SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ કર્મપ્રકૃતિ (૪) ઉપરના સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણા છે. તે થકી (૫) એજ પ્રકૃતિઓના દ્રિસ્થાનિક યવમધ્યથી નીચેના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો અને (૬) યવમધ્યથી નીચેના જ પરંતુ એકાંત સાકારોપયોગ પ્રાયોગ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો અને (૭) ક્રિસ્થાનિક યવમધ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો ક્રમશ: એક એકથી સંખ્યાતગુણા છે. તેથી પણ (૮) આ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તે થકી (૯) અસાતાવેદનીય વગેરે પરાવર્તમાન અશભપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. તે થકી (૧૦) અસાતાવેદનીય વગેરે અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક યવમધ્યથી નીચે શરૂઆતના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો અને તે પછી (૧૧) તે જ દ્રિસ્થાનિક યવમધ્યથી નીચેના પરંતુ એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનોની ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનો અને તે થકી (૧૨) તે જે ક્રિસ્થાનિક યવમધ્યથી ઉપરના શરૂઆતના મિશ્ર અને પછી (૧૩) તેની ઉપરના એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણ છે. તે થકી (૧૪) એ જ પ્રકૃતિઓના ત્રિસ્થાનિક યવમધ્યથી નીચેના તેનાથી (૧૫) યવમધ્યથી ઉપરના અને ત્યારબાદ (૧૬) એ જ પ્રકૃતિઓના ચતુઃસ્થાનિક યવમધ્યથી નીચેના સ્થિતિસ્થાનો ક્રમશ: સંખ્યાતગુણ છે. તે થકી (૧૭) યવમધ્યથી ઉપરની અપવર્તના ડાયસ્થિતિ સંખ્યાતગુણ છે. તેનાથી પણ (૧૮) અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તે થકી (૧૯) સતાવેદનીય વગેરે પરાવર્તમાન શુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક યવમધ્યથી ઉપરના મિશ્ર સ્થિતિસ્થાનોની ઉપરના જે એકાંત સાકારોપયોગ પ્રાયોગ્ય સ્થિતિસ્થાનો બાકી છે તે અંત:કોડાકોડી સાગરોપમ ન્યૂન પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે હોવાથી સંખ્યાતગુણ છે. તેના કરતાં (૨૦) એ જ શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે, તેના કરતાં (૨૧) બદ્ધ ડાયસ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ-ત્રીસ કોડાકોડી સાગરોપમ વગેરે પ્રમાણ હોવાથી વિશેષાધિક છે. અને તેથી પણ (૨૨) અશુભ પ્રકૃતિઓની સંપૂર્ણ કર્મસ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે હોવાથી વિશેષાધિક છે. અહીં અશુભપ્રકૃતિઓના ચત:સ્થાનિક યવમધ્યથી ઉપર ડાયસ્થિતિ બતાવી છે અને ૨૧મા બોલમાં બદ્ધ ડાયસ્થિતિ બતાવી છે. ૧૭માં બોલમાં બતાવેલ ડાયસ્થિતિનો અર્થ બતાવતાં જણાવેલ છે કે અપવર્તનાકરણ વિશેષથી જે સ્થિતિસ્થાનથી મોટામાં મોટો કૂદકો મારી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે તે સ્થિતિને અપવર્નના ડાયસ્થિતિ કહેવાય આનો ભાવાર્થ એમ સમજાય છે કે- જે મધ્યમ અંત:કોડાકોડીનો બંધ કરી સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે તે મધ્યમ અંત:કોડાકોડી પ્રમાણ સ્થિતિને જ અપવના ડાયસ્થિતિ કહેવાય. પરંતુ તેમાં અપવર્ણના કરણ વિશેષથી એ શબ્દનું રહસ્ય સમજાતું નથી માટે નીચે પ્રમાણે અર્થ કરીએ તો અપવર્ણના કરણ વિશેષથી એ શબ્દનું રહસ્ય પણ આવી જાય અને પદાર્થના સ્વરૂપમાં કોઈ તફાવત પડતો નથી. સત્તાગત સર્વોત્કૃષ્ટ સ્થિતિને અપવર્તનાકરણથી ઘટાડી અર્થાત્ ઓછી કરી જેટલી નવી સ્થિતિ રચવામાં આવે તેને અપવર્ણના ડાયસ્થિતિ કહેવાય દાતo ૧00 સમયાત્મક સર્વોત્કૃષ્ટ સ્થિતિને સ્થિતિઘાતથી ઘટાડી ૧૧ મયાત્મક સ્થિતિ બનાવે તો તે ૧૧ સમયાત્મક સ્થિતિ અપવર્નના ડાયસ્થિતિ કહી શકાય, અને તેમ માનીએ તો સર્વોત્કૃષ્ટ સ્થિતિસત્તાને સ્થિતિઘાત દ્વારા મોટામાં મોટો કૂદકો મારી મધ્યમ અંત:કોડાકોડી પ્રમાણ જે નવી સ્થિતિ બનાવે તે અપવર્નના ડાયસ્થિતિ કહેવાય અને તે ઉત્કૃષ્ટ અંત:કોડાકોડીથી સંખ્યાતગુણ હીન હોય છે, એમ મને લાગે છે. પછી તો બહુશ્રતો કહે તે ખરું ? ઓછામાં ઓછો જેટલો સ્થિતિબંધ કરી ત્યારપછી તરતના સમયે તે જીવ વધારેમાં વધારે જેટલો સ્થિતિબંધ કરી શકે તેટલી બધી સ્થિતિને બદ્ધ ડાયસ્થિતિ કહેવામાં આવે છે. સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવ અંત:કોડકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરી તદનન્તર સમયે અતિસંકૂિલષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ કરી શકે છે. માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિને બધ્ધ ડાયસ્થિતિ કહેવાય છે. આ અલ્પબદુત્વ અંત્યત ગંભીર અને ખૂબ જ ગહન છે. માટે બહુશ્રુતો પાસે શક્ય તેટલો સમજવા પ્રયત્ન કરવો. અભ્યાસકોને કંઈક સરળતાથી જ્ઞાન થાય તે હેતુથી અસત્કલ્પના દ્વારા સાતા અને અસાતા આ બે પ્રકૃતિઓના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy