SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ કર્મપ્રકૃતિ પતિત પરિણામી જીવના કષાયની તીવ્રતા રૂપ જે સંફિલષ્ટ પરિણામો તે સંકુલેશસ્થાનો, અને ચડતાં પરિણામવાળા જીવના કષાયની મંદતા રૂ૫ જે વિશુદ્ધ પરિણામો તે વિશુદ્ધિસ્થાનો છે. જેટલાં સંકુશસ્થાનો હોય છે તેટલાં જ વિશુદ્ધિસ્થાનો હોય છે. કેમ કે છેલ્લા અને પહેલા સ્થાન સિવાય પડતાં પરિણામવાળાને જે સંકુલેશસ્થાનો ગણાય છે તે જ ચડતાં પરિણામવાળા જીવને વિશુદ્ધિસ્થાનો ગણાય છે. તે બંન્ને પ્રકારના સ્થાનો અપર્યા, સૂક્ષ્મ એકેક ને સર્વથી અલ્પ છે, તેનાથી અપર્યા. બા., પર્યા, સૂક્ષ્મ અને પર્યા, બાદર એકેડ, અપર્યા તથા પર્યા, બેઇ, તેઇ, ચઉ0, અસંજ્ઞિ-પંચે, અને સંજ્ઞિ-પંચે, જીવોને અનુક્રમે એક-એકથી અસંખ્યગુણ છે. ઇતિ ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા સમાપ્ત - અથ ૨જી નિષેક પ્રરૂપણા:-). જે સમયે કર્મ બંધાય છે તે જ સમયે તેના અબાધાકાળના સમયો છોડી પછીના સમયોમાં દલિકની રચના થાય છે. એ વાત પ્રથમ સમજાવેલ છે. અહીં તે દલિક રચનાનો અનંતરોપનિધા અને પરંપરોપનિધા વિચાર કરેલ છે. ૧. પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ અનંતર પછી-પછીના સમયમાં કેટલી દલિક રચના કરે છે ? એમ વિચારવું તે અનંતરોપનિધા. ૨. પહેલા સ્થાનની અપેક્ષાએ કેટલાં સ્થાનો પછી દલિક રચના અર્ધી-અર્ધી થાય છે. એમ વિચારવું તે પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધાથી વિચાર કરતાં અબાધાકાળ પછીના પ્રથમ સમયમાં સર્વથી વધારે અને તેની પછીના સમયથી તે સમયે બંધાયેલ સ્થિતિના ચરમ સમય સુધી અનુક્રમે પછી પછીના સમયમાં વિશેષહીન-વિશેષહીન દલિક રચના થાય છે. પરંપરોપનિધાથી વિચારતાં અબાધાકાળ પછીના પહેલા સમયમાં જે દલિકરચના થાય છે તેની અપેક્ષાએ ત્યાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે અને તેની અપેક્ષાએ ત્યાંથી પુનઃ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમયો ઓળંગી પછીના સમયમાં અર્ધ દલિકની રચના થાય છે. એમ જ્યાં અર્ધ હાનિ થાય છે તે તે સમયની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો ઓળંગી પછી પછીના સમયમાં અર્ધ-અર્ધ દલિકરચના તે સમયે બંધાયેલ કર્મસ્થિતિના ચરમ સમય સુધી થાય છે. કોઇપણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં આવી અર્ધ-અર્ધ હાનિઓ કુલ પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ થાય છે અને સર્વ-અર્ધ અર્ધ હાનિઓથી બે હાનિ વચ્ચે રહેલ નિષેકસ્થાનો અસંખ્યાતગુણ છે. ઇતિ રજી નિષેક પ્રરૂપણા સમાપ્ત. (- અથ ૩જી અબાધાકાલ પ્રરૂપણા :-) કોઇપણ કર્મનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ ઘટે અથવા વધે ત્યારે અબાધાકાળમાંથી એક સમયની હાનિ અથવા વૃદ્ધિ થાય. દૃષ્ટાન્ત તરીકે જ્ઞાના, કર્મનો ૩૦ કોકોસાગ, પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, અથવા સમય ન્યૂન, બે સમય ન્યૂન એમ યાવત્ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય. ત્યાં સુધી બરાબર ૩ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂનથી આરંભી સમય સમયની હાનિએ યાવતું પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી એક સમય ન્યૂન ૩ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે. એ પ્રમાણે અબાધાકાળમાંથી સમય સમયની હાનિ કરતાં પલ્યોપમના જેટલાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેટલાં સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા હોય છે. એ પ્રમાણે સ્થિતિબંધમાંથી પલ્યોપમનો એક એક અસંખ્યાતમો ભાગ અને અબાધાકાળમાંથી એક એક સમય ન્યૂન થતાં યાવતુ જ્ઞાના, કર્મનો સંજ્ઞિ પંચેન્દ્રિયનો અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતર્મુહુર્ત પ્રમાણ જઘન્ય આબાધા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy