SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ કર્મપ્રકૃતિ આયુષ્ય કર્મની અબાધાનો આધાર તેના સ્થિતિબંધ ઉપર નથી. પરંતુ જે ભવમાં આયુષ્ય બાંધે છે, તે ભવ ઉપર છે. માટે કંડકસ્થાનો અને તેના આધારે થતા અબાધા કંડકસ્થાનો પણ ઘટતા નથી. તેથી આ બે સિવાય આયુષ્ય કર્મમાં ૮નું જ અલ્પબદુત્વ હોય છે. ત્યાં અસંજ્ઞિ પર્યાપ્ત અને સંજ્ઞિ પર્યાપ્તમાં જઘન્ય અબાધા ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ ઘણા નાના સંખ્યાત આવલિકા પ્રમાણ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે, તેનાથી જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી અબાધાસ્થાનો અંતર્મુહુર્ણ ન્યૂન પૂર્વક્રાંડના ત્રીજા ભાગના સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ અબાધા પરિપૂર્ણ પુર્વકોડીનો ત્રીજો ભાગ હોવાથી વિશેષાધિક છે. તેથી દ્વિગુણહાનિના સ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળમાં રહેલ સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેના કરતાં સ્થિતિબંધસ્થાનો અંતર્મુહુર્જ અધિક ક્ષુલ્લકભવ ન્યૂન પૂર્વકોડીના ત્રીજા ભાગ સહિત ૩૩ સાગરોપમના સમય પ્રમાણ હોવાથી અને અસંજ્ઞિ પર્યાપ્તમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે, અને તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકોડીના ત્રીજા ભાગે અધિક ૩૩ સાગરોપમ હોવાથી વિશેષાધિક છે. શેષ ૧૨ જીવભેદોમાં પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્યનો સ્થિતિબંધ ન હોવાથી દ્વિગુણહાનિસ્થાનો અને તેના અભાવે એક દ્વિગુણહાનિના અંતરાલમાં થનાર નિષેકસ્થાનો ઘટતા નથી. માટે બાકીના ૬ પદાર્થોનું અલ્પબહુત આ પ્રમાણે છે. જઘન્ય અબાધા ક્ષુલ્લકભવના ત્રીજા ભાગથી પણ ઘણા નાના અંતર્મુહુર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ણ અધિક ક્ષુલ્લકભવ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી અબાધાસ્થાનો એકેન્દ્રિયની અપેક્ષાએ સાધિક ૭ હજાર વર્ષના સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેનાથી પણ ઉત્કૃષ્ટ અબાધા તે જઘન્ય અબાધાસહિત હોવાથી વિશેષાધિક છે. તેનાથી સ્થિતિબંધસ્થાનો એકેન્દ્રિયની અપેક્ષાએ સાધિક ૭ હજાર વર્ષ અધિક પૂર્વકોડી વર્ષ પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. તેથી પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે જઘન્ય અબાધા અને જઘન્ય સ્થિતિબંધ સહિત હોવાથી વિશેષાધિક છે. (-: અથ સ્થિતિબંધના અધ્યવસાયોમાં ૩ સમુદાહારનું સ્વરૂપ :-) હવે સ્થિતિબંધના અધ્યવસાયોમાં સ્થિતિ સમુદાહાર, પ્રકૃતિ સમુદાહાર અને જીવ સમુદાહાર એ ૩ અનુયોગ ધારો કહે છે. ૧ સ્થિતિ સમુદાહાર :- સમુદાહાર એટલે પ્રતિપાદન અર્થાત્ કથન. ત્યાં પ્રથમ સ્થિતિસ્થાનોને આશ્રયી અધ્યવસાયોનું કથન કરવું તે સ્થિતિસમુદાહાર, તેમાં દરેક સ્થિતિસ્થાનમાં અધ્યવસાયોની સંખ્યા બતાવવી તે અગણના, તે સ્થિતિસ્થાનના અધ્યવસાયો દ્વિતીયાદિક સ્થિતિસ્થાનમાં જાય અથવા ન જાય તે અનુકૃષ્ટિ અને કયા અધ્યવસાયથી કયો અધ્યવસાય કેટલા અંશે તીવ્ર અથવા મંદ શક્તિવાળો છે તે તીવ્ર-મંદતા, આ ત્રણ બાબતો છે. એક સમયે કોઇપણ કર્મની જેટલી સ્થિતિ બંધાય તે એક સ્થિતિસ્થાન કહેવાય છે. જઘન્ય સ્થિતિબંધથી સમય-સમયની વૃદ્ધિએ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જેટલો સમય થાય તેટલાં તેટલાં સ્થિતિસ્થાનો તે તે કર્મના હોય છે. અનેક જીવો આશ્રયી કોઇપણ એક સ્થિતિબંધસ્થાન તેના કારણભૂત કષાયોદયજન્ય અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયોથી બંધાય છે. અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ ભિન્ન ભિન્ન અધ્યવસાયો દ્વારા એક જ પ્રકારની સ્થિતિબંધ કેમ થઇ શકે ? એવા પ્રશ્નોના ઉત્તરમાં સમજવાનું કે ભિન્ન ભિન્ન પ્રકારના અધ્યવસાય દ્વારા એક જ પ્રકારની સ્થિતિબંધ થાય છે પણ તે બધાય જીવોને એક જ રીતે એક જ સાથે ઉદયમાં આવી ભોગવાતો નથી પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવ વગેરે ભિન્ન ભિન્ન નિમિત્તોને આશ્રયી જુદા જુદા જીવોને જુદી જુદી રીતે ઉદયમાં આવી ભોગવાય છે. માટે કોઇ વિરોધ નથી. વિવલિત સ્થિતિસ્થાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy