SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ કર્મપ્રકૃતિ અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો બમણાં થાય છે. આ વાત પ્રથમ જ આવી ગઈ છે, એક પલ્યોપમના પણ અસંખ્યાતા ભાગ પ્રમાણ ટૂકડા અસંખ્યાતા થાય, તેથી વિવક્ષિત સ્થિતિસ્થાનથી એક પલ્યોપમ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગીએ ત્યાં સુધીમાં પણ અસંખ્યાત વાર બમણાં – બમણાં અધ્યવસાયો થાય છે. અર્થાત્ અસંખ્યાતગુણા થઈ જાય છે. તાત્પર્ય એ છે કે - વિક્ષિત સ્થિતિસ્થાનથી એક પલ્યોપમ પછીના સ્થિતિસ્થાનમાં પણ અધ્યવસાયો અસંખ્યાતગુણ થાય છે. તો ૧૦ કોડાકોડી સાગરોપમ જેટલાં સ્થિતિસ્થાનો વધે ત્યારે સહેલાઈથી ઘણા જ વધારે અસંખ્યાતગુણ થાય, આ ચાર કર્મના અધ્યવસાયોથી કષાયમોહનીયના અને તેનાથી મિથ્યાત્વ મોહનીય રૂ૫ દર્શન મોહનીયના અધ્યવસાયસ્થાનો ક્રમશ: અસંખ્યાતગુણ હોય છે. ૩. જીવ સમુદાહાર :- હવે જીવો આશ્રયી અધ્યવસાયોનું પ્રતિપાદન કરવું તે જીવ સમુદાહાર કહેવાય છે. સ્વભૂમિકાને અનુસાર સર્વ વિશુદ્ધ જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને બાંધતા સાતવેદનીય વગેરે ૩૪ શુભ પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી જેટલી પ્રકૃતિઓ બાંધે છે તેઓનો ચતુઃસ્થાનિક રસ બાંધે છે. અને અસાતા વેદનીય વગેરે ૩૯ પરાવર્તમાન અશભપ્રકૃતિઓમાંથી જે જે પ્રકૃતિઓ બાંધે છે તેઓનો દ્રિસ્થાનિક રસ બાંધે છે. | મધ્યમ પરિણામી જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રવૃબંધી પ્રવૃતિઓની સ્વભૂમિકાનુસાર અજઘન્ય અર્થાત્ મધ્યમ સ્થિતિને બાંધતા શુભ અને અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓમાંથી જે પ્રકૃતિઓ બાંધતા હોય તેઓનો ત્રિસ્થાનિક રસ બાંધે છે. અને અતિસંકૂિલષ્ટ પરિણામી જીવો મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસારે આ સ્થિતિને બાંધતા પરાવર્તમાન શુભપ્રકૃતિઓમાંની જે પ્રકૃતિઓ બાંધતા હોય તેઓનો દ્રિસ્થાનિક રસ બાંધે છે. અને પરાવર્તમાન અશુભપ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિઓ બંધાતી હોય તેઓનો ચાર સ્થાનિક રસ બાંધે છે. અનંતરોપનિધા :- અહીં અધ્યવસાયોમાં જીવો આશ્રયી અનંતરોપનિધા અને પરંપરોપનિધા એ બે માર્ગણા છે, ત્યાં અનંતરોપનિધાએ વિચારે છે. પૃથકત્વ શબ્દ સેંકડોની સંખ્યાને બતાવનાર છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ચાર સ્થાનિક રસબંધ કરનારા અને મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી : પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો અલ્પ છે. તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો વિશેષાધિક છે. તેથી પણ બે સમયાધિક જઘન્ય સ્થિતિને બાંધનારા જીવો વિશેષાધિક છે. એમ ધણાં સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિબંધને બાંધનારા જીવો વિશેષાધિક-વિશેષાધિક હોય છે ત્યારબાદ પુનઃ ધણાં સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ શુભપ્રકૃતિઓના જઘન્ય ચતુઃસ્થાનિક રસબંધ સુધીના દરેક સ્થિતિબંધસ્થાનમાં વર્તતાં જીવો વિશેષહીન-હીન હોય છે. એ જ પ્રમાણે પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ ત્રિસ્થાનિક રસ બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર મધ્યમ સ્થિતિમાંની જધન્ય સ્થિતિને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યાર પછી ધણાં સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષાધિક હોય છે. તે પછી પુનઃ ધણાં સેંકડો સાગરોપમ સુધી અર્થાત્ શુભપ્રકૃતિઓના જઘન્ય ત્રિસ્થાનિક રસ સુધીની સ્થિતિને બાંધનારા જીવો દરેક સ્થિતિસ્થાનમાં ક્રમશ: વિશેષહીન-હીન હોય છે. એમ પરાવર્તમાન શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ દ્રિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓના સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનોમાંના પ્રથમ જઘન્ય સ્થિતિસ્થાનને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યારબાદ ઘણા સેંકડો સાગરોપમ સુધી દરેક સ્થિતિસ્થાનને બાંધનાર જીવો ક્રમશઃ વિશેષાધિક-વિશેષાધિક હોય છે. તે પછી પુનઃ શુભપ્રકૃતિઓના જધન્ય દ્રિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના દરેક સ્થિતિસ્થાનોને બાંધનારા જીવો ક્રમશઃ વિશેષહીન-વિશષહીન હોય છે. પરાવર્તમાન અશભપ્રકૃતિઓમાં તેનાથી વિપરીત રીતે હોય છે. તે આ પ્રમાણે - પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના દ્વિસ્થાનિક રસને બાંધનારા અને ધ્રુવબંધી પ્રકૃતિઓની સ્વભૂમિકાનુસાર જઘન્ય સ્થિતિઓમાંની પ્રથમ સ્થિતિને બાંધનારા જીવો અલ્પ હોય છે. ત્યાંથી ઘણાં સેંકડો સાગરોપમ સુધીના દરેક સ્થિતિસ્થાનને બાંધનારા જીવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy