SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૪૧ પ્રથમ રસબંધના અધ્યવસાયોનો વિચાર કરતી વખતે સ્થિતિબંધના કારણભૂત સ્થિતિબંધના અધ્યવસાયોનો ગૌણ ભાવે વિચાર કરવામાં આવેલ છે. પરંતુ અહીં મુખ્યત્વે સ્થિતિબંધના અધ્યવસાયોનો જ વિચાર કરવાનો છે. દરેક સ્થિતિબંધ સ્થાનમાં તેના કારણભૂત કષાયોદયજનિત અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. ત્યાં આયુષ્ય વિના શેષ ૭ કર્મના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે, છતાં ઉપરના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ ઘણાં જ ઓછા છે. અને દ્વિતીયાદિક સ્થિતિસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી વિશેષાધિક-વિશેષાધિક હોય છે, આયુષ્યકર્મના પ્રથમ સ્થિતિબંધસ્થાનમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે અને દ્વિતીયાદિક સ્થિતિસ્થાનથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાન સુધી ક્રમશઃ અસંખ્યાતગુણ હોય છે અને તેમ હોવામાં તથા-સ્વભાવ જ કારણ છે. આ અનંતરોપનિધા વાત થઇ, પરંપરોપનિધાએ વિચારીએ તો જ્ઞાનાવરણીય વગેરે ૭ કર્મોના જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે અધ્યવસાયસ્થાનો છે. ત્યાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી, પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં જઘન્ય સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અપેક્ષાએ દ્વિગુણ અધ્યવસાયો થાય છે. ત્યાંથી પુનઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી પછીના સ્થિતિસ્થાનમાં દ્વિગણ અને જઘન્ય સ્થિતિસ્થાનથી ચાર ગણા થાય છે. એમ પો ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો ઓળંગી ઓળંગી પછી પછીના સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો બમણાં બમણાં હોય છે. એમ દરેક કર્મમાં કુલ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલાં આકાશપ્રદેશો છે, તેનું પ્રથમ વર્ગમૂળ કાઢતાં જેટલી સંખ્યા આવે તે સંખ્યાને જેટલીવાર અર્થે અર્ધી કરતાં એકની સંખ્યા આવે તેટલાં છેદનકો કહેવાય છે, તે છેદનકોના અસંખ્યાતમા ભાગમાં જેટલાં આકાશપ્રદેશોની સંખ્યા આવે તેટલાં હોય છે. જેમ રસબંધના અધ્યવસાયો વિવક્ષિત સ્થિતિબંધસ્થાનથી પછી પછીના સ્થિતિબંધસ્થાનમાં જાય છે તેમ સ્થિતિબંધના અધ્યવસાયો તદન જાદા જ હોય છે. માટે અહીં રસબંધના અધ્યવસાયોની જેમ અનુકષ્ટિ થતી નથી. પ્રથમ સ્થિતિસ્થાનના પ્રથમ કષાયોદય રૂ૫ અધ્યવસાયસ્થાન અત્યંત મંદ શક્તિવાળુ હોય છે. અને તેના કરતાં તે જ પ્રથમ સ્થિતિસ્થાનના કારણભૂત ઉત્કૃષ્ટ કષાયોદય રૂ૫ અંતિમ અધ્યવસાયસ્થાન અનંતગુણ તીવ્ર શક્તિવાળું હોય છે. તેનાથી દ્વિતીય સ્થિતિસ્થાનનો જઘન્ય અધ્યવસાય, તેનાથી તે જ દ્વિતીય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ અધ્યવસાય એમ દરેક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અધ્યવસાય ક્રમશ: એક એકથી અનંતગણ તીવ્ર શક્તિ અથવા સામર્થ્યવાળો હોય છે. ૨. પ્રકૃતિ સમુદાહાર :- પ્રકૃતિમાં અધ્યવસાયોનું કથન કરવું તે પ્રકૃતિ સમુદાહાર કહેવાય. તેમાં દરેક પ્રકૃતિના અધ્યવસાયસ્થાનોની સંખ્યા કહેવી તે પ્રમાણાનુગમ અને કઈ પ્રકૃતિથી કઈ પ્રકૃતિના અધ્યવસાયો કેટલા ઓછા વધારે છે એમ બતાવવું તે અલ્પબદુત્વ એમ બે બાબતો છે. આ જ્ઞાનાવરણીય વગેરે દરેક કર્મના બધા સ્થિતિસ્થાનો અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. આ પ્રમાણાનુગમ છે. આયુષ્યકર્મના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ હોવા છતાં શેષ કર્મની અપેક્ષાએ ઘણાં જ ઓછા છે. તેનાથી નામ તથા ગોત્ર કર્મના અસંખ્યાતગુણ છે. જો કે આયુષ્ય કર્મના દરેક સ્થિતિસ્થાનમાં અધ્યવસાયો અસંખ્યાતગુણ છે, અને આ બે કર્મોમાં વિશેષાધિક છે, તો પણ આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં અધ્યવસાયો ઘણાં જ થોડા છે અને તેનાથી આ બે કર્મોના જઘન્ય સ્થિતિબંધમાં ઘણાં જ વધારે અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. વળી આયુષ્ય કરતાં આ બે કર્મોનો સ્થિતિબંધ પણ ઘણો જ મોટો છે, માટે જ આયુષ્ય કરતાં આ બે કર્મના અધ્યવસાયો વિશેષાધિક નથી. પરંતુ અસંખ્યાતગુણ છે, નામ અને ગોત્રકર્મથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાયકર્મના અધ્યવસાયો અસંખ્યાતગુણ છે અને પરસ્પર ચારેયના સમાન છે. નામ અને ગોત્રકર્મથી આ ૪ કર્મની સ્થિતિ ઘેઢી હોવાથી અધ્યવસાયો પણ વિશેષાધિક હોવા જોઈએ પરંતુ અસંખ્યાતગુણ કેમ હોય? અહીં આવી શંકા પણ ન કરવી, કારણકે વિવલિત સ્થિતિસ્થાનના અધ્યવસાયોથી પલ્યોપમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy