SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૯ એક સમય અબાધાકાળની હાનિ અથવા વૃદ્ધિમાં જે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિબંધની હાનિ અથવા વૃદ્ધિ થાય છે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓનું એક અબાધાકંડક કહેવાય છે. એમ અંતર્મુહૂર્ત ન્યૂન ૩ હજાર વર્ષના સમય પ્રમાણ જ્ઞાના, કર્મના અબાધાકંડકો થાય છે. એમ દરેક કર્મમાં જઘન્ય અબાધા ન્યૂન પોતાની ઉત્કૃષ્ટ અબાધાના સમય પ્રમાણ અબાધાકંડકો થાય છે. | ઇતિ ૩જી અબાધાકાલ પ્રરૂપણા સમાપ્ત. -: અથ ૪થી અNબહુત્વ-પ્રરૂપણા :-) ૩૬ બોલ પૂર્વકનું અલ્પબદુત્વ યંત્ર નંબર-૩૮ પ્રમાણે છે તે પ્રમાણે સમજવું. | ઇતિ ૪ વાર સમાપ્ત ૧૦ સ્થાનકોનું અલ્પબદુત્વ :- (૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨) જઘન્ય સ્થિતિબંધ (૩) ઉત્કૃષ્ટ અબાધા (૪) જઘન્ય અબાધા (૫) કંડકસ્થાન (૬) અબાધાસ્થાન (૭) સ્થિતિબંધસ્થાન (૮) દ્વિગુણહાનિસ્થાનો (૯) અર્થકંડક (૧૦) નિષેકસ્થાનો - એ ૧૦ પદાર્થોનું ચૌદ જીવ સ્થાનકોમાં અલ્પ બહુત આ પ્રમાણે છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત સંષિ પંચેન્દ્રિય જીવોમાં આયુષ્ય વિના શેષ ૭ કર્મની જઘન્ય અબાધા માત્ર અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી અલ્પ છે. તેનાથી અબાધાસ્થાનો તેમજ કંડકસ્થાનો અંતમુહુર્ત ન્યૂન ઉત્કૃષ્ટ અબાધાના જેટલાં સમયો છે તેટલાં હોવાથી અસંખ્યતિગુણા છે, અને પરસ્પર બન્ને સમાન છે. કારણકે અબાધામાંથી એક એક સમયની હાનિએ એક એક કંડક થાય છે. કંડકસ્થાનોથી ઉત્કૃષ્ટ અબાધા જઘન્ય અબાધા રૂપ અંતર્મુહૂર્ણ અધિક હોવાથી વિશેષાધિક છે. તેનાથી દ્વિગુણહીન નિષેકસ્થાનો પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો પલ્યોપમના અસંખ્યાતા પ્રથમ વર્ગમૂળના સમય પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી અર્થકંડક અસંખ્યાતગુણ છે. તે થકી અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી જઘન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ છે. જો કે આઠમા ગુણસ્થાનકની આગળ સંજ્ઞિપંચેન્દ્રિયો અંત:કોડાકોડી સાગરોપમથી પણ ઓછો બંધ કરે છે. પણ અહીં તેની વિવક્ષા કરવામાં આવી નથી, જઘન્ય સ્થિતિબંધથી સ્થિતિસ્થાનો જઘન્ય સ્થિતિબંધ રહિત ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ હોવાથી સંખ્યાતગુણ છે. અને તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. કારણકે તેમાં જઘન્ય સ્થિતિબંધ પણ આવી જાય છે. શેષ ૧૨ જીવસ્થાનકોમાં અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અલ્પ છે. કારણકે તે આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે, અને પરસ્પર બન્ને તુલ્ય છે. જો કે અહીં સામાન્યથી બારેય જીવસ્થાનકોમાં આ બંન્ને પદાર્થો આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ બતાવેલ છે. પરંતુ વિશેષ વિચાર કરતાં એકેન્દ્રિય સિવાયના શેષ ૮ ભેદોમાં આવલિકાના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોય તેમ લાગે છે. પછી તો બહુતો જાણે. આ બન્નેથી જધન્ય અબાધા અંતમુહુર્ત પ્રમાણ હોવાથી અસંખ્યાતગુણ છે. તેનાથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે. તેનાથી દ્વિગુણહાનિના સ્થાનો અને એક દ્વિગુણહાનિના અંતરાલમાં રહેલ નિષેકસ્થાનો ક્રમશઃ અસંખ્યાતગુણ છે. અબાધાસ્થાનોથી સ્થિતિબંધસ્થાનોને ભાગવાથી જે સંખ્યા આવે તે અર્થેન કંડક કહેવાય. ઉત્કૃષ્ટ અબાધામાંથી જઘન્ય અબાધા બાદ કરવાથી જે સંખ્યા આવે તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી જઘન્ય સ્થિતિબંધ બાદ કરવાથી જે સંખ્યા આવે તેને ભાગવાથી અર્થેન કંડક કહેવાય. અને તે નિષેકસ્થાનથી અસંખ્યયગુણ છે. તેનાથી સ્થિતિબંધસ્થાનો એકેન્દ્રિયના ૪ ભેદોમાં અસંખ્યાતગુણ છે, અને ૮ જીવભેદોમાં સંખ્યાતગુણ છે. કારણકે એકેન્દ્રિયના ચારે ભેદોમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ અને બાકીના ૮ જીવ ભેદોમાં પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. તેથી જઘન્ય સ્થિતિબંધ : સાગ, વગેરે પ્રમાણ રૂપ હોવાથી ૪ અને ૮ જીવભેદોમાં ક્રમે કરીને અસંખ્યાતગુણ અને સંખ્યાતગુણ છે. અને તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy