SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ કર્મપ્રકૃતિ વચ્ચે ખાલી હોય છે. ત્યારબાદ વળી અંતર વિના અમુક સ્થાનો લાઇનસર બાંધે છે. અને ત્યાર પછી વળી કેટલાયક સ્થાનોને નથી પણ બાંધતા, તેમજ કોઇ પણ એક સ્થાનને એકી સાથે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં જ જીવો બાંધે છે. જ્યારે અહીં તો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો ઓળંગી ઓળંગી પછી-પછીના સ્થાનમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલી વખત દ્વિગુણહાનિ સ્થાનો બતાવ્યા, પરંતુ નિરંતર આવલિકાના અસંખ્યાતમા ભાગથી વધારે સ્થાનો બાંધતા જ નથી. અને તેથી એક પણ દ્વિગુણહાનિ સ્થાન થઇ શકે જ નહીં. તેમજ વિવક્ષિત સ્થાનથી પછીના સ્થાનને બાંધનાર એક એક જીવ અધિક ગણીએ તો પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો સુધી જતાં જીવો પણ અસંખ્યાત લોકાકાશપ્રદેશ થાય, અર્થાત્ એક સ્થાનને બાંધનારા ત્રસ જીવો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ થઇ જાય. પરંતુ કોઇ પણ એક સ્થાનને ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં જ જીવો બાંધે છે, એમ કહ્યું છે. તો તેના ઉત્તરમાં સમજવાનું કે તમોએ કહી તે વાત બરાબર છે. હંમેશ માટે આટલાં સ્થાનોને આટલાં ત્રસ જીવો બાંધનારા હોતા નથી. પરંતુ અહીં દ્વિગુણહાનિ સ્થાનો ત્રિકાળવર્તિ જીવોની અપેક્ષાએ બતાવેલ છે. એટલે પ્રથમ સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટ થી જેટલાં જીવો હોય છે, તેનાથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પછીના સ્થાનને જ્યારે જીવો બાંધતા હોય ત્યારે ઉત્કૃષ્ટથી પહેલા સ્થાનને બાંધનારા જીવો કરતાં બમણા હોય છે. જેમ નાના અને તેથી મોટા મોટા અનુક્રમે કુલ પાંચ મકાનો હોય, તેમાંના કોઇ પણ મકાનમાં એક સાથે સો માણસ રહેતા ન હોય, એટલું જ નહીં પરંતુ કોઇ વખત તે મકાનમાં બે, ત્રણ અને તેમાંના સૌથી નાના મકાનમાં ૨૫ માણસો પણ રહે પરતું જ્યારે કોઇ લગ્ન-ઉત્સવ વગેરેનો પ્રસંગ હોય અને જેટલાંનો સમાવેશ થઇ શકે તેટલાં માણસોને રહેવું હોય ત્યારે સૌથી નાના મકાનમાં વધુમાં વધુ ૨૫ અને તેની પછી-પછીના મકાનમાં અનુક્રમે અધિક અધિક એમ સૌથી મોટા મકાનમાં ૧૦૦થી વધારે માણસો પણ રહી શકે, તેમ અહીં પણ સમજવાનું છે. માટે ઉપર બતાવેલ બેમાંથી એક પણ દોષ અહીં લાગતો નથી. () યવમધ્ય પ્રરૂપણા - યવના મધ્યભાગની જેમ વચલા અસંખ્યાતમા ભાગ જેટલાં અસંખ્ય રસસ્થાનો ૮ સમયના કાળવાળા હોવાથી સૌથી વધારે, કાળની અને જીવની અપેક્ષાએ પહોળા અથવા જાડા આકારવાળા છે. અને તેની બન્ને બાજુએ ઓછા ઓછા કાળ અને જીવોવાળો હોવાથી યવ જેમ બન્ને બાજુ સાંકડો અથવા પાતળો હોય તેમ અધ્યવસાયસ્થાનો પણ હોય છે. તેમાં યવમધ્યસ્થાનોથી નીચેના સાતથી ચાર સમય સુધીના અધ્યવસાયસ્થાનો અસંખ્યાતગુણા છે. અને તેથી પણ યવમધ્યની ઉપરના સાતથી બે સમય સુધીના અસંખ્યાતગુણા છે. (૭) સ્પર્શના પ્રરૂપણા - કોઈ પણ જીવે ભૂતકાળમાં જે રસસ્થાનને જેટલાં કાળ સુધી બાંધ્યું હોય તે જીવ આશ્રયી તેટલાં કાળ વિશેષને સ્પર્શના કહેવાય છે. ત્યાં ભૂતકાળમાં (૧) એ સમયકાળવાળા સર્વોત્કૃષ્ટ રસસ્થાનોનો અલ્પકાળ છે. (૨) તેથી શરૂઆતના ચાર સમયવાળા સ્થાનોનો અસંખ્યાતગુણ કાળ છે. કંડકસંજ્ઞાવાળા યવમધ્યથી ઉપરના ચાર સમયવાળા સ્થાનોનો સ્પર્શના કાળ પણ તેટલો જ છે, (૩) તે થકી યવમધ્ય સ્વરૂપ આઠ સમયવાળા સ્થાનોનો અસંખ્યાતગુણ છે. (૪) તે થકી ઉપરના ત્રણ સમયવાળા સ્થાનોનો કાળ અનુક્રમે અસંખ્યાતગુણ છે. તે થકી નીચેના ૫-૬-૭ સમયવાળા સ્થાનોનો (૫/૧,૨,૩) સમુદિતકાળ (તેમજ પ્રત્યેકનો કાળ) અસંખ્યાતગુણ છે. યવમધ્યથી ઉપરના ૭-૬-૫ સમયવાળા બધાયે સ્થાનોનો સમુદિતકાળ પણ તેટલો જ છે. (૬) તે થકી યવમધ્યથી ઉપરના બધા સ્થાનો ૭ થી ૨ વિશેષાધિક છે. (૭) તે થકી શરૂઆતના ૪ સમયથી આરંભી યવમધ્યથી ઉપરના ચાર સમય સુધીના બધા સ્થાનોનો સમુદિતકાળ વિશેષાધિક છે. (૮) અને તેથી પણ સર્વે સ્થાનોનો સ્પર્શનાકાળ વિશેષાધિક છે. (૯) જીવોનું અલ્પબદુત્વ પ્રરૂપણા :- ઉપર કહ્યું તેવી જ રીતે અનુભાગબંધસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયોમાં વર્તતાં જીવોનું અલ્પબદુત્વ પણ જાણવું. (બન્નેનું ભેગું યંત્ર નં.૨૦માં છે) પંચસંગ્રહમાં રસસ્થાનો એ કાર્ય છે. અને અધ્યવસાય સ્થાનો એ કારણ છે. જ્યારે અહીં કર્મપ્રકૃતિમાં રસસ્થાનોને બદલે કાર્યમાં કારણનો ઉપચાર કરી અધ્યવસાયો બતાવેલા છે. તેથી પરસ્પર વિરોધ આવતો નથી. ઇતિ જીવ સમુદાહાર - ૮ દ્વારોનું સ્વરૂપ સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy