SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૭ -: અથ ૪થો સ્થિતિબંધ :ત્યાં સ્થિતિસ્થાન, નિષેક પ્રરૂપણા, અબાધા કંડક પ્રરૂપણા અને અલ્પબદુત્વ પ્રરૂપણા એમ ચાર અનુયોગ દ્વારો છે. (-: ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા:-) સ્થિતિના ભેદો, તે બંધ અને સત્તા આશ્રયી બે પ્રકારે છે. ત્યાં જે સ્થિતિ સત્તામાં હોય તેમાંથી અનુભવવા દ્વારા અથવા સ્થિતિઘાતાદિથી સમય સમય પ્રમાણ આદિ સ્થિતિનો ક્ષય થવાથી જેટલી-જેટલી સ્થિતિ સત્તામાં રહે તે સત્તાગત સ્થિતિસ્થાનો કહેવાય. તે વિચાર આગળ કહેવાશે પણ અહીં બંધ આશ્રયી સ્થિતિસ્થાનો બતાવે છે. એક સમયે જેટલો સ્થિતિબંધ થાય તે બંધ આશ્રયી સ્થિતિસ્થાન કહેવાય છે. ત્યાં જઘન્ય સ્થિતિબંધ તે પ્રથમ સ્થિતિસ્થાન, સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે બીજું, બે સમયાધિક જધન્ય સ્થિતિબંધ તે ત્રીજુ સ્થિતિસ્થાન, એમ સમય સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્ય સ્થિતિસ્થાનો થાય છે. જે કર્મની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેમાંથી અભવ્ય સંજ્ઞિ પંચે, પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ બાદ કરી શેષ રહેલ સ્થિતિના સમય પ્રમાણ તે તે કર્મના નિરંતર સ્થિતિસ્થાનો થાય છે અને અભવ્ય સંજ્ઞિ પંચેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે કેટલાંક સાન્તર સ્થિતિસ્થાનો હોય છે. ત્યાં નામ અને ગોત્રકર્મના ૮ મુહુર્ણ ન્યૂન ૨૦ કોકો સાગરોપમના સમય પ્રમાણ, મોહનીયનાં અંતર્મુહૂર્ત ન્યૂન ૭૦ કોકો, સાગ, ના સમય પ્રમાણ, આયુષ્યનો અબાધારૂપ અંતર્મુહૂર્ત સહિત ક્ષુલ્લકભવ ન્યૂન પૂર્વકોડિના ત્રીજા ભાગે અધિક ૩૩ સાગના સમય પ્રમાણ, વેદનીયના ૧૨ મુહુર્ણ ન્યૂન ૩૦ કોટકોસાગ, ના સમય પ્રમાણ, જ્ઞા, દર્શ, અને અંત ના અંતર્મુહૂર્ત ન્યૂન ૩૦ કોકો,સાગ, સમય પ્રમાણ બંધ આશ્રયી સ્થિતિસ્થાનો એટલે કે સ્થિતિબંધસ્થાનો હોય છે. આ પ્રમાણે ઉત્તરપ્રવૃતિઓમાં પણ જાતે વિચારી લેવું. આ પ્રમાણે સામાન્યથી સ્થિતિસ્થાનો થાય છે, પરંતુ અભવ્ય સૃષિ પંચે, પ્રાયો, જઘન્ય સ્થિતિબંધથી નીચે નિરંતર નહીં પણ સાન્તર સ્થિતિસ્થાનો હોવાથી થોડા ઓછા સ્થિતિસ્થાનો થાય છે. અપર્યાપ્ત સુક્ષ્મના સ્થિતિસ્થાનો સર્વથી અલ્પ છે. તે થકી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષ્મ અને પર્યાપ્ત બાદર એકે, ના સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ છે. સામાન્યથી આ ચારે ભેદના સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવા છતાં અસંખ્યાતમો ભાગ નાનો-મોટો ગ્રહણ કરવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ ધટી શકે છે. પર્યાપ્ત બાદર એકેડના સ્થિતિસ્થાનોથી અપર્યા, બેઇ0 ના સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે, કારણકે બેઇના ઉત્કૃષ્ટ તથા જઘ, સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર હોવાથી અપર્યા, બેઇટના સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યામાં ભાગનો સમય પ્રમાણ છે. જ્યારે પર્યાપ્ત બાએ ની સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગના સમય પ્રમાણ જ છે અને અસંખ્યાતમા ભાગથી સંખ્યાતમો ભાગ સામાન્યથી દરેક સ્થળે અસંખ્યગુણ મોટો જ લેવાનો હોય છે. તેથી પર્યાપ્ત બાદ એકેડના સ્થિતિસ્થાનોથી અપર્યાપ્ત બેઇના સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે. અપર્યા, બેઇ, થી પર્યા, બેઇડ અપર્યા, તથા પર્યા, તે, ચઉ, અસંજ્ઞિ અને સંજ્ઞિ-પંચે, ના સ્થિતિસ્થાનો અનુક્રમે એક એકથી સંખ્યાતગુણ છે. સામાન્યથી અપર્યા. બેઇ0 થી પર્યા, અસંજ્ઞિ પંચે સુધીના ૮ જીવભેદમાં ઉત્કૃષ્ટ-જઘ, સ્થિતિ વચ્ચે પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ અંતર હોવાથી પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે, છતાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ અનુક્રમે મોટો મોટો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ પ્રાપ્ત થાય છે. અપર્યા, સંજ્ઞિ-પંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ વચ્ચે સંખ્યાતભાગ ન્યૂન અંતઃકોટકોસાગ, પ્રમાણ અંતર હોવાથી તેટલાં સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. અને પર્યા, સંક્ષિ-પંચેન્દ્રિયમાં મિથ્યાત્વ ગુણસ્થાનક આશ્રયી અંત:કોકો સાગન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સમય પ્રમાણ સ્થિતિસ્થાનો છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy