SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૩૧ એમ પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનથી એક કંડક પ્રમાણ ઉપર ઉપરના સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ અનુક્રમે અનંતગુણ હોય છે અને કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી સર્વ જઘન્ય સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી કંડકના ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, તે થકી શરૂઆતના સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેનાં કરતાં કંડકના ઉપરના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ. તે થકી શરૂઆતના બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનનો અર્થાત્ ત્રીજા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તે કરતાં કંડકની ઉપરના ત્રીજા સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ, અને તે થકી શરૂઆતના ચોથા સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ ઉપરના એક એક સ્થિતિબંધસ્થાનનો જધન્ય અને નીચેના એક એક સ્થિતિબંધસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગણ-અનંતગુણ હોવાથી સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનના દ્વિચરમ કંડકના છેલ્લા સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી અંતિમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો એટલે કે સર્વોત્કૃષ્ટ ચરમ સ્થિતિબંધસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે, તે થકી ઉપરના ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ, તેના કરતાં તેના ઉપરના બીજા, ત્રીજા, ચોથા એમ યાવતું તે જ ઉપરના કંડકના સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનરૂપ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક-એકથી અનંતગુણ હોય છે. પરાઘાત વગેરે અપરાવર્તમાન શુભપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી આરંભી જઘન્ય સ્થિતિબંધ સુધી મતિજ્ઞાનાવરણીય વગેરેની જેમ તીવ્ર-મંદતા હોય છે. તે આ પ્રમાણે–સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે. તેનાથી સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ, તે થકી બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અનંતગુણ હોય છે. એમ શરૂઆતના કંડકના ચરમ સ્થિતિબંધસ્થાન સુધી પૂર્વ-પૂર્વના સ્થિતિસ્થાનની પછી પછીના નીચેના સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનુક્રમે અનંતગુણ હોય છે. પ્રથમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી તે જ કંડકના પ્રથમ સ્થિતિસ્થાન રૂપ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તે થકી કંડકની નીચેના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય અને તે થકી સમયન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ, તે થકી કંડકથી નીચેના બીજા સ્થિતિસ્થાનનો જઘન્ય અને તેના કરતાં બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. એમ જ્યાં સુધી પોતપોતાની અનુકૃષ્ટિ સંભવે છે, ત્યાં સુધીના જઘન્ય સ્થિતિસ્થાન સુધી નીચેના એક એક સ્થિતિસ્થાનનો જઘન્ય અને ઉપરના એક એક સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસ ક્રમશ: અનંતગુણ હોવાથી જઘન્ય સ્થિતિના દ્વિચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ રસથી જઘન્ય સ્થિતિસ્થાન રૂ૫ ચરમ કંડકના ચરમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તેનાથી ચરમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ હોય છે. તેનાથી તે જ કંડકના બીજા, ત્રીજા, ચોથા યાવતું જઘન્ય સ્થિતિરૂપ ચરમ સ્થિતિસ્થાનનો ઉત્કૃષ્ટ રસ ક્રમશઃ એક એકથી અનંતગુણ હોય છે. અનુકષ્ટિમાં બતાવ્યા પ્રમાણે જેટલાં સ્થિતિસ્થાનોમાં તે સર્વે અને અન્ય અધ્યવસાયો હોય છે. તેટલાં સ્થિતિસ્થાનોને આક્રાંત સ્થિતિસ્થાનો કહેવાય છે, અથવા તેટલાં સ્થિતિસ્થાનોમાં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય રસ બંધ થતો હોવાથી જઘન્ય અનુભાગના વિષયવાળા સ્થિતિસ્થાનો કહેવાય છે અથવા તો શુભ અને અશુભ પ્રતિપક્ષ પ્રકૃતિઓના તે બધા સ્થિતિસ્થાનો પ્રત્યેક અંતર્મુહૂત્તે પરાવર્તમાન મધ્યમ પરિણામે વારંવાર બાંધતા હોવાથી પરાવર્તમાન સ્થિતિસ્થાનો પણ કહેવાય છે. - ત્યાં અસાતાવેદનીયના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જઘન્ય રસ અલ્પ હોય છે, સમયાધિક જઘન્ય, બે સમયાધિક જઘન્ય, ત્રણ સમયાધિક જઘન્ય, ચાર સમયાધિક જઘન્ય સ્થિતિબંધ એમ યાવતું આક્રાંત સ્થિતિસ્થાનોના ચરમ સ્થિતિબંધસ્થાન સુધીના અર્થાત્ ૧૫ કોકોસાગ પ્રમાણ સ્થિતિસ્થાન સુધીના દરેક સ્થિતિસ્થાનોમાં જઘન્ય રસ તેટલો જ =સમાન હોય છે. આક્રાંત સ્થિતિઓના ચરમ સ્થિતિસ્થાનના અર્થાત્ ૧૫ કોકોસાગ, પ્રમાણ સ્થિતિસ્થાનના જઘન્ય રસથી આક્રાંત સ્થિતિની ઉપરના પ્રથમ કંડકના પ્રથમ સ્થિતિસ્થાનનો જઘન્ય રસ અનંતગુણ હોય છે. તે થકી તે જ કંડકના શરૂઆતના બીજા સ્થિતિસ્થાનનો, તે થકી ત્રીજા-ચોથા-પાચમાં ઉપરના પ્રથમ કંડકના અસંખ્યાતા ભાગોના સ્થિતિસ્થાનો પૂર્ણ થાય અને એક અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી ક્રમશઃ જઘન્ય રસ અનંતગુણ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy