગલોના સ્કંધો બનવામાં હેતુભૂત સ્વાભાવિક સ્નેહનો વિચાર સ્નેહપ્રત્યય સ્પર્ધકમાં, બંધન નામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલ અને નવા ગ્રહણ કરાતાં ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભૂત સ્નેહનો વિચાર નામપ્રત્યય સ્પર્ધકમાં તથા યોગવડે ગ્રહણ કરાતાં કામણ વર્ગણાના પુદગલોનો આત્મપ્રદેશો સાથે દૂધ અને પાણીની જેમ સંબંધ થવામાં કારણભૂત સ્નેહનો વિચાર પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરેલ હોવાથી ત્રણેયમાં પરસ્પર વિશેષતા છે. પ્રશ્ન-૩૩ શરીરસ્થાન એટલે શું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy