SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૫ (-: અથ સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયનું સ્વરૂપ :-) કોઈપણ એક સમયે જેટલાં કાળવાળું કર્મ બંધાય તેટલાં કાળને એક સ્થિતિસ્થાન કહેવાય છે. અને તેમાંના ચરમસ્થાનની વિવક્ષાથી તેને એક સ્થિતિસ્થાન કહેવાય છે. અને જે કર્મનો જેટલો જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી આરંભી એક એક સમયની વૃદ્ધિએ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જેટલાં સમયો હોય તેટલાં તે તે કર્મના સ્થિતિસ્થાનો અર્થાત્ સ્થિતિના પ્રકારો કે ભેદો હોય છે. ક્યા કર્મના કેટલાં સ્થિતિસ્થાનો હોય તે આગળ સ્થિતિબંધના પ્રસંગે બતાવવામાં આવશે. એક એક સ્થિતિસ્થાનના કારણભૂત જે આત્માના કાષાયિક પરિણામો અર્થાતુ જે કાષાયિક પરિણામોથી કર્મનો અમુક પ્રકારની સ્થિતિ બંધ થાય તે પરિણામો સ્થિતિબંધના અધ્યવસાયો છે. વિવક્ષિત કોઈ જીવને કોઈ પણ એક સમયે કોઈ પણ એક પ્રકારની સ્થિતિબંધ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયમાંના કોઈ પણ એક કષાયોદયથી થાય છે. તેથી ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી એક એક સ્થિતિ સ્થાનની અંદર તેના કારણભૂત અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. પ્રશ્ન :- સ્થિતિબંધના કારણભૂત અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાત અધ્યવસાયો દ્વારા સમાન સ્થિતિબંધ રૂપ એક પ્રકારનું કાર્ય કેમ બની શકે ? કારણકે કાર્યના ભેદથી જ કારણનો ભેદ થઈ શકે છે. અને કાર્યના ભેદ વિના કારણનો ભેદ થઈ શકતો જ નથી. તેથી એક એક સ્થિતિબંધના કારણભૂત એક જ અધ્યવસાય હોવો જોઈએ. પરંતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ કેમ હોય ? ઉત્તર :- અસંખ્યાત લોકાકશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા કષાયોદયથી સામાન્યપણે સમાન સ્થિતિબંધરૂપે એક કાર્ય થવા છતાં જેટલાં જીવોએ સમાન સ્થિતિવાળું જે કર્મ બાંધ્યું હોય તે બધાયને એક જ પ્રકારના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ અને ભવના નિમિત્તથી એક જ વખતે ઉદયમાં આવતું નથી, પરંતુ તેમાંના ભિન્ન ભિન્ન જીવોને ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ અને ભવરૂપ નિમિત્તોથી ઉદયમાં આવે છે. જેમ ૫ દિવસ તાવ લાવે તેવી સ્થિતિવાળું કર્મ અનેક જીવોએ એકીસાથે બાંધ્યું હોવા છતાં તેમાંના અમુક જીવને કેળા ખાવાથી, અમુકને ઠંડા પાણીએ નહાવાથી, એજ પ્રમાણે કોઈકને સીમલા કે આબુ પ્રદેશમાં ફરવાથી, કોઈકને સવારે કે કોઈકને સાંજે અથવા અમુકને શિયાળામાં, કે અમુકને ઉનાળામાં, કોઈકને વધુ પ્રમાણમાં જાગવાથી તો કોઈકને વધુ પરિશ્રમ કે ભૂખ્યા રહેવાથી તેમજ કોઈકને મનુષ્યભવમાં અને કોઈકને તિર્યંચ ભવમાં તાવ આવે છે. એમ ભિન્ન ભિન્ન અધ્યવસાયરૂ૫ કારણોના ભેદ વિના ઉપર બતાવ્યા મુજબ ભિન્ન ભિન્ન રીતે વિપાકોદયરૂ૫ તાવ આવવાનું કાર્ય બની શકે જ નહીં. તેથી ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા પ્રકારના વિપાકોદયરૂપ જુદા જુદા કાર્યો હોવાથી તેના કારણભૂત અધ્યવસાયો પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ માનવામાં કોઈ વિરોધ નથી. આ જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. અને પછી પછીના સ્થિતિસ્થાનમાં વિશેષાધિક હોય છે. એમ સર્વોત્કૃષ્ટ અંતિમ સ્થિતિસ્થાન સુધી સમજવું. સ્થિતિબંધના કારણભૂત એક-એક કષાયોદયમાં એટલે સ્થિતિસ્થાનના અધ્યવસાયમાં રસબંધના હેતુભૂત અધ્યવસાયી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. કારણકે એક એક કષાયોદયની અંદર વેશ્યાજન્ય તીવ્ર-તીવ્રતરતીવ્રતમ, મંદ-મંદતર અને મંદતમ વગેરે અસંખ્ય પ્રકારના પરિણામો હોય છે. અર્થાત્ સ્થિતિબંધમાં કારણભૂત કેવળ કષાયોદય છે અને રસબંધના કારણભૂત કષાય સહિત વેશ્યાજન્ય પરિણામ છે. અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિ માર્ગણા બે પ્રકારે છે. પ્રથમ- અનંતરોપનિધાએ કહે છે. હવે સર્વ જઘન્ય સ્થિતિબંધમાં કારણભૂત જે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદય છે. તેમાંના સર્વ જઘન્ય પ્રથમ કષાયોદયમાં રસબંધના હેતુભૂત વેશ્યાજન્ય પરિણામો અર્થાત્ અનુભાગબંધના અધ્યવસાયસ્થાનો ત્રિકાળવર્તી ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ હોય છે. તેનાથી તે જઘન્ય સ્થિતિબંધના હેતુભૂત બીજા કષાયોદયમાં વિશેષાધિક હોય છે. તેથી પણ ત્રીજા કષાયોદયમાં વિશેષાધિક છે, એમ પછી પછીના કષાયોદયમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy